અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે.
તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો.
ઘરમાં સોરાબ, રોશન અને તેમની વહાલી દીકરી ઝરીન અને તેમની ધણીયાણી ખોરશેદ એમ પાંચ જણા રહેતા હતા. પત્ર આપી તેઓ રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત તમે ત્રણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને અને ખોરશેદ બેય ને માન્ય રહેશે. જહાંગીરજી અને ખોરશેદ ઘરની બહાર આંગણામાં મૂકેલ બેન્ચ પર બેસી મરઘીઓને ચણ ખાતા જોઈ રહ્યા અને સંતાનોના નિર્ણયની રાહ જોવા લાગ્યા.
ખોરશેદ એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
જહાંગીરજી બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. રોશન અને ઝરીને જે વિચાર્યું તે આશ્ર્ચર્ય જનક હતું.
રોશન જે ઘરની વહુ હતી તેણે તેના ધણી સોરાબને કહ્યું, તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે. ઝરીન આ ઘરની જ એક દીકરી હતી. તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ માની કુખેથી અવતર્યા છીએ. તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે.
સોરાબ, રોશન અને ઝરીન ને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્ર્વાસથી. તેઓ ત્રણે બહાર આવ્યા. માતા પિતાની સામે ઉભા રહ્યા. સોરાબે રોશનને કહ્યું, જા રસોડામાં આજે સગનની સેવ બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું. રોશન રાંધણીમાં ચાલી ગઈ.
સોરાબના આ બોલ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી. સોરાબ અને ઝરીન બન્ને માતા પિતા પાસે આવ્યા. અને એમની આંખોમાં આંખ પરોવી દીધી. રોશન રાંધણીમાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની. સોરાબ અને ઝરીન માતા પિતાને પગે પડ્યા અને ચારેયની આંખમાં સાચે જ ચોમાસું બેસી ગયું.
સોરાબ ભાવુક હૃદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે. પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી. એ મિલકત છે તમે મારા માતા પિતા. સોરાબે મમ્મીને કહ્યું…. તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી?
સોરાબે પપ્પાને કહ્યું તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી? અરે, મને તો કાંઈ જોઈતું નથી. મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત અમારા મા-બાપ જ છે. આ સાંભળી ખોરશેદનું હૃદય ખુશીથી છલકાઈ ગયું અને એમણે મીઠા ઠપકાના સૂરમાં જહાંગીરજીને કહ્યું, મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે. જહાંગીરજી રડવાનું ખાળી ન શક્યા. દૂર ઉભેલી રોશન પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.
જહાંગીરજી એ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર સગનની સેવ બનાવજો.

Similar Posts

  • Mushkil Aasaan Behram Yazad Panaah Baad!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • Meherbai Celebrates Parsi Time’s Birthday

    To celebrate Parsi Time’s seventh Birthday, seven couples from Meherbai’s Mandli met at a restaurant called ‘Seven Seas’. The khanar-pinar group ordered Seven-Ups for all and seven fish-specialities of grilled baby-lobsters, spicy tiger-prawns, chilly-crabs, tandoori-squids, fried boomlas, Hydrabadi-pomfrets and jinga-biryanis. Banoo Batak:  Number seven is very significant. Even the human body changes every seven years; each and every atom…

  • Your Moonsign Janam Rashi This Week –
    18th November, 2017 – 24 November, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કુટુંબીક વ્યક્તિનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય બાબતમાં અચાનક ફાયદો મળશે. મળેલા ધનને ઈનવેસ્ટ કરજો. જે બાબતમાં ફાયદો મળતો હશે તે બાબત પહેલા કરજો. નવા કામકાજ કરી શકશો. કામકાજ કરતા હશો ત્યાર માન-ઈજ્જત વધી જશે. હાલમાં દરરોજ ‘સરોશ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07 July, 2018 – 13 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા 24મી જુલાઈ સુધી ચાલશે તેથી તમારે બ્લડપ્રેશર જેવી માંદગીથી સંભાળવું પડશે. નાની બાબતમાં મગજનું બેલેન્સ ગુમાવી દેશો. રોજના કામમાં સાથે કામ કરનારનો સાથ નહીં મળે. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાણાકીય લેતી દેતી કરવાની…

  • TechKnow With Tantra – Past Notifications

    We receive several notifications on our phones daily – sometimes we end up deleting the important ones by mistake, or sometimes we reboot our phones and lose all our notifications. Past Notifications, solves all that. Just install the application, give it the required permissions and you are good to go! Irrespective of whether you have…

  • પારસી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ

    પ્રાર્થના અને ધાર્મિક માન્યતા એ છે કે ધર્મ માત્ર તત્વજ્ઞાનથી અલગ પડે છે.  પ્રાર્થના અને ધાર્મિક વિધિઓથી આધ્યાત્મિક  ઉત્સવનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનો હેતુ સભાન જાગૃતતા પેદા કરવાનો છે, જે બદલામાં, આધ્યાત્મિક વિદ્યાનું સમજણ અને સમજૂતી જાણવા મળે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ પણ એક માધ્યમ પૂરું પાડે છે,…