શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે હયાત આવવાથી જાનની શક્તિ ઉભી થાય છે. ઈન્સાનનો દરેક ભોગવટો અને બલિહારી આ જાન અને તેની છ શક્તિઓથી જ છે, જેનું વર્ણન આપણાં બુલંદ પાજંદ ભણતર ‘દુવા નામ સેતાયશ્ન’માં મળે છે. ત્યાં આપણે ભણીયે છીએ કે ‘અવીજેહ દારમ ખુદી આસ્નીદેહ-કુનશ્ન પાહરીજશ્ન, પાક શશ જોરાન-ઈ જાન-કુનશ્ન, ગવશ્ના, મીનશ્ન વ વીર, વ હોશ, વ ખેરદ’ એટલે કે ‘ખુદીની જાતિ કરણીથી તથા પરહેજીથી જાન (યાને ઉશ્તાન)ની પવિત્ર છ શક્તિઓ કરણી, વાચા, મીથ્ર (વિચાર) પાયદારી, ભાન, તથા ડહાપણ ને ખાલેસ રાખુ છુ.’

ત્યારે એક ઈન્સાનને આપણે જીવતો જાગતો હાલતો ચાલતો પુર ભાન સહિત વિચાર-વચન અને કાર્યો કરતો જોઈએ છીએ, તે આ અઝદ શરીરમાં થતા બે જાતની ગરમીઓના દોરનાં વર્તુળમાં ઉશ્તાનનું જોડાણ થવે ઉભા થતા ‘જાન’ના પ્રભાવથી જ છે.

Similar Posts

  • ખાંસીનો ઉપદ્રવ

    અત્યારે મોસમ બદલાઈ રહી છે. કડકડતી ઠંડીને કારણે કફ અને ખાંસીએ ઉપદ્રવ મચાવ્યો છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરા સુધી દરેકને થોડા ઘણા અંશે આ બીમારી હેરાન તો કરતી જ રહે છે. તમે આ બીમારીને દૂર ભગાવવા ઘરે જ પોતાની જાતે એક સિરપ બનાવી શકો છો. 250 મિલી લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ, સૂંઠના બદલે તમે…

  • કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

    1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા…

  • ડોકટર મઝદા – દહાણુંના ફલાઈંગ ડોકટરની છેલ્લી ઉડાન

    દહાણું ઘોલવડમાં રહેતા ડો. બહેરામશા મઝદા જેમને લોકો ફલાઈંગ ડોકટર તરીકે પણ ઓળખતા હતા. મુંબઈની હોસ્પિટલમાં કોવિડને કારણે 62 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું એમના કુટુંબમાં છે એમની પત્ની રોકસાના અને એમનું પ્રિય પેટ પગ. સોલાપુરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રીથી સજ્જ, ડો. મઝદાએ દહાણુના ઇરાની રોડ પરના તેમના ક્લિનિકમાં દરિયાકાંઠાના શહેરના દર્દીઓની સેવા…

  • વિશ્ર્વવના અગ્રણી જ્યોતિષી બેજન દારૂવાલાનું નિધન

    વિશ્ર્વના સૌથી પ્રખ્યાત જ્યોતિષવિદ્ય બેજન દારૂવાલાનું 29મી મે, 2020ના રોજ 88 વર્ષની વયે, અમદાવાદની એપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેમને શ્ર્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના કુટુંબમાં તેમની પત્ની, ગુલી જે એક પ્રખ્યાત ટેરોટ કાર્ડ રીડર છે અને તેમના પુત્રો નાસ્તુર જે એક અગ્રણી જ્યોતિષવિદ્ય છે અને ચિરાગ લાડસરીયા (દત્તક લીધા)…

  • પ્રાત:કાળે જલપાન સર્વ રોગનાશક છે

    પ્રાત:કાળ એટલે કે સવારે સુરજ ઉગે તે પહેલાંના સમયે દરરોજ આઠ કપ જેટલું સાદુ પાણી પીવાનો ક્રમ રાખવો અત્યંત સ્વાસ્થ્યપ્રદ છે એટલું જ નહીં આ પ્રયોગ સર્વ રોગનાશક છે. આ પ્રમાણે પ્રાત:કાળે નિયમીત જલપાન કરનાર વ્યક્તિને જલદી વૃધ્ધત્વ પણ આવતું નથી અને તેનું આયુષ્ય પણ વધવા લાગે છે. આનું મુખ્ય કારણ એ કે ભારતીય ચિકિત્સાના…

  • ભગવાને રાખી ભકતની લાજ

    એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય…