એકસવાયઝેડ ૧૨,૧૯૯ પગલાં ભરે છે!

xyz-3એકસવાયઝેડની (એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયન્સ) એમએડી (મેકિંગ અ ડિફરન્સ) ‘એકસવાયઝેડ સ્ટેપિંગ ફોરવર્ડ’ નામની જૂતાં એકઠા કરવાની અનોખી પહેલ રવિવાર, બીજી ઓકટોબર, ૨૦૧૬ના દિવસે યોજાઈ હતી. આ ઝુંબેશમાં એકસવાયઝેડના સભ્યો સ્વયંસેકવકો તથા મિત્રોના સહયોગમાં ૧૨, ૧૯૯ જોડી પગરખાં એકઠાં કરીને એવા ઓછા નસીબવાન લોકોને આપ્યા હતા, જેઓ એ ખરીદી શકતા નથી. આ અદભુત ઈવેન્ટના એકસકલુઝિવ મિડિયા પાર્ટનર બનવાનો ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ છે.

એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયનના પાંચથી ૧૫વર્ષની ઉંમર વચ્ચેના ૧૦૦થી વધુ સભ્યો, તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે મુંબઈમાં સવારે સાડા નવ વાગ્યાથી સાડાબાર વાગ્યા દરમિયાન ૨૧ જુદી જુદી કોલોની/સ્થળોએ ફરીને માત્ર ત્રણ કલાકમાં અધધ કહી શકાય એટલા ૧૨,૯૯૯ જોડી પગરખાં એકઠાં કર્યા હતા! હમારા ફૂટાથ, ગ્રીનસોલ, એન્જલ એકસ્પ્રેસ ફાઉન્ડેશન, ડબલ્યુડબલ્યુએચ (વી વીલ હેલ્પ ચેરિટેબલ ફાઉન્ડેશન) ટ્રસ્ટ (આરે મિલ્ક કોલોની, ઓસ્કાર ફાઉન્ડેશન તથા અન્ય બિન સરકારી સંસ્થાઓને આ પગરખાં ઓછા નસીબદાર એવા લોકોમાં નિ:શુલ્ક વિતરિત કરવા આપ્યાં હતાં, જેથી તેમના જીવનમાંની મુશ્કેલીઓ થોડી ઓછી થાય. એકસવાયઝેડના સ્થાપક હોશંગ ગોટલાએ જણાવ્યું હતું કે, ‘ઓછા નસીબદાર લોકોની સેવા કરવાની શીખ આ પહેલ દ્વારા આપણી કોમનાં બચ્ચાંઓને મળે છે. અમે આ પહેલની શ‚આત આપણી કોમમાંથી જ કરી હતી અને અમારા પોતાના ઘરમાંથી પગરખાં એકઠાં કરીને તેનો આરંભ કરાયો હતો. ગયા મહિનામાં આ સંદેશ તેમના વાચકોમાં ફેલાવવા બદલ અમે પારસી ટાઈમ્સનો વિશેષ આભાર માનીએ છીએ. પગરખાં દાન કરવાની આ ઝુંબેશ વિશે વાંચ્યા બાદ, થાણેમાંના પારસીઓએ ૨૦૦થી વધુ જોડી પગરખાં એકઠાં કર્યા હતાં અને દિલ્હીમાંના પારસીઓ ઓકટોબર મહિનાના અંતમાં આવું અભિયાન હાથ ધરવાના છે! અમે આશા રાખીયે છીએ કે આપણી નાનકડી કોમનાં બાળકો આપણને સાથે બાંધી રાખે છે તથા એકજૂટ થઈને જ‚રિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા આપણને સમર્થ બનાવે છે.

ફાઉન્ડેશને અત્યાર સુધીમાં રોકડ દાન તરીકે ‚પિયા એક લાખ એકત્ર કર્યા છે (દરેક પગરખાંના ૨૦૦ ‚પિયા), જેનો ઉપયોગ ૩૦૦ કરતાં વધારે બાળકોને નવા નક્કોર ફૂટબોલ સ્ટડ્સ અને સ્ટોકિંગ્સ પૂરાં પાડવા માટે થશે, આ ઉપરાંત ‘જયપૂર ફૂટ’ તરીકે ઓળખાતા કૃત્રિમ અંગની ૨૦ જોડનું દાન કરવામાં આવશે. એટલું જ નહીં, દાદરના ૧૧મા સીબીડીએ સ્કાઉટ ગ્રુપનો પણ તેમના સહકાર બદલ તથા આપણી કોમના એ લોકો જેમણે પોતાના ઘર અને દિલના દરવાજા ખોલી પગરખાં એકઠાં કરવામાં મદદ કરી છે તેમનો પણ આભાર.

એકસવાયઝેડ ફાઉન્ડેશન મુંબઈની વિવિધ શાળાઓમાં આ પહેલનો બીજો તબકકો શ‚ કરશે. ‘મોટા પરિવર્તનની શ‚આત એક નાના પગલાથી થાય છે અને અમે એ દેખાડવા માગીએ છીએ કે, આપણી નાનકડી કોમ પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અમારા પ્રથમ પ્રયાસને મળેલી અસાધારણ સફળતા જોતાં આ પહેલનો બીજો તબકકો હજી વધુ મોટા પાયે થશે અને તેમાં એકસવાયઝેડના સભ્યો ઉપરાંત મુંબઈની શાળાઓનો સમાવેશ કરી લેવાશે. આ ઝુંબેશમાં કોર્પોરેટ્સનો સહયોગ મળે તો ખૂબ જ સા‚ં રહેશે, જેથી આ પહેલ વધુ જ‚રિયાતમંદો સુધી પહોંચી શકે’, એમ ગોટલા કહે છે.

Similar Posts

  • ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય

    ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો….

  • નિષ્ફળતા એ સફળતાનો જ એક ભાગ છે!

    એક માણસ હતો, તે તેના જિંદગીમાં ખૂબ દુ:ખી હતો. નોકરી પણ સારી ન હતી, પરિવારનું ભરણપોષણ કરવા માટે નોકરી પણ તે મજબૂરીમાં કરતો હતો, આ સિવાય પોતાની પાસે બચત ન હોવાને કારણે કાયમ દુ:ખી દુ:ખી રહેતો. અને મહિનાના અંતે જે પગાર આવતો તે બધો ઘર ખર્ચમાં જ વપરાઈ જતો, અને પોતાના કોઈ શોખ પૂરા કરી…

  • કપટ

    કેયૂર શહેરની કોલેજમાં ભણવા ગયો ત્યારે લગભગ આખું ગામ એને ગામના બસસ્ટેન્ડ સુધી વળાવા આવ્યું હતું કેમ કે ગામમાંથી કોલેજ કરવા જનારો એ એકલો જ હતો! બાકીના બધાં કા તો ગામની શાળામાં સાત સુધી ભણેલા કે વેરાવળની હાઈસ્કૂલમાં અગિયાર સુધી ભણેલા પણ સાયન્સ કોલેજમાં જનાર તો કેયૂર જ હતો એ કોલેજમાં ભણવા ગયો એના બીજા…

  • બીજા બધા દેશાગમનો નિષ્ફળ ગયા હતા

    ઈતિહાસીક ટેકો કીસ્સે સંજાનના બ્યાનને કેટલો બધો છે તે જાણવા મળે છે. હિન્દમાં પારસીઓની આમદ દસ્તુરે દસ્તુરાન દહયુપત નૈરયોસંઘની સરદારી હેઠળ થઈ તે વિશેની ઈલ્મે ક્ષ્નુમ પ્રમાણેની બાબદો ઘણીજ ઉત્તમ છે. બુનક પાસ્બાની અને દિનની હીફાઝત બહેરામે વરઝાવંદ આવે ત્યાં સુધી થઈ શકે તે માટે તો પારસીઓ હિન્દમાં આવ્યા હતા. જેઓના શરીરના અણુએ અણુમાં પારસીપણું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 June, 2019 – 14 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • સ્ત્રીનું જીવન: સ્ત્રીઓ વાંચવાનું ચુકતા નહિં

    એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની…