જો તમારો જન્મ જૂનની ૦૪થી તારીખે થયો હોય તો

તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેશે. તમારી પાસે આવેલા પૈસાને વાપરવામાં જરાય ચિંતા નહીં કરો. અચાનક ધન મળતાં અને ગુમાવતાં વાર નહીં લાગે. તમારા વિચારો હમેશા પ્રગતિશીલ હશે. તમે હમેશા નવી નવી યોજનાઓ ઘડશો. તમારા માટે એન્જિનિયરિંગ કે આર્કિટેકચરની લાઈન વધુ યોગ્ય રહેશે. તમે ન ધારેલા બનાવો બનશે, તમા‚ં વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે, નવી નવી વ્યક્તિઓને મળવાનું મન થશે. કોઈ પણ રાજદ્વારી કે સામાજિક સમસ્યાનો નિકાલ ખૂબ જ સરળતાથી લાવી શકશો. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મતભેદ થશે. તમને જ્યોતિષશાસ્ત્ર કે ગૂઢવિદ્યામાં પણ રસ રહેશે. તમે તમારા વિચારોમાં જ ખોવાયેલા રહેશો. તમને કોર્ટ કજિયા થશે. તમને ઔષધિનું જ્ઞાન લેવાનું મન થશે. સ્વભાવે જિદ્દી રહેશો. શરદી-કફથી સંભાળવું.

શુભ રંગ: લીલો, શુભ નંગ: ટરકોઈઝ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૪, ૧૩, ૨૦, ૨૨, ૨૮, ૩૧, ૩૮, ૪૦, ૪૧, ૪૮, ૪૯, ૫૩, ૫૮, ૬૩, ૬૫, ૬૭, ૭૦, ૭૪, ૭૬.

Similar Posts

  • વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

    4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા. નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને…

  • મહેર અખંડિતતા સ્થાપિત કરે છે

    આ વર્ષે, મહેરાંગન (રોજ મહેર, માહ મહેર) શેહેનશાહી કેલેન્ડર મુજબ, 27મી ફેબ્રુઆરી, 2022 ના રોજ પડે છે. આ તહેવાર અંધકારની શક્તિઓ પર પ્રકાશની અને અનિષ્ટની શક્તિઓ પર સારાની જીતની યાદમાં છે. તે દિવસ છે જ્યારે સુપ્રસિદ્ધ આધ્યાત્મિક રાજા, શાહ ફરિદુન, ઝોહક અથવા અઝી દાહક, અનિષ્ટના પ્રતીકને, ઈરાનમાં દેમાવંદ નામના તે મહાન આધ્યાત્મિક પર્વત સાથે જોડે…

  • સંપૂર્ણ રિનોવેટેડ અસલાજી અગિયારી જશનમાં ભક્તોનું સ્વાગત કરે છે

    સંપૂર્ણ રીતે ર્જીણોદ્ધાર કરાયેલ અસલાજી ભીખાજી દરેમહેરે 31મી જુલાઈ, 2022 (રોજ બેહરામ, માહ અસ્ફંદાર્મદ; ય.ઝ. 1391) ના રોજ ભવ્યરીતે 173માં સાલગ્રેહની ઉજવણી કરી હતી, આંનદીત ભકતો સાથે સવારે 9:00 કલાકે હમા અંજુમનનું જશન અસલાજી અગિયારીના પંથકી નરીમાન પંથકી તથા ફરહાદ બગલી, એરવદ એરિક ઉનવાલા અને એરવદ યઝદ બગલી દ્વારા કરવામાં આવ્યું હતું. અગિયારી ખૂબ જ…

  • શિરીન

    તે ત્યારે એક અફસોસની હાય તે ચેરીઝ જેવા હોથોમાંથી સરી પડી ને ઉલટથી તેણીએ એક બીજો પાસો ફેંકી જોયો. ‘મારી…મારી જગ્યા પર નહીં તો કદાચ તમારા કાસલમાં તમો તેણીને કોઈ બીજી નોકરી અપાવી શકો?’ ‘તે પણ બનવું મુશ્કેલ છે કારણ કે એક વખતમાં મારા જેવા ભીખારડા સાથ તેણી વાત કરવા શરમાતી હતી, તેવી છોકરીને કદી…

  • ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

    આપણા સમુદાયના આધ્યાત્મિક રાજા ઈરાનશાહનું તા. 14મી ડિસેમ્બર, 2021ના રોજ સમારકામ અને નવીનીકરણનું કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. માહના રોજ હોર્મુઝદ (સુપ્રમ દિવ્યતાને સમર્પિત) પર પવિત્ર અગ્નિને ફરીથી પવિત્ર કરાયેલા ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. અમરદાદ (શાશ્ર્વતતાના દિવ્યતાને સમર્પિત). અહુરા મઝદાના આશીર્વાદ પાક ઈરાનશાહ દ્વારા સમગ્ર સમુદાય અને આ વિશ્વ પર અનંતકાળ સુધી વરસતા રહે…

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…