હોળી પુજન

હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્ર્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો.
હિરણ્યકશ્યપુુુનો પોતાનો પૂત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એને પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્ર્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઈશ્ર્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદેશથી પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપુુુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપુુનો વધ કરે છે.
આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં
આવે છે.

Similar Posts

  • કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

    શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી. એક દિવસ સવારે દાદરો ઉતરતી…

  • Vendidad – The Law Against Forces of Evil

    Among ancient Zoroastrian sacred texts, the Vendidad is probably the most significant – both historically and liturgically, and yet, it is condemned as an outdated ‘Zoroastrian Penal Code’ and the work of babbling Magi priests obsessed with imaginary demons and magic. Even today, many question the historical significance of the Vendidad. Let us understand that it is the only Nask or…

  • મા બાપને ભુલશો નહીં!

    એક વૃધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે. જજે પૂછ્યું તમારો કેસ કોની વિરુધ્ધ છે? તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ. જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે? વૃધ્ધ કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું. જજે કહ્યું : આ તો…

  • હસો મારી સાથે

    જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો… વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’ આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’ સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’ *** લાલુભાઈ હજામની…