ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે બોલવા લાગ્યો કે ‘બાઈ તમારે આગમચથી કહેવું હતું કે તમારે આટલો બધો સામાન ખરીદવો છે તો તે લઈ જવા માટે હું એક ઘોડો અથવા ઉંટ લાવતે! આ ટોપલામાં જેટલો માલ ભરેલો છે તે ઉપરાંત જો તમો બીજો લાવી નાખશો તો ટોપલો મારાથી ઉંચકાઈ શકશે નહીં.’ તે મજુરની આ વાત સાંભળી તે સ્ત્રી હસવા લાગી અને કહ્યું કે ‘તું ગુપચુપ મારી પછવાડે આવ!’
ત્યારબાદ તે એક ગાંધીની દુકાને ગઈ અને ત્યાંથી ભાતભાતની ખુશબો તથા મસાલો ખરીદ કીધો જેથી મજુરનો ટોપલો બિલકુલ ભરાઈ ગયો તો પણ તેણીએ તેને પોતાની પુઠે ચાલવા કહ્યું. અંતે તેઓ એક મોટા અને રોનકદાર મકાન આગળ આવી પહોંચ્યા. તે હવેલીની આગળનો ભાગ સુંદર શોભીતા સ્થંભોથી શણગારેલો અને તેમાં દાખલ થવાનો દરવાજો હાથીદાંતનો બનાવેલો હતો. એ મકાન આગળ આવી તેઓ અટકયા ‘તે સ્ત્રીએ આસ્તેથી તે દરવાજો ઠોકયો. દરવાજો ઉઘડવાની તેઓ વાટ જોતા હતા એટલામાં તે હેલકરીના મનમાં સેંકડો જુદા જુદા વિચાર આવ્યા. પહેલા તો આ ઉમરાવજાદી સરખી બાનુને ઘરની ખિદમગાર બાંદી તરીકે કામકાજ કરતી જોઈ તે અજબ થવા લાગ્યો કારણ કે તે એક બાંદી હોય એમ માનવું તેને મુશ્કેલ લાગ્યું. તેણીનો દેખાવ અમીરજાદીને એટલો તો મળતો દીસ્તો હતો કે તે ખરેખર અમીરજાદીજ હોય તેમ લાગતી હતી. તે બાનુના દરજ્જા તથા મોભા વિશે તે પુછવા જતો હતો એટલામાં એક બીજી સ્ત્રી જેણે બારણું ઉઘાડયું તે પહેલી કરતા એટલી તો વધારે ખુબસુરત તેને માલમ પડી કે જેથી અચરતીનો માર્યો મુંગોજ થઈ રહ્યો. બલકે તે તેની ખુબસુરતી જોઈ પોતાના માથા પર જે તમામ ચીજોથી ભરેલો ટોપલો હતો તે તે નાખી દે એવુ થઈ પડયું. તેણે ધાર્યુ કે તેની આગળ ઉભેલી તેની બરોબરી કરનારી સ્ત્રી તેની આખી જીંદગીમાં કોઈ કાળે પણ તેને દીઠી હશે નહીં. જે સ્ત્રી તે હેલકરીને બોલાવી લાવી હતી તેણી તેને ગભરાટમાં પડેલો જોઈ તેનો સબબ પામી ગઈ. આ શોધથી તેણીને ગમત થઈ હતી અને તે હેલકરીના કૌતકો જોવામાં કામમાં એટલી તો ખુશ થઈ કે બારણું બંધ કરતા વિસરી ગઈ. બીજી સુંદર સ્ત્રીએ કહ્યું કે ‘બહેન અંદર આવો! તમે શા કાજે થોભી રહ્યા છો? તમો જોતાં નથી કે આ ગરીબ આદમીને માથે એટલો તો ભારી બોજો છે કે તે તેનાથી મુદલ ખમાતો નથી.!’
(ક્રમશ)

Similar Posts

  • PM Modi Awards Ratan Tata

    ‘ASSOCHAM Enterprise Of The Century’ Award The Associated Chambers of Commerce of India (ASSOCHAM) organised its Foundation Week from 15 to 19 December, 2020, celebrating the theme, ‘India’s Resilience: Atmanirbhar Roadmap Towards $5 Trillion Economies.’ PM Modi addressed the ‘ASSOCHAM Foundation Week 2020’ via video conferencing. Marking the finale of the celebrations on 19th December, PM Modi presented…

  • Letters To The Editor

      Reply To Dhanda’s Letter Published In Mumbai Samachar (June 04, 2017)   Editor’s Note: Since the above mentioned letter, as alleged by the undersigned Godrej Baug Residents Welfare Association leaders, makes unsubstantiated statements which need to be responded to, with the aim of providing the truth to our community members, Parsi Times is printing…

  • |

    Meherbai’s Trip To Udvada

    It was a peaceful Saturday morning and Meherwanji was quietly reading his Parsi Times when Meherbai announced that she wanted a two-day week-end break in Udvada. “I won’t drive that far!” said Meherwanji. “You won’t have to” Meherwanji: Then how do we go? Walking? Meherbai: No! No! My darling Meheloo, my neice Farida and her boy-friend Soli Sales-Tax…

  • XYZ Groups Organise A Beach Clean Up

    As a collaboration activity, members of XYZ’s Behram’s Battalion and Cyrus’ Superstars, along with the NGO – ‘Beach Warriors’, conducted a beach clean-up drive, on 3rd December, 2022, at Juhu Beach. Twenty-two XYZ members, seniors and volunteers were part of this collaboration, and alongside the NGO, in about 2 hours, cleaned up an almost 2 km…

  • બેજનની બાનુ મનીજેહ

    બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો,…