તંત્રીની કલમે
જમશેદી નવરોઝ મુબારક વ્હાલાં વાંચકો, દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં…
