પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

મહાત્મા કુ‚શે મંદાના રાજ્યના ભટકતા જંગલી તુરાની (સ્કિથ્યિન) ટોળાના પાદશાહ ઈસ્તુવેગૂને હરાવી, કેદ કરી, તેનું પાયતખ્ત એકબેતાના ફત્તેહ કીધું અને બીજા પાંચેક વરસમાં તો તેણે મીડિયા (મદા, માદ)ના તે જમાનાના આખી દુનિયાના સર્વથી બળવાન અને મોટા જરથોસ્તી શહેનશાહને જબરી જંગોમાં જબરા ફટકાઓ લગાવી તે વખતની સર્વથી મોટી મીડિયન શહેનશાહતની આ યાદગાર ફત્તેહથી પારસીઓ પૂરાતન પશ્ર્વિમી એશિયાની લીડિયા અને બેબિલોનની નામીચીન શહેનશાહતોના સંબંધમાં આવ્યા. લીડિયાનો શૂરવીર શહેનશાહ ક્રિસસ મીડિયન શહેનશાહનો સગો થતો હોવાથી તેણે તેનું વેર લેવા પારસી વિરલાઓએ તેનો મોટો સંહાર કીધો અને તેઓ હવે ખૂદ કિસસના પાયતખ્ત સાર્દિસ ઉપર ધસી ગયા. સાર્દિસના જગપ્રસિધ્ધ જંગમાં કુ‚શની હેરતભરેલી લશ્કરી કુનેહકારસાજીએ લિડીયન સૈનાનો સંહાર કીધો અને સાર્દિસના કિલ્લાના શરણ થવા બાદ આખી લીડિયન શહેનશાહતના પારસીઓ માલેક બન્યા. આ પછી પેકત્યાસ નામના દગલબાજ લીડિયને ઉઠાવેલો બળવો કુ‚શના મીડિયન સરદાર માજારીસે બેસાડી દીધો. લીડિયાની ફત્તેહ બાદ કુ‚શના બીજા મીડિયન સરદાર હાર્પેગસે ઈયોલ્યાને લગતા-ફોશિયા, ટીઓસ, માયુસ, પ્રાએન,ઈફીસસ, કોલોફોન, લેબેડસ, કલેજોમીની, ચીઓન, ઈરીથ્રી અને સ્પર્નોનાં ગ્રીક સામ્રાજ્યો સર કીધાં. તેણે ઈયોલ્યાને લગતાં બીજાં ૧૧ રાજ્યો પણ ફત્તેહ કીધાં અને કારિયન, કોન્યન અને ડોરિયન પ્રજાઓને તે શરણે લાવ્યો. આ યાદગાર ફત્તેહો બાદ જેન્થસના જબરા જંગમાં તેણે લડાયક લીશિયન પ્રજાને જમીનદોસ્ત કીધી. જ્યારે એક તરફથી હાર્પેગસ પશ્ર્વિમ એશિયામાં પારસી નામનો પુકાર ફેલાવી રહ્યો હતો ત્યારે બીજી તરફથી તેમનો મહાત્મા મહાવીર એશિયા ખંડના બીજા ભાગો ખાતે પારસી ઝુંડાનો જેબદાર જલેહ ઝળકાવી રહ્યો હતો. બાખ્ત્રિશ (બેકત્રિયા)નો અસલી ઈરાનીઓનો માનીતો મુલ્ક ફત્તેહ કરતાં તેને વખ્ત લાગ્યો નહિ; સકા (સ્કીથ્યા)ના બળિયા પાદશાહ પાસે પોતાની આણ મનાવતાં તેણે ઝાઝો વખત ખોહ્યો નહિ, હિર્કેન્યા (વેહેરકાન)ની પ્રસિધ્ધ પ્રજા કે ઉવાર્જમ (ખોરાસ્મિયા)ના લડાયક લડવૈયા એક તડાકે તેની કદમબોશી કરવા તૈયાર થયા; પત્રર્વ (પાર્થ્યા)ના પહાડી તીરંદાજો કે શુઘુદ (સોગ્દિયાના)ના શુધ્ધ આર્યો તેની શમશેરના સપાટામાંથી બચવા પામ્યા નહિ; હરઈવ (આર્યા)ના હિમ્મતવાન લોકો કે દ્રાન્જિયાના જોરેમંદ જોદ્ધાઓ તેના મુબારક કદમોને વધાવી લેવા જરા પણ અચકાયા નહિ અને હરઉવતિશ (એરેકોશિયા), ગદાર (ગંદાર્યા) અને તુરાનના તોફાની ટોળાઓ કુ‚શની લશ્કરી કુનેહના ભોગ થઈ પડયા.

Similar Posts

  • માનસિક તાણ

    ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી!…

  • એક ધાર્મિક આંતરદ્રષ્ટિએ ચોમાસુ

    ઝોરાસ્ટ્રિયન વરસાદની મોસમ પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ઈરાની પરંપરા અનુસાર, તીરનો પવિત્ર મહિનો ચોમાસાની ઋતુની શરૂઆત કરે છે. તીર યશ્તમાં આપણે તિષ્ટ્રયને વરસાદ, મદદરૂપ અને આરોગ્ય આપનાર તરીકે આહ્વાન કરીએ છીએ. વાસ્તવમાં, તિષ્ટ્રય યઝાતા એ જ લિટાનીમાં પુષ્ટિ આપે છે: જો માણસો એ યસનથી મારી પૂજા કરશે જેમાં મારું પોતાનું નામ છે, તો હું વરસાદ વરસાવીને વિશ્ર્વને…

  • જાલેજરની બાનુ રોદાબે

    સામે જ્યારે શાહને આ મુજબ ગુસ્સામાં બોલતાં જોયો, ત્યારે તે એક સખુન પણ બોલી શકયો નહીં. તેણે જમીનને બોસો કીધો અને તેનો હુકમ માથે ચઢાવ્યો, એવું કહીને કે ‘એ મુજબ કરૂં અને શાહના દિલમાંથી કિનો કાઢી નાખું.’હવે જ્યારે મેહરાબને અને જાલેજરને આ વાત ખબર પડી કે સામ કાબુલ ઉપર શાહના હુકમથી હુમલો લાવે છે ત્યારે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 April, 2019 – 12 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 13મીથી સુર્યની દિનદશા શરૂ થતા સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગહવાના ચાન્સ છે. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ પર કાબુ નહીં રખાવે….

  • કયોમર્ઝ ઈરાનીને પ્રેસીડન્ટ પોલીસ મેડલ એનાયત!

    ઇરાની કૌટુંબિક પરંપરાની સિધ્ધિને ચાલુ રાખીને અને સમુદાયને ગૌરવ અપાવતા, ટોપ-કોપ કયોમર્ઝ બોમન ઈરાનીને 26મી જાન્યુઆરી, 2020ના રોજ ભારતના 71માં પ્રજાસત્તાક દિને, પ્રતિષ્ઠિત પ્રેસિડન્ટ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રેસિડન્ટ પોલીસ મેડલ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસ પર શૌર્ય અને વિશિષ્ટ સેવાઓ માટે ભારતના કાયદા અમલીકરણ અધિકારીઓને દર વર્ષે આપવામાં આવતી ભેટ છે. કયોમર્ઝ…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    જો તેની ઉપરથી જાદુઈની અસર તે કાઢી નાખી હતે તો આજ સુધીમાં હું સાજો થઈ મારી જબાન વાપરી શકે. ઓ જાદુગર! મેં જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો મૂળ સબબ એજછે.’ ત્યારે તે જાદુગર રાણીએ કહ્યું કે ‘તારી મરજી રાખવા માટે તું એ બાબમાં જેમ ફરમાવે તેમ કરવાને હું તૈયાર છું. શું તારી મરજી એમ…