જો તમારો જન્મ જુલાઈની ૦૨જી તારીખે થયો હોય તો…

તમારે ધનને માટે કોઈ મોટો અનુભવ મેળવવો પડશે. ધન મેળવવા જતાં કોઈ અચાનક ફેરફાર આવી જશે તેમ જ ધનનું નુકસાન પણ અચાનક થશે. તમારા નામે જમા કરેલું ધન કયારે ઉડી જશે એની કલ્પના પણ તમે નહીં કરી હોય. તમે એકસપોર્ટ-ઈમ્પોર્ટનો કે લાઈસન્સનો ધંધો કરશો તો જ આગળ વધી શકશો. એજન્સીનો ધંધો પણ અનુકૂળ રહેશે. તમને સપનાઓ ઘણાં જ આવતા હશે. કોઈ પણ બાબતનું નિર્માણ સા‚ં કરી શકશો. ગઝલ, કાવ્યનો શોખ વધુ રહેશે. તમે સારા કલાકાર થઈ શકશો. તમારા વાણીપ્રભાવને કારણે તમે બીજાને હસાવી પણ શકશો તેમ જ રડાવી પણ શકશો. નવી ચીજવસ્તુ વસાવવામાં હોશિયાર હશો. તમને પાણીની આજુબાજુ રહેવાનું મન ખૂબ જ થશે. તમને પરદેશી વસ્તુનું તેમ જ ભૂગોળનું જ્ઞાન વિશેષ હશે. તમારે પેટ, આંતરડાં, એપેન્ડિકસ વગેરેથી સંભાળવું પડશે. તમારે વજનદાર વસ્તુ ઉંચકવી નહીં. રોગથી તમારે માનસિક રીતે હેરાન થવું પડશે. તમારે મન ખૂબ જ મજબૂત રાખવું પડશે.

શુભરંગ:: દૂધિયો, શુભ નંગ: મૂનસ્ટોન મોતી

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૮, ૧૧, ૧૬, ૨૦, ૨૬, ૩૯, ૩૫, ૪૪, ૪૭, ૫૬, ૬૨, ૬૫.

– નુપુર

Similar Posts

  • આશા પુન:પ્રાપ્તિની

    ગુજરાતના એક નાના ગામમાં રહેતો હોશંગ અમલસાડીવાલા પોતાની મુશ્કેલીઓથી કંટાળી ગયો હતો. આય લોકડાઉન ક્યારનુંયે પતી ગયું હતું પરંતુ તેમની જિંદગીનું લોકડાઉન પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ હતી. જીવન રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતું હતું. બાકી રહી ગયું હતું તેમ હોશંગને કોરોના થયો અને શરીરનું જોમ…

  • મેકર ઓફ મોર્ડન કરાંચી જમશેદ નશરવાનજીનું સન્માન

    27મી જાન્યુઆરી, 2020 માં, પાકિસ્તાન સ્થિત પરોપકારી અને કરાચીના પ્રથમ ચૂંટાયેલા મેયર જમશેદ નશરવાનજી (1379-1952) ની 134મી જન્મજયંતિ નિમિત્તે કરાચી થિયોસોફિકલ સોસાયટીએ જમશેદ મેમોરિયલ હોલના સભાગૃહમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એક મેળાવડાનું આયોજન કર્યુ હતું. મેયર તરીકે નશરવાનજીની પરોપકાર અને આર્કિટેક્ટ તરીકેની તેમની વિવિધ સિદ્ધિઓની અને વિકાસલક્ષી યોગદાનથી તેમને મેકર ઓફ મોર્ડન કરાંચીનું બિરૂદ મળ્યું હતું….

  • બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

    14મી નવેમ્બરે ચાચા નેહરૂનો જન્મદિન છે. આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે. જાણો કેવી રીતે થઈ શરૂઆત. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ…

  • હસો મારી સાથે

    પતિ અને પત્ની ભયંકર રીતે ઝગડી રહ્યા હતા. ત્યાં પડોશણે તેના ઘરમાં ગીત વગાડ્યું. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ કોઈ છોડ દે. તબ તુમ મેરે પાસ આના પ્રિયે. મેરા ઘર ખુલા હૈ ખુલ્લા હી રહેગા. એકદમ ઘરમાં સન્નાટો છવાઈ ગયો..! ઝગડો એકાએક પૂરો થઈ ગ્યો..! પત્ની ફટ કરતી ઉઠી, બારી બારણાં બંધ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 May, 2019 – 10 May, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી છેલ્લા વીસ દિવસમાં સુર્યએ તમને જેટલા તપાવેલા હશે તેમાં શાંતિ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. નવા કામ મળવાના ચાન્સ છે. જે વ્યક્તિએ તમને નિરાશ કરેલા હશે તે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 April, 2018 – 27 April, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી રોજબરોજના કામમાં પણ મુશ્કેલીઓ આવતી રહેશે. જો તમે સરકારી કામ કરતા હશો તો તેમાં મુસીબત આવતી રહેશે. હાથની નીચેના લોકો તમને હેરાન પરેશાન કરતા રહેશે. તમે માથાના દુ:ખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની ખાસ…