બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

Motlibai૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી.
૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે પુત્રો નવરોજી અને નશરવાનજી માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેઓ એક અલાયદું જીવન જીવી રહ્યાં હતાં. તે ભાગ્યે જ પોતાના નિવાસ સ્થાનને છોડીને જતા હતા.
તેવણનું જીવન એમ જ ચાલ્યા રાખ્યું હોત અગર એમના પિતા મૃત્યુ ન પામ્યા હોત. જ્યારે તે ૩૧ વરસના હતા ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા અને ઘર સંભાળવાની જિમ્મેદારી તેમના માથા પર આવી ગઈ હતી. મોટલીબાઈએ ફકત પ્રાથમિક શિક્ષણ લીધું હતું પણ કામ કરવાની સૂઝ અને કરકસર તેમના ધંધા માટે ફળદાયી નીવડી હતી. વાડિયા સામ્રાજ્ય વિસ્તરી શકે તે માટે ૧૮૬૩માં એમણે પોતાના બન્ને સંતાનોને યુરોપ મોકલ્યા હતા. ૧૮૬૪-૧૮૬૫ દરમ્યાન જ્યારે શેર-મેનિયાના ઉદ્યોગો તૂટી પડયા હતા ત્યારે ભારે નુકસાન થતા પણ તેમનામા બિઝનેસ કરવાની કુશળતાને લીધે તે ટકી ગયાં હતાં.
તે ઘણાં જ ધાર્મિક મહિલા હતા. તેમના જીવનકાળ દરમિયાન બાજ-રોજગાર અને અન્ય વિવિધ કામગીરી માટે તેમણે નાણા સાચવી રાખ્યા હતા. ઘણી દરેમહેરની જાળવણી માટે એમણે મોટી રકમો આપી હતી, નવસારી ખાતે વડી દરેમહેર અને ફોર્ટ વિસ્તારમાંની એક દરેમહેર, એમના પિતા જહાંગીર નશરવાનજી વાડિયાની યાદમાં બનાવી હતી. ૧૮૯૪માં તેમણે ઉદવાડા આતશ બહેરામનું પુન:બાંધકામ કરાવ્યું હતું અને મકાનના ભાવિ નિભાવ માટે પણ નાણાઓ બાજુએ મૂકી રાખ્યા હતા. ઉદવાડા સ્ટેશનથી ત્રણ માઈલનો રસ્તો બનાવવાના પૈસા તેમણે ગર્વમેન્ટ પાસે જમા કરાવ્યા હતા. બીજી પણ સખાવતો કરી હતી. જેમાં માહિમ ખાતે એક દવાખાનું તથા બાઈ મોટલીબાઈ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
તેમણે જે.એન. પીટીટ પારસી બોયઝ અનાથાલયને જમીન અને નાણાકીય રીતે મદદ કરી. સુરતના નાગરિકો જે આગ દ્વારા પીડિત હતા તે લોકોને ઉદારતાપૂર્વક ફાળો આપ્યો તથા પારસી પંચાયત ફંડ માટે પણ ફાળો આપ્યો હતો. તેમણે ઘણા ગરીબ પરિવારોને વેતન ચૂકવી ટેકો આપ્યો હતો.
મોટલીબાઈ પાસે જૂના સિક્કાનો સુંદર સંગ્રહ હતો અને તેમનું સ્વપ્ન હતું કે તે સિકકા રાણી વિકટોરિયાને ભેટ આપવાનો. પણ જીવતાજીવત એ સ્વપ્ન પૂ‚ં નહીં થયું અને એમના મૃત્યુ પછી એમના દીકરા નવરોજીએ તે સ્વપ્ન પૂ‚ં કર્યુ હતું.
સ્વીકૃતિ: કાવસજી ટોક્ષી, માસ્યાની પુત્રી, ‘હોલ ઓફ ફેમ’ ૭મી વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન કોંગ્રેસ ડિસેમ્બર ૨૮, ૨૦૦૦જાન્યુઆરી ૧, ૨૦૦૧, ફરી છાપવા લેખકની પરવાનગી.

Similar Posts

  • ગ્લોબલ ઇરાનશાહ પહેલ

    ‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર,…

  • મટર કબાબ

    સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ,…

  • સુરતે નવરોઝની ઉજવણી પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી કરી

    તા. 21મી માર્ચ, 2019ને દિને સુરતના ધ જમશેદી નવરોઝ ફંડ કમીટી, પારસી પ્રગતી મંડળ અને ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસોસીએશન સુરતના પારસી સમુદાયને સાથે લાવી જમશેદી નવરોઝની ઉજવણી સાથે પુલવામાના (17મી માર્ચ, 2019) શહીદોને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. ત્રીસ વર્ષ સુધીના સહભાગીઓ મળીને દેશભક્તિના થીમ સાથે પ્રતિભા સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે કરવામાં આવી…

  • |

    વધુ સંખ્યામાં લગ્ન: પારસી કોમની આજની જરત

     ‘લગ્ન સફળ ત્યારેજ કહેવાય કે સાંજે પતિ પોતાના કામ પરથી આનંદ સાથે પરત આવે ને પત્ની જ્યારે પતિ કામ પર જાય તે વખતે વ્યથિત હોય કારણ કે તે હવે પતિને માત્ર સાંજે મળી શકશે.’ -માર્થિન લૂથર કીંગ પારસીઓ જેમની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે તે કોમ અજોડ છે. જિંદગી જીવી જાણે છે. આપણું ધ્યાન…

  • હસો મારી સાથે

    બબલીની સખીએ પુછયું, તારી આંખો કેમ આટલી બધી સુઝેલી લાગે છે? બબલી બોલી: મારા પતિ આજકાલ ખૂબ માંદા છે આખી રાત જાગવું પડે છે સખીએ કહ્યું, આખી રાત જાગવું પડે તો એકાદ નર્સ કેમ નથી રાખી લેતી? બબલી બોલી: રાખી છે એટલે જ તો જાગવું પડે છે. *** બબલી: પત્ની અને ઘડીયાળમાં શું ફરક છે?…

  • દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી

    ત્યારે આપણ સર્વએ ફકત સાત નેકીઓ જ નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ બે દુનિયા યા બે જીંદગી માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે આ દુનિયા અથવા આ જીંદગી બીજી માટે બોલીએ છીએ કે બીજી દુનિયા અથવા બીજી જીંદગી…