તંત્રીની કલમે

Anahita Subedarતમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું.

તો,  પારસીપણું એટલે શું? અમે અનેક પાસીઓને પૂછ્યું કે, આપણી કોમનું પ્રતીક બની ગયેલા આ શબ્દને તેઓ કઈ રીતે વર્ણવશે અને તેમાંના કેટલાક સામાન્ય જવાબ હતા સત્યનિષ્ઠા, પરોપકારવૃત્તિ, સહિષ્ણુતા, ઈમાનદારી, ખાણીપીણીના પ્રેમી, મનોરંજનના ચાહક લોકો, સાંસ્કૃતિક રીતે વિકસીત, હળવા મિજાજના અને રમૂજી. પારસીપણુંને શ્રેષ્ઠતમ રીતે વર્ણવતા બે જવાબ તમારી સાથે શેર કરતા મને ઘણો આનંદ થાય છે, અને તે એટલે દયાળુપણું અને ક્ષમાશીલતા.

સાવ સાચી વાત છે! આપણા ન્યાગાનોએ (પૂર્વજો)  તેમના શબ્દો અને કાર્યોમાં એ વાતની તકેદારી રાખી હતી કે તેઓ પોતાની પાછળ આપણને અન્ય લોકોથી જુદા તારવતા એવા આ બે સૌથી દિવ્ય ગુણોનો અપ્રતિમ વારસો મુકી જશે. આ ગૌરવશીલ વારસાના પ્રાપ્તકર્તા તરીકેનો ગર્વ આપણને હોવો જોઈએ તથા તેને આગળ વધારવો એ આપણી એક માત્ર ફરજ છે.

આવતા અઠવાડિયે આપણે નવા વર્ષમાં પગ મુકી રહ્યા છીએ ત્યારે, ચાલો વીતેલા વર્ષો પર એક નજર કરીએ. પણ સૌથી મહત્વનું એટલે કે, દયાળુપણું અને ક્ષમાશીલતા આ બે અદભુત ગુણો પર આધારિત રહીને આપણે નવું વર્ષ સુંદર બનાવવા પર તથા આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના તથા આપણા માટે નવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ જ બાબત આપણને વધુ બહેતર જરથોસ્તી બનાવશે, કેમકે દયાળુપણું અને ક્ષમાશીલતા જ સારા વિચાર, સારા શબ્દો અને સારા કર્મોનું સીધું ફળ છે!

પારસી ટાઈમ્સની ટીમની ખરા દિલની શુભેચ્છાઓ છે કે આ આવના‚ં નવું વર્ષ તમારા માટે તમામ ખુશી અને સફળતા લાવે! અમારા સૌ તરફથી સાલ મુબારક!

Similar Posts

  • અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

    કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા…

  • ધી કોન્સેપ્ટ ઓફ દએનામાં પારસી ધર્મ

    આપણો ઝોરાસ્ટ્રિયન ધર્મ, ગુજરાતીમાં, જરથોસ્તી દીન તરીકે જાણીતો છે. શબ્દ દએેના શબ્દ અવેસ્તાન શબ્દ દએના પરથી આવ્યો છે. દએના એનું સૂક્ષ્મ અથવા ઝીણું શરીર છે માણસ (તેના ગાઢ, દૃશ્યમાન, ભૌતિક શરીરથી વિપરીત), જે તેના બે વ્યક્તિઓ વચ્ચે પુલનું કામ કરે છે – તેનું ઉચ્ચ સ્વ (આધ્યાત્મિક) અને તેનું નીચું સ્વ (નીચલું મન). ચેતના જે માણસના…

  • સમુદાયમાં કોવિડથી થયેલા મરણ

    ભારતમાં કોરોનાવાયરસ રોગચાળો (માર્ચ 2020)થી શરૂઆત થયા પછી ઓછામાં ઓછા સમુદાયના 178 સભ્યોનું નિધન થયું છે. ભારતના 11 મોટા સ્થળોએ નોંધપાત્ર પારસી વસ્તી અસ્તિત્વમાં છે, ત્યાંથી પારસીયાનાએ મૃત્યુના આંકડા સંકલિત કર્યા છે. બોમ્બેમાં 105 મૃત્યુ નોંધાયા છે, જે વરલી પ્રેયર હોલથી મેળવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં કોવિડ -19 પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા….

  • પૂનાવાલાએ પુત્રોના નવજોત સમારોહની ઉજવણી કરી

    તાજેતરમાં, પૂનાવાલાએ સાયરસ અને ડેરિયસના સંયુક્ત નવજોત સમારોહની ઉજવણી કરી જે આદર અને નતાશા પૂનાવાલાના બાળકો છે જે પરિવાર માત્ર આપણા સમુદાય અને રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક હોવાને કારણે ખૂબ જ ગૌરવ લાવે છે. (એસઆઈઆઈ) ડો. સાયરસ પૂનાવાલા 1966 માં, અને આજે રસીના નિર્માતામાં વૈશ્ર્વિક નેતા…

  • ઢસરડા ઓછા કરો અને વિચારો વધારે

    એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં, દાદાએ કહ્યું સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે. પૌત્રએ કહ્યું, પણ એ કેન તો ફુલ ભરેલો છે. દાદાજી બોલ્યા તો ધક્કા કેમ મરાવ્યા? એને વાપરી નંખાય ને. પૌત્ર કહે પણ…