ગવ-પત-શાહ (ગોપતશાહ)
આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે….
