જીવતી જિંદગી દરમ્યાન શરીરમાં ચાલતું મનનું રાજ્ય

ઈન્સાનના જડ તેમજ સુક્ષ્મ તનનાં બંધારણમાં ‘ગવ’ અને ‘વોહુન’ એવાં બે તત્વો છે. ઉરવાનમાં જે ઉંચ નૂરી તત્વ પડેલું છે, તે જીવીને પોતિકા ઉતરતા ભાગને પોતાના જેવોજ ઉંચ નૂરી બનાવવા માંગે છે, તેને ‘ગવ’ કહે છે. ઉરવાનની સાથે જે ‘હોવીયત’ અંધકારી સરશોક-અહૂ તરફનું ભાન ભુલાવી દેનારો દએવ ગવની સાથે રહેલો છે, તે જ્યારે ઘટ ‚પ પકડીને નીસ્તી-ગેતીમાં શરીર ‚પે દેખાવ દે છે, ત્યારે તેને ‘વોહુન’ કહે છે. આ બન્ને તત્વોમાંથી તેઓ દરેકનાં દોરો નીકળે છે, જેઓ અંતકરશનાં દશમાં ચખ્રમાં એકમેકને મળી જઈને ‘મન’ નામની ચીજને ઉભી કરે છે. ત્યારે આ મનની ગતિ હમેશાં બે પ્રકારની હોય છે. તે ભલીગોસ્પંદી હોય તેમજ બૂરી ખ્રફસ્ત્રી પણ હોય. આપણો દરેકનો આ તો જાતિ અનુભવ છે કે કોઈક વખત આપણને ઘણા જ ઉમદા નેક અને ભલા વિચારો આવે છે, જ્યારે બીજી વખત નહિ ધારેલા બૂરા નુકસાનકારક વિચારો મનની અંદર આવે છે. આનું કારણ મનની અંદર થતા ગવ અને વોહુનના દોરોનું છે.

આપણા જેવા સાધારણ ઈન્સાનનાં તનમાં ‚વાન પોતે તો ઘણું ઘણું બચપણના પહેલા ૧૬ મહિના લગીથી તે ૪૮ મહિના લગી સચેત રહી શકે, પણ પાંચમા સાલથી આ ખાકી અનાસરી શરીરની ‘સમીયત’ (ઝેરી ખસ્તલ) વધયે, ‚વાનના હોશ ઉપર ‘બંદ-દરોશ’ની બેડી પડે છે, જેથી શરીરનાં રાજ્યનો કારોબાર ‚વાન મનને સોંપી તેને પ્રેસિહન્ટ નેમે છે અને તેને તાકીદ કરે છે કે ‘તારે વહીવટ કરતી વખતે કેબિનેટનાં બન્ને સાઈડનાં સભાસદોનું (ગવને લગતાં ગોસ્પંદી તત્વોનું તેમજ વોહુનને લગતાં ખ્રફસ્ત્રી તત્વોનું) મત લઈ પછી બેઓદાંગની પાસેથી તે માટેની બહાલી મેળવીને જ જિંદગીમાં વર્તવું. આવી સલાહ આપી ‚વાન પોતે ગફલતીની નિંદમાં પડે છે અને મન બધો વહીવટ કરે છે. બુરામાં બુરાં માણસને વટીક કંઈબી ખોટું કામ કરતાં અંતકરણમાં જે ડંખ થાય છે, તે મનની આવી કુદરતી બનાવટને લીધે છે. માટે આપણે ઈન્સાનોએ આ અંત:કરણના ડંખને સમજતા થઈને ખોટાં કામો કરવાથી જિંદગી દરમ્યાન બાઝ રહેવું જોઈએ. જો તેમ કરવામાં આવે નહીં અને મન વોહુનને લગતા ખ્રફસ્ત્રી સભાસદોની સલાહ અનુસાર જ વર્તયા કરે ગવને લગતા ગોસ્પંદી સભાસદોની સલાહ માન્ય ન રાખે, તો પછી તેઓ પોતાનું મત આપતા બંધ પડે છે, અને મન ઈન્સાનને બુરાઈ તરફ જ સદા દોરવ્યા કરે છે. આવી કંઈક વિગત મનને લગતી છે.

Similar Posts

  • એસઆઈઆઈ વધુ ચાર કોવિડ -19 રસીઓ પર કામ કરે છે

    કોવિશિલ્ડ ઉપરાંત, વોલ્યુમ પર આધારીત વિશ્વની રસીના સૌથી મોટા ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ), કોરોનાવાયરસ સામે વધુ ચાર રસીઓ પર કામ કરી રહ્યા છે, તેના એક્ઝિક્યુટિવ ડિરેકટર, સુરેશ જાધવના જણાવ્યા અનુસાર, જેમણે આ જાહેરાત શેર કરી હતી તેમણે કહ્યું કે એસઆઈઆઈ, કોવિશિલ્ડ સહિતની કોરોનાવાયરસ વિરુદ્ધ પાંચ રસીઓ પર કામ કરી રહી છે, જેને ગયા…

  • એક્સવાયઝેડ કરાચીના અરદેશીરર્સ એસિસના ફન ઈવેન્ટસ

    એકસવાયઝેડના કરાચી પ્રકરણનો આંતરરાષ્ટ્રીય જૂથ અરદેશીરર્સ એસિસ, તેના નવા જૂથોમાંનો એક છે, જે લોકડાઉન દરમિયાન, જુલાઈ 2020માં, થયો હતો. આ નાના પણ ઉત્સાહી જૂથે ટૂંકા ગાળામાં કેટલીક મનોરંજક અને આશ્ચર્યજનક ઘટનાઓનું આયોજન કર્યું છે! ડિસેમ્બર 2020માં, અરદેશીરર્સ એસિસએ ક્રિસ્મસ હેમ્પરનો પ્રોજેકટ હાથ ધર્યો હતો, ક્રિસમસ હેમ્પરમાં મનપસંદ ટ્રીટની વસ્તુઓ ભેટ આપીને તેમના ગ્રેન્ડ પેરેન્ટસ અને…

  • આપણા મોબેદો – આપણા સમાજની જીવાદો2ી

    સૌ પ્રથમ આપણા શહેનશાહી નવા વ2સ (ય.ઝ.1389) ની ઉજવણીના શુભ પ્રસંગે આપણા સમાજના બધા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવાની તક લઉ છું. પા2સી ટાઈમ્સના સંપાદક કુ. અનાહિતા સુબેદા2ે આપણા સમાજના ધર્મગુરૂઓ વિશે પા2સી ટાઈમ્સના નવા વ2સના વિશિષ્ટ વિશેષાંકમાં મને થોડા શબ્દો લખવા માટે વિનંતી ક2વા બદલ હું તેમનો ખુબ આભા2ી છું. કોઈપણ સમુદાયની સમૃધ્ધતા અથવા તે…

  • ઉધાર!

    એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમ ને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિ ને પૂછતી કે ‘ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા ‘શેઠજી! અમે આ જન્મમાં તમારૂ ઉધાર ચુકવીશું.’ અને કેટલાક લોકો…

  • કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો

    અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો. સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી. વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ…

  • આ પપ્પા એટલે?

    પપ્પા એટલે ખાલી એક નામ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ? પપ્પા એટલે ખાલી એક પદ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ? ‘ના’. પપ્પા એટલે પરમેશ્ર્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક… આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને…