નાટક તખ્તના પરદાઓ ચીતરતા આપણા પારસી પેન્ટરો

એ જમાનામાં આજના જમાના જેવી સીન સીનેરી જવલ્લેજ રજૂ થતી હતી. પર સમય જતા તે સુધરતી જતી હતી. ૧૮૭૦ની સાલમાં સ્ટેજના હુન્નરને ખીલવવા માટે કેળવાયેલા અને ઉમદા ભેજાંઓ નાટકના તે જમાનામાં ઘણા જ ખંતી હતા. તેઓ પોતે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને નવીન હિલચાલો અને સ્ટેજને દીપાવવા  ઉભી રાખતા હતા. મરહુમ જમશેદજી ધનજીભાઈ પટેલ અને દાદાભાઈ સોરાબજી પટેલ જેવા લક્ષાધીપતિ બાપના દીકરાઓએ ઈરાની નાટક મંડળીને  સ્ટેજ ઉપર વેરાન વનમાં સૂરજને ઉગતો અને ધીમે ધીમે તેને આકાશમાં ઉપર મધ્યમાં ચઢતો દેખાડવાની તરકીબ કરી હતી. વળી તે બન્નેએ આખા સ્ટેજ પર લીલા લીલા ખેતરો ખીલી નીકળેલા દેખાડયા હતા. ઈરાની પહેલવાનોને લડાઈના મેદાનોમાં જીવતા ઘોડા ઉપર બેસી તેઓને લડતા દેખાડયા હતા.

વિકટોરિયા નાટક મંડળીએ ગુલ બકાવલીના નાટકમાં પચીસ ફૂટ ઉંચો હરતો ફરતો અને બોલતો દેવ દેખાડયો હતો. પણ ધીરે ધીરે આવી યાંત્રિક કળાઓ પડતી મુકાઈ હતી.

ઈ.સ. ૧૮૭૦ની સાલમાં નાટક તખ્તાને દીપાવે અને તે માટે પરદા ચીતરે એવા પારસી પેન્ટરો નહોતા. જૂની ઝોરાસ્ટ્રિયન કલબને કોઈ જરથોસ્તી પેન્ટર નહીં મળવાથી આનંદરાવ નામના એક હિંદુ પેન્ટરને તેની કારીગરી બદલ તેને ભાગીદાર કીધો હતો.

પ્રિન્સ આલબર્ટ કલબે એક પારસી પેન્ટરને પહેલવહેલો બહાર પાડયો હતો. એ પારસીએ પોતાના પેન્ટિંગ હુન્નરથી તે વખતે ચાલતી જુદી જુદી કલબોમાં એવો તો પગપસારો કીધો કે સઘળાઓનું દિલ તેણે જીતી લીધું.  આજુબાજુના સઘળા કારીગરો તેની વખાણ એકમતે કરતા હતા તે પારસી પેન્ટરનું નામ હતું પેસ્તનજી માદન.

એ પછી ઘણા પારસી પેન્ટરો થઈ ગયા પણ પેસ્તનજી માદન સર્વેથી પહેલા પેન્ટર હતા.

નાટક કંપની ધરખમ પાયા ઉપર ચલાવનારાઓને કાબેલ પેન્ટરોની મોટી જ‚રત હોય છે. પહેલાના જમાનામાં એવા કાબેલ પેન્ટરો વધુ નહોતા. એક જ પારસી પેન્ટર હતો. પેસ્તનજી માદન અને બીજા હતા ક્રોસ જરમન પેન્ટર, સીરોની ઈટાલિયન પેન્ટર, ‚આ ઈટાલિયન પેન્ટર.

એ વખતે પેસ્તનજી માદનનો માસિક પગાર હતો ‚ા. ૪૦/- રફતે રફતે તે વધતો ગયો. પેસ્તનજી એક  જ કલબમાં ઠરીઠામ થઈને બેઠા નહોતો. તેઓના કામની જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ જુદી જુદી કલબોવાળા તેમની કદરનાશી કરવા લાગ્યા હતા. પેસ્તનજી માદન વિકટોરયા કલબમાં પેન્ટર તરીકે સામેલ થયા ત્યારે ત્યાં તેવણને એક નવો ચેલો મળ્યો હતો. એ નવો ચેલો હતો ધનજુ અંજીરબાગ જેણે પેસ્તનજી સાથે રાજીખુશીથી કામ કરવા તૈયાર થયો હતો. અને પેન્ટિંગની ઘણી સિક્રેટો તેણે શીખી લીધી હતી. પાછળ તે ધનજી વિકટોરિયા કલબનો પેન્ટર અને એકટર બની ગયો હતો. અને તે કલબના પરદાઓ પર પેઈન્ટેડ બાય અંજીરબાગ એવો પોતાનો સાઈન હંમેશા એક ખૂણામાં છાપતો હતો.

હવે આપણે વાત કરીએ પેલા જર્મન પેન્ટર ક્રોસની. ક્રોસ ઘણો જ ઠરેલ અને ઠાવકો હતો પોતાનું કોઈ પણ કામ ધાંધલ ધમાલથી કરતો નહીં હતો. તેના પછી હતો ‚આ ઈટાલિયન પેન્ટર આ પેન્ટર દેખાવમાં ઘણો સોહામણો સ્વભાવે મોજીલો અને મોઢામાં કાયમ ચિ‚ટ લઈને કામ કરતો હતો. વિકટોરિયા કબલને છોડીને આ ‚ઓ નાટક કંપનીવાળાઓને ઉધ્ધરભાવે કામ કરી આપતો હતો. ત્યારપછી  સિરોની નામનો ઈટાલિયન પેન્ટર જેણે તખ્તે

જમશીદનો પરદો ચીતરી આપ્યો હતો અને વિકટોરિયા કલબે આ પરદો ઘણા વરસો સુધી વાપર્યો હતો.

હવે જોઈએ હિન્દુ પેન્ટરો, અત્યાર સુધી એક પારસી અને ત્રણ યુરોપિયન પેન્ટરો પાસે પારસી નાટકના પરદાઓ ચીતરાતા હતા પણ તેઓ પછી એક બીજો યુરોપિયન પેન્ટર આવ્યો જેનું નામ પિન્ટો હતું અને તે પિન્ટો સાથે ગણપત અને બાલા નામના બે હિન્દુ પેન્ટરો કામ કરતા હતા. બાલા પેન્ટરને રોકીને કુંવરજી નાઝરે માસિક પગારે તેને રોકી અલાદ્દિન જાદુઈ ફાનસવાલા નાટકની તમામ ભેદભરી સીનરીઓ તેની પાસેથી ચીતરાવી લીદી હતી.  જ્યારે ગણપત જુદી જુદી કલબોમાં માસિક પગારે કામ કરતો હતો. ગણપત સ્વભાવે હસમુખ અને મોજીલો હતો. આ બદા પેન્ટરો તે વખતે ગ્રાન્ટરોડ ઉપર વિકટોરિયા નાટકશાળાની પાછળ મરહુમ ડોસાભાઈ દુબાશવાલા કોસ-કીઝવાલા નામના હોટેલમાં એકાદ દીવાનખાનમાં બેસી આ પરદાઓ ચીતરતા હતા.

આ પછી આવ્યો નવો પારસી પેન્ટર દીનશા ઈરાની જેણે ખુશરો શિરીનના ખેલના પરદાઓને ચીતર્યા હતા. દીનશા પછી બીજો પારસી જવાન જે એક ફત્તેહમંદ પેન્ટર હતો જાલભાઈ આરિયા જેણે ફરામજી અપ્પનુ થિયેટર ચિતરી આપ્યું હતું. જાલભાઈ આરિયાએ રિવોલ્વિંગ સીનો અને સેટિંગવાલા પરદાઓએકથી એક એવા ચીતરી આપ્યા હતા કે તમાશબીન આલમે વાહવાહ કરી હતી

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 May – 02 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપે તેવા ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળી જશે. ચંદ્રની કૃપાથી મનમાં જે પણ ડાઉટ હશે તેનું નિવારણ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. હાલમાં 34મુ…

  • વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

    છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 August – 27 August 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી શકશો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી તમારા નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળી…

  • ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

    બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ…

  • વાપીઝે મરહુમ દસ્તુરજી જાસ્પઆસાના સન્માનમાં શોક સભાનું આયોજન કર્યુ હતું

    30મી મે, 2019ના દિને મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચહેર જામાસ્પઆસાના સન્માનમાં વાપીઝે સમુદાય માટે સ્ટે.ટા. 6.30 કલાકે બનાજી આતશ બહેરામના એનેકસ હોલમાં શોકસભાનું આયોજન કર્યુ હતું. શોકસભામાં મરહુમ દસ્તુરજી ડો. કૈખુશરૂ એમ. જામાસ્પઆસાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેઓ 87વર્ષનું લાંબુ તથા પરિપૂર્ણ જીવન જીવ્યા બાદ 19મી મે, 2019ને દિને લંડનમાં પોતાના કુટુંબ અને સમુદાયને…

  • થેન્કયુ ભગવાન, તારો આભાર

    શીરીનને એક અજીબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈ કોઈને હોય છે જે છે ડાયરી લખવાની આદત. શીરીનને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની ખુશાલીઓ અને પોતાના દુ:ખ એક ડાયરીમાં લખી લેતી હતી. દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમ્યાન ગમે તેટલા…