અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે.
તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો.
ઘરમાં સોરાબ, રોશન અને તેમની વહાલી દીકરી ઝરીન અને તેમની ધણીયાણી ખોરશેદ એમ પાંચ જણા રહેતા હતા. પત્ર આપી તેઓ રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત તમે ત્રણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને અને ખોરશેદ બેય ને માન્ય રહેશે. જહાંગીરજી અને ખોરશેદ ઘરની બહાર આંગણામાં મૂકેલ બેન્ચ પર બેસી મરઘીઓને ચણ ખાતા જોઈ રહ્યા અને સંતાનોના નિર્ણયની રાહ જોવા લાગ્યા.
ખોરશેદ એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
જહાંગીરજી બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. રોશન અને ઝરીને જે વિચાર્યું તે આશ્ર્ચર્ય જનક હતું.
રોશન જે ઘરની વહુ હતી તેણે તેના ધણી સોરાબને કહ્યું, તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે. ઝરીન આ ઘરની જ એક દીકરી હતી. તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ માની કુખેથી અવતર્યા છીએ. તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે.
સોરાબ, રોશન અને ઝરીન ને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્ર્વાસથી. તેઓ ત્રણે બહાર આવ્યા. માતા પિતાની સામે ઉભા રહ્યા. સોરાબે રોશનને કહ્યું, જા રસોડામાં આજે સગનની સેવ બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું. રોશન રાંધણીમાં ચાલી ગઈ.
સોરાબના આ બોલ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી. સોરાબ અને ઝરીન બન્ને માતા પિતા પાસે આવ્યા. અને એમની આંખોમાં આંખ પરોવી દીધી. રોશન રાંધણીમાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની. સોરાબ અને ઝરીન માતા પિતાને પગે પડ્યા અને ચારેયની આંખમાં સાચે જ ચોમાસું બેસી ગયું.
સોરાબ ભાવુક હૃદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે. પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી. એ મિલકત છે તમે મારા માતા પિતા. સોરાબે મમ્મીને કહ્યું…. તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી?
સોરાબે પપ્પાને કહ્યું તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી? અરે, મને તો કાંઈ જોઈતું નથી. મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત અમારા મા-બાપ જ છે. આ સાંભળી ખોરશેદનું હૃદય ખુશીથી છલકાઈ ગયું અને એમણે મીઠા ઠપકાના સૂરમાં જહાંગીરજીને કહ્યું, મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે. જહાંગીરજી રડવાનું ખાળી ન શક્યા. દૂર ઉભેલી રોશન પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.
જહાંગીરજી એ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર સગનની સેવ બનાવજો.

Similar Posts

  • Sports Roundup – 7th April 2018

    CRICKET MS Dhoni Receives Padma Bhushan: Former Indian cricket skipper, Mahendra Singh Dhoni received the country’s third highest civilian award, ‘Padma Bhushan’ from President, Ram Nath Kovind. PG In Salar Jung Semi-Finals: Brilliant batting performances from Nikhil Patil, (78 off 46) coupled with Aman Khan’s (78 off 42) helped Parsee Gymkhana win by 112 runs…

  • સમય અને અહુરા મઝદા

    આપણામાંના ઘણા વ્યસ્ત જીવન જીવે છે. મોટાભાગના રોજના કાર્ય કર્યા પછી આપણા હાથમાં સમયજ બચતો નથી. પરંતુ કેટલીક વસ્તુઓ છે જે આપણે બધા ભુલ્યા વિના રોજિંદા કરીએ છીએ. આપણે દાંત સાફ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ અને ભોજન કરીએ છીએ, ઓછામાં ઓછું આ આપણે દરરોજ કરીએ છીએ, પછી ભલે આપણે સવારે 2:00 વાગ્યે સૂઈએ અને…

  • કમળો

    કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…

  • The Inspiring Mobedjis At Tata Marathon!

    69-year-old Er. Jehangirji Mobedji, who has served for over 50 years as Panthaky of Dadysett Agiary (Fountain) – and his son, Yazad – have been regular participants at the Tata Bombay Marathon. The father-son duo completed the 2020 edition of the marathon, in four hours, reiterating their steely determination towards the sport. While Jehangirji participated…

  • Community Benefits Greatly From WAPIZ’s Free Cancer Detection Camps

    As the cases of breast cancer are on the rise, it is imperative for women to get themselves checked up regularly as early detection can be treated effectively. In order to convenience the breast-cancer check-up for our community’s women, last year WAPIZ initiated Free Breast Cancer Detection Camps in our colonies and baugs. On 23rd…

  • Godrej Baug Celebrates Independence Day

    Godrej baug celebrated India’s 70th Independence Day on 15th August at Godrej Baug’s Eco Park ground. Vice President of the Godrej Baug Residents Welfare Association (GBRWA), Neville Daroga, hoisted and unfurled the Indian tricolour, while President, Farhad Hozdar addressed the gathering on the works of our freedom fighters. Similar sentiments were echoed by resident Maneck…