પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

મહાત્મા કુ‚શે મંદાના રાજ્યના ભટકતા જંગલી તુરાની (સ્કિથ્યિન) ટોળાના પાદશાહ ઈસ્તુવેગૂને હરાવી, કેદ કરી, તેનું પાયતખ્ત એકબેતાના ફત્તેહ કીધું અને બીજા પાંચેક વરસમાં તો તેણે મીડિયા (મદા, માદ)ના તે જમાનાના આખી દુનિયાના સર્વથી બળવાન અને મોટા જરથોસ્તી શહેનશાહને જબરી જંગોમાં જબરા ફટકાઓ લગાવી તે વખતની સર્વથી મોટી મીડિયન શહેનશાહતની આ યાદગાર ફત્તેહથી પારસીઓ પૂરાતન પશ્ર્વિમી એશિયાની લીડિયા અને બેબિલોનની નામીચીન શહેનશાહતોના સંબંધમાં આવ્યા. લીડિયાનો શૂરવીર શહેનશાહ ક્રિસસ મીડિયન શહેનશાહનો સગો થતો હોવાથી તેણે તેનું વેર લેવા પારસી વિરલાઓએ તેનો મોટો સંહાર કીધો અને તેઓ હવે ખૂદ કિસસના પાયતખ્ત સાર્દિસ ઉપર ધસી ગયા. સાર્દિસના જગપ્રસિધ્ધ જંગમાં કુ‚શની હેરતભરેલી લશ્કરી કુનેહકારસાજીએ લિડીયન સૈનાનો સંહાર કીધો અને સાર્દિસના કિલ્લાના શરણ થવા બાદ આખી લીડિયન શહેનશાહતના પારસીઓ માલેક બન્યા. આ પછી પેકત્યાસ નામના દગલબાજ લીડિયને ઉઠાવેલો બળવો કુ‚શના મીડિયન સરદાર માજારીસે બેસાડી દીધો. લીડિયાની ફત્તેહ બાદ કુ‚શના બીજા મીડિયન સરદાર હાર્પેગસે ઈયોલ્યાને લગતા-ફોશિયા, ટીઓસ, માયુસ, પ્રાએન,ઈફીસસ, કોલોફોન, લેબેડસ, કલેજોમીની, ચીઓન, ઈરીથ્રી અને સ્પર્નોનાં ગ્રીક સામ્રાજ્યો સર કીધાં. તેણે ઈયોલ્યાને લગતાં બીજાં ૧૧ રાજ્યો પણ ફત્તેહ કીધાં અને કારિયન, કોન્યન અને ડોરિયન પ્રજાઓને તે શરણે લાવ્યો. આ યાદગાર ફત્તેહો બાદ જેન્થસના જબરા જંગમાં તેણે લડાયક લીશિયન પ્રજાને જમીનદોસ્ત કીધી. જ્યારે એક તરફથી હાર્પેગસ પશ્ર્વિમ એશિયામાં પારસી નામનો પુકાર ફેલાવી રહ્યો હતો ત્યારે બીજી તરફથી તેમનો મહાત્મા મહાવીર એશિયા ખંડના બીજા ભાગો ખાતે પારસી ઝુંડાનો જેબદાર જલેહ ઝળકાવી રહ્યો હતો. બાખ્ત્રિશ (બેકત્રિયા)નો અસલી ઈરાનીઓનો માનીતો મુલ્ક ફત્તેહ કરતાં તેને વખ્ત લાગ્યો નહિ; સકા (સ્કીથ્યા)ના બળિયા પાદશાહ પાસે પોતાની આણ મનાવતાં તેણે ઝાઝો વખત ખોહ્યો નહિ, હિર્કેન્યા (વેહેરકાન)ની પ્રસિધ્ધ પ્રજા કે ઉવાર્જમ (ખોરાસ્મિયા)ના લડાયક લડવૈયા એક તડાકે તેની કદમબોશી કરવા તૈયાર થયા; પત્રર્વ (પાર્થ્યા)ના પહાડી તીરંદાજો કે શુઘુદ (સોગ્દિયાના)ના શુધ્ધ આર્યો તેની શમશેરના સપાટામાંથી બચવા પામ્યા નહિ; હરઈવ (આર્યા)ના હિમ્મતવાન લોકો કે દ્રાન્જિયાના જોરેમંદ જોદ્ધાઓ તેના મુબારક કદમોને વધાવી લેવા જરા પણ અચકાયા નહિ અને હરઉવતિશ (એરેકોશિયા), ગદાર (ગંદાર્યા) અને તુરાનના તોફાની ટોળાઓ કુ‚શની લશ્કરી કુનેહના ભોગ થઈ પડયા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 March – 25 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે.તમારા કામ કાજને વધારવા ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. તમારા મોજશોખ વધી જશે. પાક પરવરદેગારની કૃપાથી જેેટલો ખર્ચ કરશો એટલું કમાવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 19, 20, 21, 22 છે. Venus’ rule till…

  • માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

    માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ…

  • સારૂં મન કરૂણા લાવે છે

    આપણી માનવીય કરૂણા આપણને એકબીજા સાથે જોડે છે – દયા કે આશ્રયથી નહીં, પણ માનવ તરીકે, આપણે સામાન્ય વેદનાને ભવિષ્યની આશામાં કેવી રીતે ફેરવવી તે શીખી લીધું છે. – નેલ્સન મંડેલા કાયમ માટે, વિશ્વ પૂર્વ-કોવિડ અને પોસ્ટ-કોવિડ સમયમાં વિભાજિત થશે. માનવ જોડાણ માનવ વિવેક સાથે જોડાયેલું છે. આજે, આપણે પ્રિયજનોને મળવા અસમર્થ છીએ જેમ કે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    3 December – 9 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જાણતા નહીં હોય તેવી વ્યક્તિ તમને સાથ આપવા તૈયાર થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી હોય તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામ કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 January, 2019 – 12 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલને તમારા શત્રુઓ મોટી પહાડ જેવી બનાવી દેશે. તમારા કામથી તમને આનંદ નહીં મળે. નાણાકીય બાબતમાં સારાસારી નહીં રહે. ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે. રાહુની દિનદશા તમારા દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ફેમિલીમાં નાની…

  • રાયતા કેરી

    સામગ્રી: અઢી કિલો કેરી, દોઢ કિલો ગોળ, 125 ગ્રામ રાઈના કુરિયા, 125 ગ્રામ છડેલી વરિયાળી, 125 ગ્રામ ખારેક, 500 ગ્રામ તેલ, જોઈતા પ્રમાણમાં મીઠું. રીત: કેરીને છોલી કકડા કરવા આ કેરીના કકડાને બે દિવસ સુધી મીઠામાં રાખવા, કેરીના કકડાને મીઠામાંથી બહાર કાઢી બરાબર રીતે કોરા કરવા પછીથી એક કથરોટમાં રાઈના કુરિયા અને તેલ નાખી ફેરવવું…