પારસીઓના નામ કેવી રીતે પડયા?

હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે. જે વખતે જન્મ થયો હોય તેને પાંચમે દહાડે કોઈ જોશીને તે ઘડી પળ દેખડાવવામાં આવે છે. બીજું શું થાય છે તે આગળ જોઈએ. છઠ્ઠીના લેખ લખાવાની રાતે હિંદુ રીત મુજબ એક થાળીમાં શાહીનો ખડિયો, કલમ, કંકુ, નાળિયેર એ રીતે મૂકીને સુવાવડી બાઈના ઓરડામાં મૂકે છે. જોશી જન્મના વખત ઉપરથી જન્મેલું બચ્ચું કયા ગ્રહ કે રાશિના ચક્રમંડળમાં આવે છે તે જુએ છે અને તે જ ગ્રહ કે રાશિને અનૂકુળ અક્ષરોવાળુ નામ બચ્ચાનું રાખવા કહે છે. ૧૬-૧૭-૧૮ ને ૧૯મી સદીની શ‚આતમાં પારસીઓ પોતાના દેશ, વેશ અને ખેશથી એટલા બધા અંજાણ થઈ પડયા હતા કે ૧૬મી ૧૭મી અને ૧૮મી સદીમાં તો તેઓ હિન્દુજ નહીં થઈ ગયા એજ અજાયબ ઉખ્યાણું રહી ગયું છે! તેઓ પોતાનો ઈરાની પોશાક ભુલી ગયેલા, ઈરાની ભાષા ભુલી ગયેલા, ઈરાની વડવાઓનાં નામો ભુલી ગયેલા અને ઈરાની રાહરસમો ભુલી ગયેલા. માત્ર ધર્મે તેઓ જરથોસ્તી છે એટલું ચીવટપણે વળગી રહેલા. જ્યારે જોશી ‘ન’ અક્ષર ઉપરથી નામ રાખવા કહે ત્યારે તેઓને ઘણું તો નશરવાનજી કે નવરોજી નામ યાદ આવે! તેમાં ભોગ ચોઘડીયે જો બચ્ચાનાં બાપનું નામ નશરવાનજી હોય અને કાકાનું નામ નવરોજી હોય તો થઈ ચૂકયું. હયાત સગાનું નામ તો બનતાં સુધી પડાય જ નહીં. નહીં તો રખે પેલો સગો મરી જાય(૧) ત્યારે આવી સ્થિતિમાં જોશી સુચવી દેશે કે નરસિંહભાઈ નામ રાખો! નાનજીભાઈ નામ રાખો! વગેરે. કારણ કે તે વેળા જોશી ઘણે ભાગે હિન્દુ જ એટલે તે બાપડા બતાવી બતાવીને હિન્દુ નામ બતાવે, તેઓને પારસી ઈરાની પાદશાહ પહેલવાનોના નામની ખબર હોય જ શાની? ત્યારે એમ કરતાં હિન્દુ નામો પેઠાં અને પારસી નામોની સંખ્યાની હદ ઘણી સાંકડી હોવાથી હિન્દુ નામોને જ પારસીઓ વળગી રહ્યા; કારણ કે શિરીન પણ ભારી ઈરાની નામો તો

Similar Posts

  • મા-બાપ ને ભુલશો નહીં!

    રોશન અને બોમીના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. તેઓ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા નવસારીમાં રહેતા હતા. બોમી બેચાર દિવસમાં એકવાર પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી લેતો હતો અને પ્રસંગોપાત નવસારી પણ જઈ આવતા હતા. બોમીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે…

  • બટર સ્પોન્જ વેનિલા કેક

    સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ. રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ…

  • ખ્યાતિ મેળવનાર જીયો પારસી સ્કીમ

    ભારત સરકારની યોજના સપ્ટેમ્બર 2013માં સ્થપાઇ હતી, જે પારસી યુગલોને બાળકો પેદા કરવાના પ્રોત્સાહન માટે રોકડ સહાય આપે છે. જેનું પરિણામ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક્સ (એઆરટી) દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 214બાળકો જન્મ્યા છે. આ યોજનાની સફળતાને ધ્યાનમાં રાખીને, આગામી વર્ષ માટે વધુ નાણાકીય ભંડોળ ફાળવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્ર પ્રાયોજિત યોજનામાં વર્ષ 2019-2020 માટે 12 કરોડનું…

  • ગ્રાન્ડફીનાલે

    સોમવાર તા. 24 એપ્રિલ, 2023ની સાંજે 5:15 ક. જશનની પવિત્ર ક્રીયા એ. સાહેબ ફરહાદ રાવજી (ટ્રસ્ટી), એ. હોરમઝદ રાવજી, એ. નોઝર તારાપોર અને કૈયાન કાંગાની હમશરીકી સાથે શુક્રગુજારીનું જશન કર્યા બાદ, મહાનુભવો વડા દસ્તુરજી-સુરત, દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, ચીફગેસ્ટ જસ્ટીશ (રીટાયર્ડ) શાહરૂખ જે. કાથાવાલા, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા, ટ્રસ્ટી સાહેબ એ. ફરહાદ રાવજી, એ….

  • મૃત્યુનો પ્રોટોકોલ

    કોઈ પ્રિય વ્યક્તિનું અથવા તેના પરિચિતનું મૃત્યુ નિપજવું ખરેખર એક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. દોખ્મેનશીની પ્રણાલીની અસરકારકતા માટે અથવા તેની વિરુદ્ધ ચર્ચા કરવાનો આ પ્રયાસ નથી. શું આપણે ડુંગરવાડીમાં અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કરવું જોઈએ, કે પછી ત્યાં પ્રોટોકોલ અનુસરવાનો છે. તાજેતરનાં વર્ષોમાં, મારું અવલોકન રહ્યું છે કે સમુદાય, છેલ્લા અંતિમ સંસ્કારના પવિત્ર…

  • પારસીઓનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ અને તેમનું ધાર્મિક મહત્વ

    ખોરાક, પીણું, રમૂજ અને જીવનની બધી સારી વસ્તુઓ પ્રત્યેના અમારા પ્રેમ ઉપરાંત, પારસી સમુદાયને કૂતરાઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે – જે માણસના શ્રેષ્ઠ મિત્ર તરીકે ઓળખાય છે. મોટાભાગના પારસીઓ તેમના પાલતુ કૂતરાને તેમના પ્રિય કુટુંબના સભ્ય તરીકે દેખાડે છે. ઘણા લોકો રખડતા કૂતરાઓને ક્યારેક ક્યારેક અથવા તો દરરોજ ખવડાવતા હોય છે. અમે શ્ર્વાનનેે આ જીવનમાં…