|

પારસી કોવિડ પીડિતોની દોખ્મેનશીની માટે અમદાવાદના દોખ્મા પર સ્ટીલ વાયર નેટ ફીટ કરવામાં આવી

ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતે કોવિડ 19નો ભોગ બનેલા મૃત પારસીઓ માટે દોખ્મેનશીની પ્રથા હાથ ધરવાની મંજૂરી આપી છે, આ શરતે કે તેઓને અલગ દોખ્મામાં રાખવામાં આવે દોખ્માને પક્ષીઓની જાળીથી ઢાંકવામાં આવે જેનાથી પક્ષીઓ અંદર ન જઈ શકે અને અવશેષોને ખુલ્લી જગ્યામાં ફેલાવે નહીં.
ઉપરોક્ત દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પારસી પંચાયત (એપીપી) એ અમદાવાદના જશોદાનગર ખાતે સ્થિત ડુંગરવાડી ખાતે તેના એક દોખ્મા પર સ્ટીલ વાયરની જાળી લગાવવાનું મુશ્કેલ કાર્ય પાર પાડયું. જેઓ કોવિડ-19નો ભોગ બન્યા તે લોકો માટે આ દોખ્મું પારસીઓની દોખ્મેનશીની માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે.
બોમી મિસ્ત્રી અને તેમની ટીમ (જેમાં સાયરસ બચા, નોઝર સુતરીયા, ખુશરૂ ભરૂચા, બુરઝીન માંડવીવાલા, સરોષ ગાંધી, વૈશ ભોપતી અને અર્દાવિરાફ કારભારીનો સમાવેશ થાય છે) ના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોની એક મહેનતુ ટીમ (મુખ્યત્વે મુંબઈથી) દ્વારા આ કપરું કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. આ ટીમે એક અઠવાડિયા સુધી દિવસભર લાંબા કલાકો કામ કર્યું હતું. સખત ગરમીની સ્થિતિમાં, 15 ફૂટની સીડી ઉપર, તેમના દ્વારા નિર્ધારિત સમયની અંદર કામ કરવામાં આવ્યું હતું, આમ પ્રશંસનીય સમુદાય સેવા પ્રદાન કરવામાં આવી હતી. બ્રિગેડ. (નિવૃત્ત) જહાંગીર પી. અંકલેસરિયા, એપીપીના વીએસએમ પ્રમુખ ટ્રસ્ટી, સમિતિના સભ્યો – હોશંગ કરંજિયા અને સરોષ કરકરીયા અને તમામ નસેસલારો (પોલ-બેરર્સ) પણ સવારથી સાંજ સુધી સમગ્ર પ્રોજેક્ટ માટે સમર્પિત હતા.
આવી જ કામગીરી અગાઉ મુંબઈ અને સુરતના દોખ્માઓમાં પણ હાથ ધરવામાં આવી હતી.

Similar Posts

  • Letters to the Editor

    Congratulations to BPP Trustees for their wise, bold and progressive move to bring peace, harmony and happiness in our peace-loving Community! We all share a fundamental wish to live a happy life with peace and harmony. Poverty, illiteracy and over population hinder progress and development. Luckily, we are a small community, affluent in status and highly…

  • Budget 2021: What You Need To Know

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Marzee Kerawala is a Certified Financial Planner with expertise in Income Tax and Investment products. Managing assets worth over Rs. 4 Billion, his firm ‘NiveshIndia’, designs Tailored Investment Strategy through Customised Financial Planning for individuals and NRIs, and also handles Treasury Management for corporates and SMEs. You can contact him at +91 9987567667 or Email: marzeek@niveshindia.co.in [Website…

  • અસ્પે સિયાહી અને યથા અહુ વરીયો

    કયાનીયન રાજા વિસ્તાસ્પના દરબારમાં, જરથુસ્ત્રને એક ઉચ્ચ પદ આપવામાં આવ્યું હતું. તેમને રાજાના બાજુની જગા પર એક ખાસ ગાદી પર તેમના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી વિસ્તાસ્પના દરબારના અન્ય દરબારીઓમાં ઈર્ષ્યા જન્મી. તેઓએ એક કાવતરૂં રચ્યું, જેમાં તેઓએ જરથુસ્ત્રને એક દુષ્ટ જાદુગર તરીકે સાબિત કર્યા, જે કાળા જાદુ કરતા હતા. રાજાએ તેને કેદ કરી…

  • પાઈનેપલ કેક કુકરમાં

    સામગ્રી: 1 નંગ પાઈનેપલ (7-8 પીસ), 1 વાટકો મેંદો, 1/2 કપ તેલ, 1 કપ દહીં, 1 કપ ખાંડ, 1 પેકેટ ઇનો, જરૂર મુજબ દૂધ, 2 ડ્રોપ પાઈનેપલ એસેન્સ 6-7 નંગ ચેરી, કેરેમલ સીરપ માટે 1 કપ ખાંડ. રીત: સૌથી પહેલા કેરેમલ સીરપ બનાવવા માટે તપેલીમાં ખાંડ લઇ ધીમી આંચ પર ગરમ મૂકો. ફકત ખાંડ લેવાની…

  • ગુલકંદ

    ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ…