જમીન, પાણી હવા અને આતશ તરફની આપણા પારસીપણા તરીકેની ફરજ
આપણી આજુબાજુની પેદાયશોમાં આપણા માણસ ભાઈબંધ અને પ્રાણીઓ પછી, જમીન પાણી હવા અને આતશ, આપણું ખાસ ધ્યાન ખેંચે છે. માણસ અને પ્રાણી એ બેઉના ઉપયોગ માટે અહુરમઝદની એ નેયામતો અગત્યની છે. અને તેઓ તરફ આપણે કેટલીક ફરજથી બંધાયેલા છીએ. ફરજ એટલે અહુરમઝદની નેયામતો સ્વચ્છ અને સાફ રહે અને તે પૂરતા જથ્થામાં સર્વ જાનદાર પેદાયશને મળે,…
