આરોગ્યમ ધનસંપદા: શારીરિક અને માનસિક કસરત કરો

તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારૂં ભૌતિક શરીર સારું હોવું જરૂરી છે. તમે તમામ આયોજન કર્યું છે, એક મોટા ધ્યેયની કલ્પના કરી છે અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તમે તમારા શરીરનું કયારે ધ્યાન નથી રાખ્યું. તમારૂં શરીર તમારા જીવનની સફરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. તેને સારી સ્થિતિમાં રાખવા માટે, તમારે શારીરિક અને માનસિક રીતે કસરત કરવાની જરૂર છે. તમારે કેટલીક સારી આદતો વિકસાવવાની જરૂર છે.
જો તમે એ જ કામ કરશો જે તમે અત્યાર સુધી કર્યું છે, તો તમને એ જ મળશે જે તમે અત્યાર સુધી મેળવ્યું છે. જો તમારે કંઈક સારું મેળવવું હોય, તો તમારે સારી વસ્તુઓ અપનાવવાની, સારી ટેવો બનાવવાની જરૂરી છે
1. સવારે વહેલા ઉઠો: તમે જ્યારે શાળામાં હતા ત્યારે આ કહેવત સાંભળી હશે, વહેલા સૂવો, વહેલા ઉઠો, જ્ઞાન, આરોગ્ય, સંપત્તિ મેળવો! વહેલા જાગવાના ઘણા ફાયદા છે. વહેલા જાગવાથી તમારા શરીરમાંથી આળસ દૂર થાય છે અને તમે ઉર્જાવાન અનુભવો છો. સવારે વહેલા જાગવાથી તમે તમારા કામની યોજના બનાવી શકો છો. સવારે વહેલા ઉઠવાથી તમને સારો આત્મવિશ્વાસ મળે છે. સવારે વહેલા જાગવાથી તમારી એકાગ્રતા વધે છે. સવારે વહેલા જાગવાથી તમને અન્ય કરતા વધુ સમય મળે છે.
2. સવારે ઉઠીને ચાલવાની કસરત, જોગિંગ કરો: સવારે વહેલા ઉઠ્યા પછી અને પ્રકૃતિમાં ચાલવા, જોગિંગ કર્યા પછી, શરીરને સારી ઉર્જા મળે છે. જેમ જેમ તમને પ્રકૃતિમાંથી શુદ્ધ હવા મળે છે તેમ તેમ તમારા શ્ર્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. તેમજ ચાલવાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કે તેને લગતી બીમારીઓ દૂર થઈ જાય છે. ચાલવા જેવી સારી કોઈ કસરત નથી. જો તમે સવારે ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ ચાલશો તો તમે દિવસભર ઉર્જાવાન અને ફ્રેશ રહેશો. તો આજથી વહેલા ઉઠો અને ફરવા જાવ.
3. દરરોજ પ્રાણાયામ કરો: ચાલો દરરોજ સવારે ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ-વિલોમ અવશ્ય કરો. આમ કરવાથી તમારા ફેફસાં અને લીવરની કાર્યક્ષમતા વધે છે. જેના કારણે તમારૂં પેટ સાફ રહે છે. તે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ, અસ્થમા, માથાનો દુખાવો અને સ્ત્રીઓના રોગોને મટાડવામાં પણ મદદ કરે છે.
4. દરરોજ ઓછામાં ઓછા દસથી વીસ મિનિટ ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો: ધ્યાન અથવા પ્રાર્થના કરવાથી મનની એકાગ્રતા વધે છે. તેમજ માનસિક તણાવ અને હતાશા દૂર થાય છે. ધ્યાન તમારા મનને શાંત કરે છે. તે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. સવારે પ્રાણાયામ અને ધ્યાન કરવાથી તમારા પેટની બળતરા ઓછી થાય છે અને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તમારા પારિવારિક સંબંધો પર પણ તેની સારી અસર પડે છે.

Similar Posts

  • From the Editors Desk

    7 Community Vaccines For 2021! Even before the pandemic hit us, we’ve been living unknowingly, through a number of somewhat equally distressing and harmful plagues… only, these are mental, emotional and behavioural in nature, as opposed to the deadly pathogenic invasion, that is the novel coronavirus. We inadvertently house these hidden contagions, which, like the…

  • Reveiw: POSTER BOYS

    The last time a film was made  on vasectomy was four  decades ago. The maverick comedian I. S. Johar had made one of his famed spoofs on the  male sterilisation programme, only to see its release delayed till the Emergency ended. Now, on the heels of ‘Shubh Mangal Saavdhan’ (based on erectile dysfunction) comes this…

  • Iran’s Ardakan City Nominated For UNESCO Status

    Ardakan, the capital city of Ardakan County, and second major city in Iran’s Yazd Province, has applied for membership and been nominated in the UNESCO Global Network of Learning Cities. Two other Iranian cities – namely Hamedan and Kelardasht, have also been nominated alongside Ardakan.  The historic city of Ardakan, located 60 kms from Yazd, is one…

  • A Salute To The Family Doctor!

    The family physician or family doctor is a vanishing breed. Young new doctors don’t seem interested in ‘family medicine’ anymore. Way back in August 2019, the Times of India reported that the General Physicians Association (GPA)’s Greater Mumbai branch had 3,000 members, while the Indian Medical Association (IMA)’s Mumbai list had 13,000 doctors. Apparently, the…

  • નૂડલ્સ કટલેટ

    સામગ્રી: નૂડલ્સ, બ્રેડ સ્લાઇસ, મેંદો, ડુંગળી, લીલા મરચાં, આદુ, મીઠું, કાળા મરીનો પાઉડર. બનાવવાની રીત: નૂડલ્સને ઉકાળીને તેમાંથી પાણી કાઢીને તેને બાજુએ મૂકી દો. હવે મેંદામાં કાપેલી ડુંગળી, લીલા મરચાં, આદુ, કાળા મરીનો પાવડર અને મીઠું નાંખી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ઉકાળેલા નૂડલ્સ નાંખી મસાલો મિક્સ કરો. હવે સૂકી બ્રેડ સ્લાઇસને મિક્સીમાં પીસીને તેનો…

  • Don’t Miss The ‘Elton John & Whitney Houston Tribute Show’

    Raell Padamsee’s ACE Productions premieres a tribute show featuring some of most popular and classic hits of two great music legends – Elton John and Whitney Houston. Directed by music theatre personality Karla Singh, the ‘Elton John & Whitney Houston Tribute Show’ will feature four of Mumbai’s brilliantly talented singers – Siddharth Meghani, Shahriyar Atai,…