નાટક તખ્તના પરદાઓ ચીતરતા આપણા પારસી પેન્ટરો

એ જમાનામાં આજના જમાના જેવી સીન સીનેરી જવલ્લેજ રજૂ થતી હતી. પર સમય જતા તે સુધરતી જતી હતી. ૧૮૭૦ની સાલમાં સ્ટેજના હુન્નરને ખીલવવા માટે કેળવાયેલા અને ઉમદા ભેજાંઓ નાટકના તે જમાનામાં ઘણા જ ખંતી હતા. તેઓ પોતે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને નવીન હિલચાલો અને સ્ટેજને દીપાવવા  ઉભી રાખતા હતા. મરહુમ જમશેદજી ધનજીભાઈ પટેલ અને દાદાભાઈ સોરાબજી પટેલ જેવા લક્ષાધીપતિ બાપના દીકરાઓએ ઈરાની નાટક મંડળીને  સ્ટેજ ઉપર વેરાન વનમાં સૂરજને ઉગતો અને ધીમે ધીમે તેને આકાશમાં ઉપર મધ્યમાં ચઢતો દેખાડવાની તરકીબ કરી હતી. વળી તે બન્નેએ આખા સ્ટેજ પર લીલા લીલા ખેતરો ખીલી નીકળેલા દેખાડયા હતા. ઈરાની પહેલવાનોને લડાઈના મેદાનોમાં જીવતા ઘોડા ઉપર બેસી તેઓને લડતા દેખાડયા હતા.

વિકટોરિયા નાટક મંડળીએ ગુલ બકાવલીના નાટકમાં પચીસ ફૂટ ઉંચો હરતો ફરતો અને બોલતો દેવ દેખાડયો હતો. પણ ધીરે ધીરે આવી યાંત્રિક કળાઓ પડતી મુકાઈ હતી.

ઈ.સ. ૧૮૭૦ની સાલમાં નાટક તખ્તાને દીપાવે અને તે માટે પરદા ચીતરે એવા પારસી પેન્ટરો નહોતા. જૂની ઝોરાસ્ટ્રિયન કલબને કોઈ જરથોસ્તી પેન્ટર નહીં મળવાથી આનંદરાવ નામના એક હિંદુ પેન્ટરને તેની કારીગરી બદલ તેને ભાગીદાર કીધો હતો.

પ્રિન્સ આલબર્ટ કલબે એક પારસી પેન્ટરને પહેલવહેલો બહાર પાડયો હતો. એ પારસીએ પોતાના પેન્ટિંગ હુન્નરથી તે વખતે ચાલતી જુદી જુદી કલબોમાં એવો તો પગપસારો કીધો કે સઘળાઓનું દિલ તેણે જીતી લીધું.  આજુબાજુના સઘળા કારીગરો તેની વખાણ એકમતે કરતા હતા તે પારસી પેન્ટરનું નામ હતું પેસ્તનજી માદન.

એ પછી ઘણા પારસી પેન્ટરો થઈ ગયા પણ પેસ્તનજી માદન સર્વેથી પહેલા પેન્ટર હતા.

નાટક કંપની ધરખમ પાયા ઉપર ચલાવનારાઓને કાબેલ પેન્ટરોની મોટી જ‚રત હોય છે. પહેલાના જમાનામાં એવા કાબેલ પેન્ટરો વધુ નહોતા. એક જ પારસી પેન્ટર હતો. પેસ્તનજી માદન અને બીજા હતા ક્રોસ જરમન પેન્ટર, સીરોની ઈટાલિયન પેન્ટર, ‚આ ઈટાલિયન પેન્ટર.

એ વખતે પેસ્તનજી માદનનો માસિક પગાર હતો ‚ા. ૪૦/- રફતે રફતે તે વધતો ગયો. પેસ્તનજી એક  જ કલબમાં ઠરીઠામ થઈને બેઠા નહોતો. તેઓના કામની જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ જુદી જુદી કલબોવાળા તેમની કદરનાશી કરવા લાગ્યા હતા. પેસ્તનજી માદન વિકટોરયા કલબમાં પેન્ટર તરીકે સામેલ થયા ત્યારે ત્યાં તેવણને એક નવો ચેલો મળ્યો હતો. એ નવો ચેલો હતો ધનજુ અંજીરબાગ જેણે પેસ્તનજી સાથે રાજીખુશીથી કામ કરવા તૈયાર થયો હતો. અને પેન્ટિંગની ઘણી સિક્રેટો તેણે શીખી લીધી હતી. પાછળ તે ધનજી વિકટોરિયા કલબનો પેન્ટર અને એકટર બની ગયો હતો. અને તે કલબના પરદાઓ પર પેઈન્ટેડ બાય અંજીરબાગ એવો પોતાનો સાઈન હંમેશા એક ખૂણામાં છાપતો હતો.

હવે આપણે વાત કરીએ પેલા જર્મન પેન્ટર ક્રોસની. ક્રોસ ઘણો જ ઠરેલ અને ઠાવકો હતો પોતાનું કોઈ પણ કામ ધાંધલ ધમાલથી કરતો નહીં હતો. તેના પછી હતો ‚આ ઈટાલિયન પેન્ટર આ પેન્ટર દેખાવમાં ઘણો સોહામણો સ્વભાવે મોજીલો અને મોઢામાં કાયમ ચિ‚ટ લઈને કામ કરતો હતો. વિકટોરિયા કબલને છોડીને આ ‚ઓ નાટક કંપનીવાળાઓને ઉધ્ધરભાવે કામ કરી આપતો હતો. ત્યારપછી  સિરોની નામનો ઈટાલિયન પેન્ટર જેણે તખ્તે

જમશીદનો પરદો ચીતરી આપ્યો હતો અને વિકટોરિયા કલબે આ પરદો ઘણા વરસો સુધી વાપર્યો હતો.

હવે જોઈએ હિન્દુ પેન્ટરો, અત્યાર સુધી એક પારસી અને ત્રણ યુરોપિયન પેન્ટરો પાસે પારસી નાટકના પરદાઓ ચીતરાતા હતા પણ તેઓ પછી એક બીજો યુરોપિયન પેન્ટર આવ્યો જેનું નામ પિન્ટો હતું અને તે પિન્ટો સાથે ગણપત અને બાલા નામના બે હિન્દુ પેન્ટરો કામ કરતા હતા. બાલા પેન્ટરને રોકીને કુંવરજી નાઝરે માસિક પગારે તેને રોકી અલાદ્દિન જાદુઈ ફાનસવાલા નાટકની તમામ ભેદભરી સીનરીઓ તેની પાસેથી ચીતરાવી લીદી હતી.  જ્યારે ગણપત જુદી જુદી કલબોમાં માસિક પગારે કામ કરતો હતો. ગણપત સ્વભાવે હસમુખ અને મોજીલો હતો. આ બદા પેન્ટરો તે વખતે ગ્રાન્ટરોડ ઉપર વિકટોરિયા નાટકશાળાની પાછળ મરહુમ ડોસાભાઈ દુબાશવાલા કોસ-કીઝવાલા નામના હોટેલમાં એકાદ દીવાનખાનમાં બેસી આ પરદાઓ ચીતરતા હતા.

આ પછી આવ્યો નવો પારસી પેન્ટર દીનશા ઈરાની જેણે ખુશરો શિરીનના ખેલના પરદાઓને ચીતર્યા હતા. દીનશા પછી બીજો પારસી જવાન જે એક ફત્તેહમંદ પેન્ટર હતો જાલભાઈ આરિયા જેણે ફરામજી અપ્પનુ થિયેટર ચિતરી આપ્યું હતું. જાલભાઈ આરિયાએ રિવોલ્વિંગ સીનો અને સેટિંગવાલા પરદાઓએકથી એક એવા ચીતરી આપ્યા હતા કે તમાશબીન આલમે વાહવાહ કરી હતી

Similar Posts

  • મા તો મા હોય!

    એક બહુ જ મોટા ડોક્ટરની આ વાત છે. તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડો. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા તેઓની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડો. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં.શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની…

  • પ્રાર્થના કરવાની યોગ્ય રીત

    સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 July – 22 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. ઘરવાળા સાથે મતભેદ થતાં વાર નહીં લાગે. બીજાઓ તમારો…

  • હસો મારી સાથે

    એક છોરો ક્ધયા જોવા ગ્યો… એલી ગરબા રમતા આવડે…? છોરી: હકણ…ગરબા, ડાંડિયા, નાચતા હન્ધુય ફાવે… એલી સીવતા ફાવે…? છોરી: હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે… એલી રાંધતા ફાવે..? છોરી: હકણ…ઢોકળા, થેપલા, પાટવડી, પુડલા, ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે એલી ભણી કેટલુક હે…? છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે… છોરો: તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે…

  • ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

    બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં પણ દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે. વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે. જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ…

  • શેઠ કાવસજી પટેલ અગિયારીની 242મી સાલગ્રેહની ઉજવણી

    20મી ફેબ્રુઆરી, 2022, મહારાષ્ટ્રના થાણેમાં શેઠ કાવસજી પટેલ અગિયારીના પવિત્ર આતશ પાદશાહ સાહેબની 242મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. અગિયારી બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર અને અગિયારીની અંદરની દરેક ફ્રેમ પર ફુલોની તોરણોને સુંદર રીતે શણગારવામાં આવી હતી. થાણેના જરથોસ્તી પરિવારો દ્વારા દરેક ગેહ દરમિયાન માચી અર્પણ કરવામાં આવી હતી. સાંજે 4:15 કલાકે માચીની ક્રિયા અને સાંજે 5:00…