બીપીપી દ્વારા ડુંગરવાડીનું પુન:સ્થાપન

સમુદાયના સભ્યોને એ જાણીને આનંદ થશે કે, તાત્કાલિક નવીનીકરણ માટે આપણી સૌથી પવિત્ર ડુંગરવાડીની જરૂરિયાતનું બીપીપીએ ગંભીરતા અને ખંતપૂર્વક ધ્યાન આપ્યું છે. આપણા સમુદાયના સભ્યોના ઉદાર પ્રતિસાદ બદલ આભાર, જેમણે આ ભવ્યના સંપૂર્ણ નવીકરણ માટે ફાળો આપ્યો, ત્રણસો વર્ષ જુની સ્થાપના જે આપણા વહાલા મૃતકોને અંતિમ વિશ્રામ અને સ્થાન આપવા ઉપરાંત સમુદાયના સભ્યોને સાંત્વના અને શાંતિ પ્રદાન કરે છે.
55 એકરમાં પથરાયેલા, મલબાર હિલ્સ ક્ષેત્રની ટોચ પર, ડૂંગરવાડી, જે બીપીપી દ્વારા સંચાલિત છે, સદીઓથી હમદીનો માટે અજોડ અને કુદરતી શાંતિનું કામ કરે છે. સમયનું ધ્યાન રાખીએ તો તેના મોટાભાગના બંધારણોને સંપૂર્ણ રિપેરીંગની ગંભીર જરૂર હતી. કેટલાક વિસ્તારોને તાત્કાલિક ધોરણે, મુખ્યત્વે તેની પવિત્ર રચના – દોખમાઓ, બંગલીઓ, જંગલનો વિસ્તાર અને રોડવે સહિતના અન્ય ક્ષેત્રોનો જેમાં સમાવેશ થાય છે.
દોખમાથી શરૂઆત કરતા જરૂરી સમારકામ માટે બીપીપીએ સમુદાયના હમદીનો પાસે ડોનેશનની માંગ કરી. સમુદાયના સભ્યોએ ઉમદા ઉદારતા દર્શાવી છે અને તેની પુન: સ્થાપના માટે જરૂરી ભંડોળ એકઠું કરવામાં મદદ કરી. અત્યાર સુધીમાં મળેલ દાનમાં દોખમાના સમારકામ માટેના અંદાજિત બજેટને વટાવી દીધું હોવાથી ટ્રસ્ટીઓએ વધારાની રકમનો ઉપયોગ અન્ય બાંધકામો જેને સમારકામની તાતી જરૂરત છે તેમાં કર્યો છે. છેલ્લા વર્ષ દરમિયાન, બીપીપીએ આપણા વિશાળ દાતાઓ દ્વારા સમુદાય પ્રોજેકટ તરીકે, વન વિભાગની સુધારણા સાથે ડુંગરવાડીને નવીનીકૃત કરવામાં મોટી પ્રગતિ કરી છે, અને તાજેતરમાં જ, નાહાન વિસ્તાર અને વોશરૂમના સંપૂર્ણ સમારકામથી આખા નવા દેખાવમાં ફેરવી દે છે જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ આપવામાં આવી છે.
પુન: સ્થાપન તરફના સતત પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, હાલમાં, જાયજી ખુરશેદજી ભાભા બંગલી (1 અને 2) બન્નેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આપણા કુશળ દાતા દંપતી – નોશીર કાવસજી ગોટલા અને તેમની પત્ની કેટી નોશીર ગોટલાનો આભાર. જેમણે નાણાકીય દાન ઉપરાંત બન્ને બંગલીઓનું તમામ બાહ્ય સમારકામ અને આંતરિક રચનાઓનું વ્યક્તિગત રીતે દેખરેખ કરવામાં મદદ કરી છે. તેમનું આ કાર્ય ડુંગરવાડીના મુલાકાતીઓ માટે પ્રેરણારૂપ રહ્યું છે. અને ઘણીવાર બાંધકામની દેખરેખ રાખતા ભવ્ય દંપતીની ઝલક જોવા મળે છે.
જો કે, અન્ય રચનાઓ માટે તાત્કાલિક ધોરણે હજી જરૂર છે જેને સમારકામની જરૂર છે, અને તે જ માટે, બીપીપી સમુદાયના સભ્યો દ્વારા અન્ય મુખ્ય ઉપક્રમોમાં ફાળો આપવા માટે સતત દાનની માંગ કરે છે, જેમાં હોડીવાલા બંગલી અને બેનેટની બન્ને બંગલીનું સંપૂર્ણ સમારકામ શામેલ છે બંગલી નં. 5 અને 6 ખાંધિયાઓના રહેઠાણના વિસ્તારો પેવેલિયન (ઉપરની બંગલીનું મોટી પેવેલિયન અને ઉપરની બંગલીનું નાનું પેવીલીયન જેનું છાપરૂ, ફલોરિંગ, કલરકામ અને અગિયારીના ચાર હોલ/સગડીના વિસ્તારમાં કલરકામ અને ઈલેકટ્રીકલ ફીટીંગ તથા દસ્તુરજીના આરામ કરવાનો વિસ્તાર તથા ખાંધિયાઓનો આરામ કરવાના વિસ્તારમાં સમારકામની તાતી જરૂર છે.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં, ડુંગરવાડીના મેનેજર વિસ્તાસ્પ મહેતાએ કહ્યું કે ટીમ ડુંગરવાડી સમુદાયના સભ્યોને નાહાન ખાના (ખાંધિયાઓ માટે નાહવાનો વિસ્તાર તથા મૃતકોના શરીરને દોખમામાં મૂકતા પહેલા નો વિસ્તાર) જેના સમારકામમાં ફાળો આપવા બદલ આભારી છે જેની ખૂબ તાતી જરૂર હતી. બાઈ માણેકબાઈ પી બી જીજીભોય ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટીઓનો ખૂબ આભાર જેમણે ઉપરની બંગલીના સામાન્ય શૌચાલયના નવીનીકરણ માટે મદદ કરી તથા નોશીર કાવસજી ગોટલા અને કેટી નોશીર ગોટલા જેમણે બાઈ જાયજી કરશેતજી ભાભા બંગલી નં. 1 અને 2 માટે મદદ કરી. આપણે બધા પારસી અને ઈરાની જરથોસ્તીઓના એકીકૃત રીતે આપણા પર્યાવરણમિત્ર જેવી દોખ્મેનશીની પધ્ધતિ પર વિશ્ર્વાસ રાખવા પ્રાર્થના કરીએ છે. નવીનીકરણ સુવિધાઓ સાથે, મૃતકના પરિવારો હવે બંગલીઓનો ચાર દિવસની વિધિ માટે ઉપયોગ કરી શકશે. સમુદાયના નેતાઓ અને સ્વપ્નદ્રષ્ટા તરીકે ગણવામાં આવતા બીપીપી ટ્રસ્ટીઓ વિવિધ પ્રોજેકટમાં સમુદાયના સભ્યોને સમાવિષ્ટ કરીને અસરકારક અને સફળતાપૂર્વક આગળનો રસ્તો બનાવી રહ્યા છે અને સમુદાયના હમદીનો અને ટ્રસ્ટીઓ વચ્ચે આવા નવા પ્રોજકેટોને લીધે વિશ્ર્વાસ અને પ્રોત્સાહન પેદા થાય છે.
ડુંગરવાડીનું આપણા દિલમાં રાખેલ વિશેષ સ્થાનને ધ્યાનમાં રાખીને, ડુંગરવાડીને પુનસ્થાપિત અને સુંદર બનાવવાનો લક્ષ્ય ધરાવતા આ કમ્યુનિટિ પ્રોજેક્ટમાં ભાગ લેવો, સમુદાયના સભ્યો દ્વારા આ સુંદર સંસ્થાને પાછા આપવાની એક મહાન તક હશે, જે એક તબક્કે પ્રિયજનોની ખોટથી શોક વ્યક્ત કરનારાઓને સેવાઓ, સુલેહ – શાંતિ અને ઉપચારની સાક્ષી આપે છે. અહીં આપણી સૌથી પવિત્ર રચના ડુંગરવાડીને પુન:સ્થાપિત કરી ઈતિહાસનો એક ભાગ બનવાની આપણી પાસે એક તક છે.
પારસી પંચાયત બોમ્બેના નામે તમારો ચેક લખો, વધુ વિગત માટે ઈમેલ કરો:bppceo1681@gmail.com

Similar Posts

  • સવાલો અને જવાબો

    સ) કસ્તી કેવી રીતે બનાવવામાં આવે છે? જ) કસ્તીને 72 દોરાઓને સૌ પ્રથમ ચકકર ફેરવવામાં આવે છે ત્યારબાદ તેને હાથેથી વણવામાં આવે છે. સ) કસ્તીને શા માટે શરીરના મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે? જ) કસ્તીને મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે કારણ કે જરથોસ્તીઓ સંયમનના સિધ્ધાંત માનનારા છે. સ) કુસ્તીની ચાર ગાંઠો શું દર્શાવે છે? જ)…

  • Caption This – 5th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 9th March 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    ખરેખર તેજ ઘડીએ તે ગઈ અને જ્યારે તે તળાવના કિનારા ઉપર આવી પહોચી ત્યારે તેણીએ પોતાના હાથમાં થોડું પાણી લઈ આસપાસ છાટયું તથા તેની સાથે કાઈ મંત્ર ભણી જેથી તે શહેર પાછું સજીવન થયું તે તળાવ માહેલા માછલા આદમીઓ, સ્ત્રીઓ, અને બાળકો બની જયા જે મુસલમાન હતા તે મુસલમાન દેખાયા જે કિશ્ર્ચિયન હતા તે ક્રિશ્ર્ચિયન…

  • Asha Vahishta Dadgah (Pune) Celebrates 5th Anniversary

    On 25th December, 2022, the Asha Vahishta Dadgah Saheb in Pune celebrated its 5th salgreh of enthronement of the holy fire. A Maachi was offered to the Dadgah Saheb in the Havan Geh. A thanksgiving Jashan was performed by six Mobeds, followed by a Humbandagi with the gathered devotees. Post the Jashan, the devotees partook…

  • ગાયને ખાનસામાને હવાલે કીધી!

    જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું…