તેલંગના લઘુમતી પંચે પારસી આરામ ઘર પરના અતિક્રમણ અહેવાલ માટે હાકલ કરી છે

ઓમિમ માનેકશા દેબારાએ કરેલી અરજીના આધારે, તેલંગના રાજ્ય લઘુમતી પંચ (ટીએસએમસી) એ નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને નિઝામાબાદ જિલ્લા, કાંટેશ્વર ગામમાં સ્થિત પારસી આરામ ઘરના કથિત અતિક્રમણ અંગે વિગતવાર અહેવાલ દાખલ કરવા માટે એક મહિનાની મંજૂરી આપી છે.
અરજી મુજબ, 1 એકર અને 39 ગુંટામાં ફેલાયેલ પારસી આરામ ઘર પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હતું, અને કથિત અતિક્રમણ કરનારાઓ દ્વારા મિલકતની અંદર અને તેની આસપાસ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.
અધ્યક્ષ મોહમ્મદ કમરૂદ્દીનની અધ્યક્ષતામાં ટીએસએમસીની વિશેષ સુનાવણી, વાઇસ ચેરમેન શંકર લ્યુક અને સભ્યો ગુસ્તી નોરીયા, ટી ગોપાલ રાવ અને સૈયદ રહીમની હાજરીમાં બોલાવવામાં આવી હતી. નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે આ મુદ્દે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો છે. સમાચારના અહેવાલો મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે પારસી આરામ ઘરની મિલકત પર ખાનગી કંપનીએ સાઇનબોર્ડ ઉભું કર્યું હતું તે ભૂલથી હતું. નિઝામાબાદ પોલીસે ટીએસએમસીને ખાતરી આપી છે કે તેમના ચાલુ રહેલી પ્રવૃતિને રોકવા માટે તેમના કર્મચારીઓ નજીકથી નિરીક્ષણ કરશે.
જિલ્લા વહીવટીતંત્રને 12 ડિસેમ્બર, 2020 ના રોજ અથવા તે પહેલાં એક વાસ્તવિક અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.

Similar Posts

  • From The Editor’s Desk

    Dear Readers, The topic of the hour – the reconsidered stand taken by the Valsad Parsi Anjuman, on the urging of the Supreme Court to allow intermarried Parsi women into places of religious worship – has, as expected, garnered conflicting reactions from our Community. The move, which is feared as the racial nemesis and religious…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 17; Lucky Card: Star): This is the time for you to take care of your health. Finances will be stable. You are an expert at what you do and…

  • પપ્પાનો પ્યાર

    સંદેહીએ મધ્યરાત્રિએ જ પોતાનું એમ.કોમ. પરીક્ષાનું પરિણામ જાણી લીધું હતું. એને ખબર હતી કે પિતા અમીત છ વાગ્યે એને જગાડવા આવશે અને કહેશે કે ‘બેટી સંદેહી! આજે તો જલ્દી ઉઠી જા! જરા મને કહે તો ખરી, તારા કેટલા ટકા માકર્સ આવ્યા છે? આમ છતાં એ ઉંઘી જવાનો ડોળ કરી પથારીમાં પડી રહી… સાડા છ વાગ્યા…

  • હફત એમેશાસ્પંદ – હપ્તન યશ્ત

    (ઝોરાસ્ટ્રિયનિઝમના અંશો સાથે – ખોજેસ્તે પી. મિસ્ત્રી દ્વારા એથનિક પરિપ્રેક્ષ્ય) આપણા વિશ્ર્વની બનાવટની વાર્તાને આગળ ધરીને, હોરમઝદએ સૌ પ્રથમ અમરત્વ ધારણ કરનાર છ અમેશાસ્પંદની રચના કરી અને સાતમા પોતે હોરમઝદ. નીચેની તેમની સાત રચનાઓ છે: 1. સપેન્તા મેન્યુ – હોરમઝદ – પુષ્કળ ભાવના 2. વોહુ મન – બહમન – સારૂં મન 3. આશા વહિસ્તા –…