ખોરદાદ સાલ મુબારક

zarathushtra pic jokhi copyપારસી સમુદાયમાં ભગવાન ઝોરાસ્ટરના જન્મદિનને નાનું નવું વરસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તેમને પહેલા પયગંબર તરીકે ઓળખીયે છીએ. જેમણે આપણને નૈતિક ધર્મ માટે દિશા આપી હતી આજે આપણો સમુદાય ભલે સૌથી નાનો હોય પણ ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ ભજવનાર આપણે પારસીઓ જ હતા. આદિવાસીઓની જાદુઈવિધીના પ્રભાવથી ઘેરાયેલા લોકોને છોડાવી અને એકમાત્ર ઈશ્ર્વર અહુરામઝદાને અપનાવ્યા હતા.

મનુષ્યના બે મન હોય છે એક સાર અને એક ખરાબ જેને કહે છે સ્પેન્તા મેન્યુ અને આન્ગ્રા મેન્યુ, સ્પેન્તા મેન્યુ જે શાંતિના પંથે ચાલે અને આસપાસની દુનિયાને પણ શાંતિના પાઠ શીખવે તે જ રીતે આન્ગ્રા મેન્યુ નુકસાન કરે અને આસપાસની દુનિયાનો પણ નાશ વિચારે. સા‚ં મન, સા‚ં અંત:કરણ મનુષ્યની અને તેની આસપાસના વિશ્ર્વની સુધારણા માટે તે દરેક વ્યક્તિને માર્ગદર્શન આપે છે.

ઝોરાસ્ટ્રિયન જીવન માર્ગદર્શનના મૂળભૂત નૈતિક સિધ્ધાંતો છે. હુમ્ત હુખ્ત, હવરશ્ત સારા વિચારો, સારા શબ્દો, સાર મન દૈવી વાસ્તવિકતાના સાત સમીકરણો જેને અમેશા સ્પેન્તા કહેવામાં આવે છે.

૧) અહુરા મઝદા જેમણે આપણું સર્જન કર્યુ છે.

૨) વોહુમન એટલે સા મન

૩) સ્પેન્તા આરમઈતી એટલે ધર્મનિષ્ઠા અને ભક્તિનું વલણ

૪) આશા વહિશ્તા એટલે સૌથી વધુ ઈમાનદારી.

૫) ક્ષ્નોથ્ર વઈરિયો અથવા સ્વર્ગનું સામ્રાજ્ય અંતિમ સંપૂર્ણતા એક આદર્શ સોસાયટી.

૬) હવુરતેત, પાણી અને તત્વ સાથે સંકળાયેલુ સંપૂર્ણ સુખાકારી રાજ્ય.

૭) અમરેતેત એટલે આનંદનું અમર રાજ્ય.

અહુના વઈરિયો જેને સામાન્ય યથ અહુવઈરિયો જે જાદુઈ મંત્રો છે જેનાથી અનિષ્ઠ તત્વોનો નાશ થાય છે.

આ સાદી પ્રાર્થનાઓ આપણને માર્ગદર્શન આપે છે. નેતા તરીકે સત્ય તરફ દોરી શકે છે.

અશેમવોહુ જે સચ્ચાઈ માટેનું સૂત્ર છે અને બધી જ પ્રાર્થનાઓ પછી પુનરાર્વતન કરવામાં આવે છે. એ સુખી છે જે બીજાના સુખી કરે છે.

અશો જરથુસ્ત્ર માટે અવસ્તાના પાંચ ગાથામાં ઈશ્ર્વર પ્રેરિત પવિત્ર શબ્દો છે જે જીવનના મૂળભૂત સિધ્ધાંતો પ્રદર્શિત કરે છે.

ગાથાનો અભ્યાસ કરતા માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને ભૌતિક જીવન માટે સાચી માર્ગદર્શિકા રજૂ કરે છે. જરથુસ્ત્ર જાહેર કરે છે કે ધર્મનું પોતાનું નૈતિક મહત્વ હોય છે. માનવતા સામે ધર્મની ઉચી ધારણા, પ્રતિતી સાથે ઉચ્ચ દેખાવ રહસ્ય છતું કરે છે.

ધર્મના ઈતિહાસમાં અનન્ય છે. જરથોસ્તી ધર્મનો અંતરાત્મા વિશ્ર્વવ્યાપી જાણે કે સૂર્યના કિરણો સર્વ માટે સત્યનો પ્રકાશ જે ધર્મના માટે એક સંદેશો છે. પવિત્ર સંદેશ જે સમગ્ર માનવતા સુધી પહોંચી શકે.

Similar Posts

  • સફળતા….

    આપણા નસીબમાં બધું હોવું આપણા હાથમાં નથી પણ તે વસ્તુને આપણા નસીબમાંં લાવવાનો પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. નસીબ પાસેથી વધારે અપેક્ષા ન રાખો. તમે નસીબ પાસેથી જેટલી વધુ અપેક્ષા રાખશો, તેટલા જ તમે નિરાશ થશો. મહેનતમાં વિશ્વાસ રાખો. તમને હંમેશા અપેક્ષા કરતા વધુ મળશે. મહેનત એ ચાવી છે જે નસીબમાં ન હોય તેવી…

  • થાણેની કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી

    21મી ફેબ્રુઆરી 2020ને દિને શેઠ કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી થાણા અગિયાર ફંડ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી. માચીની ક્રિયા એરવદ કેરસી સિધવા દ્વારા સાંજે 4.15 કલાકે કરવામાં આવી ત્યાર બાદ જશનની પવિત્ર ક્રિયા 5.00 કલાકે એરવદ બહેરામશા સિધવા, કેરસી સિધવા, આદિલ સિધવા અને આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી. અગિયારીને સરસ સુશોભિત કરવામાં આવી…

  • દરેક ગેહ માંડવાનો વખત

    ગયા અંકથી ચાલુ સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની…

  • બેપ્સી નરીમાનનું નિધન

    સિનિયર એડવોકેટ – ફલી એસ. નરીમાનના પત્ની અને સુપ્રીમ કોર્ટના જજ – જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનના માતા, ખૂબ જ પ્રિય અને આદરણીય બેપ્સી નરીમાન, 9 જૂન, 2020 ના રોજ, નવી દિલ્હીમાં 89 વર્ષની વયે અવસાન પામ્યા. રાંધણકળામાં જીનિયસ, એક સફળ લેખક અને સ્વતંત્ર સ્ત્રી, બેપ્સી કુટુંબ અને મિત્રોને ખૂબ વહાલ અને પ્રેમ કરતા હતા તે…

  • સાંકેતિક પ્રેમ!

    પરવેઝ અને કેશમીરા બન્ને દસમાં ધોરણથી સંજાણની સ્કુલમાં સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી…

  • મસાલેદાર ખીમા એગ કરી

    સામગ્રી: 250 ગ્રામ મટન ખીમો, 4 ઇંડા બાફેલા, 200 ગ્રામ તાજા વટાણા અને જરૂરત મુજબ તેલ. 1/2 કપ કાંદાની પેસ્ટ, 1/2 કપ ટમેટા પ્યૂરી, 2 બટેટા, 1 ચમચી આદુ-લસણ પેસ્ટ, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 તજના ટુકડા, 1 તેજપત્તુ, 2 એલચી, મીઠું…