જમશેદી નવરોઝ – ઉત્સવનું અનુસરણ અને ધાર્મિક વિધિઓ

આપણામાંના મોટાભાગના વર્ષો પછી આપણી જૂની રીતે જમશેદી નવરોઝની ઉજવણી કરે છે – આપણે પ્રાર્થના કરવા વહેલા ઉઠીએ છીએ અને આપણામાંના કેટલાક પવિત્ર ‘હફ્ત-શિન’ ટેબલની સજાવટ કરે છે. અગીયારીમાં પગે પડવા જાય છે. બપોરના ખાસ નવરોઝમાં તૈયાર થતી પારસી વાનગીઓ બનાવીયે છીએ અને બીજા મનોરંજન કાર્યક્રમ માટે આગળ નીકળીએ છે. પરંતુ જમશેદી નવરોઝની મૂળ ધાર્મિક વિધિઓ અને તેની પાછળની વાસ્તવિકતા જાણવા વધુ ગમશે.

જમશેદી નવરોઝની શરૂઆત:

ભારતમાં, 18મી સદીના અંતમાં, સુરતમાં પારસી સમુદાયે જમશેદી નવરોઝની ઉજવણીની શરૂઆત કરી. વીસમી સદીમાં, ખુરશેદજી રૂસ્તમજી કામાએ મુંબઈમાં આ ઉત્સવને લોકપ્રિય બનાવ્યો અને તેને ધાર્મિક પ્રભાવ આપ્યો. આજે ભારતમાં પારસી જરથોસ્તીઓ ઐતિહાસિક તહેવાર તરીકે જમશેદી નવરોઝને ઉજવે છે. પેશદાદીઅન વંશના પહેલા પાદશાહ  જમશેદ જેઓના નામ પરથી ઈરાન અને ભારતમાં જમશેદી નવરોઝની ઉજવણી થાય છે. તે પાદશાહે ઋતુ પ્રમાણે કેલેન્ડર તૈયાર કર્યુ હતું તેને આપણે ફસલી કેલેન્ડર તરીકે ઓળખીયે છીએ. આ પાદશાહ જ્યારે રાજગાદી પર હતા ત્યારે તેમની પાસે એક જાદુઈ જામ હતી જે જામે જમશેદી તરીકે ઓળખાતી હતી અને પાદશાહ જમશેદ આખુ વર્ષ કેવું પસાર થશે પ્રજાની મુશ્કેલીઓ કોઈ આફત દુકાળ જે બધું જામમાં જોઈ લેતા અને પ્રજાના સુખ માટે બંદોબસ્ત કરતા.

અકામેનિયન સમયમાં (559-330 બીસીઇ), નવરોઝ ખૂબ મહત્વનો દિવસ હતો. જ્યાં પર્સિયન સામ્રાજ્ય હેઠળ વિવિધ દેશોના રાજાઓ સમ્રાટ માટે ભેટો લાવતા હતા. પર્સીપોલિસમાં તેમના ભવ્ય મહેલ ખાતે દારાયસ અને ઝર્ક્સીસ જેવા રાજાઓ દ્વારા આ ઉજવણી મોટા પાયે કરવામાં આવતી હતી. સસાનીયન રાજાઓ પણ તેને વર્ષના સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવતા હતા.

ઈરાનીઓ પણ આ તહેવારની ઉજવણી કરવાની ખાસ રીત હતી. તેઓ ઘરના દરેક ઓરડાની સાફ સફાઈ કરતા તથા નવરોઝની ઉજવણી માટે નવા કપડા પણ ખરીદતા હતા.

ઉજવણીના વિશેષ ભાગ રૂપે, પારસી જરથોસ્તીઓ સવારે ત્રણ વખત ખોરશેદ અને મેહેર નીઆએશનો પાઠ કરતા કારણ કે આ પ્રાર્થનાઓ સૂર્ય અને સૂર્યપ્રકાશને સમર્પિત છે. કેટલાકો દિવસના ત્રણે ગેહ હાવન, રપિથવન અને ઉજીરેન ગેહમાં આ પ્રાર્થનાઓ કરે છે.

નવરોઝના આગળના દિવસે, ઘરમાં ‘હફ્ત-શિન ટેબલ’ સજાવવામાં આવે છે. અને સાત વસ્તુઓ જેની શરૂઆત ‘શીન’ અથવા ‘સીન’જેવા શબ્દોથી થતી હોય તેવી વસ્તુઓ ગોઠવી ટેલબ સજાવવામાં આવે છે.

* સબજેહ લીલા અંકુરિત કઠોળ અથવા શાકભાજી (આરોગ્ય અને ઉત્પાદકતાનું પ્રતિનિધિત્વ કરે છે.) * સાકર જીવનમાં મધુરતા માટે, * સરકો જે વય અને ધૈર્ય દર્શાવે, * સીબ એટલે સફરજન સારા આરોગ્ય અને સુંદરતાનું પ્રતીક છે, * શીર એટલે લસણ જે ઉપચાર અને દવા સૂચવે છે, * સોમાઘ એટલે સુમાક જે ગરમાટો અને મસાલા જેવી ઓષધી છે. * શમા એટલે મીણબત્તી પ્રકાશનું પ્રતિક, * શીશો-ગ્લાસ,  આત્મનિરીક્ષણ, * શીર-દૂધ માતૃત્વનો પ્રેમ દર્શાવે છે. આ ઉપરાંત આપણા અશો જરથુસ્ત્રનો ફોટો, દિવો, અરીસો, ખોરદેહ અવસ્તા, ચાંદીના સિકકા, અને પાણીમાં તરતી ગોલ્ડ માછલી પ્રવૃત્તિ અને ગતિવિધિઓથી ભરેલા જીવનને સૂચિત કરે છે.

ઉપરોક્ત બધી વસ્તુઓ છ થી તેર દિવસ સુધી ટેબલ પર સ્પર્શ કરવા વગર રાખવામાં આવે છે. નવરોઝ પછી તેરમા દિવસે સીઝદાહ બે-દાર જેનો અર્થ છે તેર દુષ્ટતાને સાફ કરવી. આનો અર્થ છે ટેબલ સાફ કરવી અને તહેવારની સમાપ્તિ અને દરેક જણ ખુશી સાથે મોસમના અંતમાં રજાઓ પૂરી કરે છે.

તહેવારોના અંતે કરવામાં આવેલી એક વિધિ

એ છે કે સબજેહને હફ્ટ-શિન ટેબલમાંથી કાઢી નાખવામાં આવે છે, એક ધાર્મિક કાર્ય જે નવા વર્ષ માટે સારા નસીબ અને સમૃદ્ધિ લાવવાનો હેતુ છે. સામાન્ય રીતે યુવા સિંગલ મહિલા સબજેહના પાંદડા પર ગાંઠ બાંધી દે છે, જે આગામી નવરોઝ પહેલાં લગ્નની ગાંઠમાં તે બંધાઈ જાય તેવી તેમની ઇચ્છાનું પ્રતીક છે.

જમશેદી નવરોઝ એ આશા, જીવન અને રંગનો તહેવાર છે. તે નવીકરણ, કાયાકલ્પ, આશા, આનંદ, પ્રકાશ, જીવન, સમાનતા અને અનિષ્ટ ઉપર સારાની જીતનો સંદેશ લાવે છે. તે આપણને આપણા ભવ્ય ભૂતકાળ અને પ્રકૃતિ સાથે સંપર્કમાં રહેવાની યાદ અપાવે છે. આ જમશેદી નવરોઝ આપણા સમુદાય અને સમગ્ર માનવતા માટે ખુશખુશાલ સાબિત થાય!

Similar Posts

  • Jehan Daruvala Featured As ‘Top 25 Most Influential Young Indians’ In GQ Magazine

    The toast of all racing enthusiasts in the nation and the community, Mumbai’s Formula 2 top racer – Jehan Daruvala – has yet another feather added to his much-celebrated racing cap! He has been featured in the globally renowned US-based, GQ magazine as the ‘Top 25 Most Influential Young Indians’! As per the GQ magazine,…

  • Petit Library Opposes Metro Construction

    The ongoing Metro III (Colaba- Bandra- SEEPZ) work at DN Road in South Mumbai faced yet another backlash from the heritage structures officials who received complaints from one of the city’s oldest libraries, JN Petit Library. The Mumbai Heritage Conversation Committee has confirmed receiving a complaint from the library against Mumbai Metro Rail Corporation Limited…

  • Meherbai’s Mandli Discusses ‘How Did You Guys Meet?”

    In these hard times, Meherbai’s Mandli met every evening to do elar pelar and gaam-ni-gossip. They also held Antakshri sessions when all the kagras hurriedly flew away hearing their besura voices! Once, they also had a Jokes’s Eve, when all the husbands flew away like the kagras  because all the wives cracked jokes on their husbands! The limit was reached when Koomi Kajwali said, “My…

  • ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

    26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ…

  • શિરીન

    ‘કદી પણ ડરબી કાસલ યા તો તેની આસપાસની જમીન પર આવતો ના કારણ ફિરોઝ ફ્રેઝરે તુંને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધાછ.’ ‘પણ…પણ કાંય શિરીન, મેં શું એનું બગાડયું?’ પછી શિરીન વોર્ડને તે આખી કહાણી દુખી જીવે પોતાનાં ભાઈને કહી સંભળાવી. પહેલાથી તે આખર સુધીની સઘળી જ બીના તેણીએ જણાવી નાખી કે તે સાંભળતા કેરસી વોર્ડને…

  • બહમન – ઉશ્તાની ચાવી

    જરથોસ્તીઓ માટે, બહમન માહ એટલે જેમ હિન્દુઓનો શ્રાવણ માસ હોય છે તેે. શ્રાવણ દરમિયાન હિન્દુઓ માંસાહારી ભોજનને ટાળે છે, તેવી જ રીતે જરથોસ્તીઓ પણ બહમન મહિનો દરમિયાન કરે છે. જો કે, હિન્દુઓથી વિપરીત, જરથોસ્તી મહિના દરમિયાન ઉપવાસ કરતા નથી. રસપ્રદ વાત એ છે કે, ત્રણસો અને પાંત્રીસ દિવસના જરથોસ્તી કેલેન્ડરમાં, કુલ અથવા આંશિક ઉપવાસ માટે…