ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી.
જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના
પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટીઓ – વિરાફ મહેતા અને ઝર્કસીસ દસ્તુર અને બીપીપી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા; વાપીઝના ટ્રસ્ટીઓ- ખોજેસ્તે મિસ્ત્રી, મહેર પંથકી અને વાપીઝના સીઈઓ – અનાહિતા દેસાઈ હાજર હતા. અનાહિતા દેસાઈએ નવીનીકરણ વિશે વાત કરી હતી અને ફૂલોથી સન્માનિત કરાયેલા ડોનર પરિવારો વિશે જણાવ્યું હતું. ત્યારબાદ ડોનરોએ તકતીનું અનાવરણ કર્યું અને સમુદાયના સભ્યોના ઉપયોગ માટે બંગલીઓને સત્તાવાર રીતે ખોલવા માટે રિબન કાપી હતી.
કાલાગોપી અને અડાજણિયા પરિવારોની ઉદારતાને કારણે આ નવીનીકરણ શક્ય બન્યું, જેમણે બેનેટ બંગલીના સંપૂર્ણ નવીનીકરણ માટે દાન આપ્યું, જેને સમારકામ અને નવીનીકરણની સખત જરૂર હતી. ધ ઝોરાસ્ટ્રિયન હોમિયોપેથિક ફાર્મસીના સ્થાપક અને માલિક કુલપતિ સેમ કાલાગોપીની આગેવાની હેઠળના કાલાગોપી
પરિવારે આ મોટા પ્રોજેક્ટની જવાબદારી લીધી. તેમની પુત્રી, ધન અને જમાઈ પોરસ વક્ષુર-બંને આર્કિટેકટ પ્રોજેકટનું આયોજન, ડિઝાઇનિંગ અને દેખરેખ હાથ ધરી હતી. ડૂંગરવાડીના ડાયનેમિક મેનેજર, વિસ્તાસ્પર મહેતાએ ઘણા મદદરૂપ સુચનો શેર કર્યા હતા જે લેઆઉટમાં સમાવિષ્ટ હતા. કોન્ટ્રાકટર – ખુશરૂએ સંપૂર્ણ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે લોકડાઉનના સમયમાં લાંબા કલાકો સુધી કામ કર્યું.
– હુફરીશ શ્રોફ દ્વારા

Similar Posts

  • મનુષ્યના જીવનમાં ક્ષમાનું મહત્વ!

    ક્ષમા માંગવી એ માનવ જીવનમાં ખૂબ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ ભૂલ કરે છે અને તે માટે તરત જ માફી માંગે છે, તો સામેની વ્યક્તિનો ગુસ્સો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. માફી માંગવી એ વ્યક્તિત્વની સારી ગુણવત્તા છે. એ જ રીતે, કોઈને માફ કરવું એ પણ સારી વ્યક્તિત્વની ઓળખ છે. જો કોઈ માણસ…

  • From the Editors Desk

    A Time To Pray… Dear Readers, India’s response to the second wave of the deadly pandemic, much like the virus itself, has mutated from grappling with the virus, to crumbling under its predominance over our efforts… to helplessly watching the near collapse of the systems that were supposed to protect us. India continues to lead…

  • Cawas Sorabji Panthaki – A Tribute

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Cawas Sorabji Panthaki, our highly regarded BPP CEO, and a much respected and loved member of our community, passed away on 14th August, 2020, at 6:15 am, at Reliance Foundation Hospital, after braving a long and difficult illness. BPP Trustee Kersi Randeria shares a tribute… [/otw_shortcode_info_box] The loss of Cawassa (as I would…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 April, 2019 – 12 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 13મીથી સુર્યની દિનદશા શરૂ થતા સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગહવાના ચાન્સ છે. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ પર કાબુ નહીં રખાવે….

  • ‘WAIST’ Management

    The Community’s Leading  Men’s Fashion Designer & Consultant  “That’s not my waist size! I’m certain it is 3 to 4 inches lesser!” That’s a line I regularly hear from my customers! Most of us know specific measurements (in inches and/or cms) when it comes to detailing the right lengths of our trousers… preferably just touching…