તંત્રીની કલમે

Anahita Subedarતમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું.

તો,  પારસીપણું એટલે શું? અમે અનેક પાસીઓને પૂછ્યું કે, આપણી કોમનું પ્રતીક બની ગયેલા આ શબ્દને તેઓ કઈ રીતે વર્ણવશે અને તેમાંના કેટલાક સામાન્ય જવાબ હતા સત્યનિષ્ઠા, પરોપકારવૃત્તિ, સહિષ્ણુતા, ઈમાનદારી, ખાણીપીણીના પ્રેમી, મનોરંજનના ચાહક લોકો, સાંસ્કૃતિક રીતે વિકસીત, હળવા મિજાજના અને રમૂજી. પારસીપણુંને શ્રેષ્ઠતમ રીતે વર્ણવતા બે જવાબ તમારી સાથે શેર કરતા મને ઘણો આનંદ થાય છે, અને તે એટલે દયાળુપણું અને ક્ષમાશીલતા.

સાવ સાચી વાત છે! આપણા ન્યાગાનોએ (પૂર્વજો)  તેમના શબ્દો અને કાર્યોમાં એ વાતની તકેદારી રાખી હતી કે તેઓ પોતાની પાછળ આપણને અન્ય લોકોથી જુદા તારવતા એવા આ બે સૌથી દિવ્ય ગુણોનો અપ્રતિમ વારસો મુકી જશે. આ ગૌરવશીલ વારસાના પ્રાપ્તકર્તા તરીકેનો ગર્વ આપણને હોવો જોઈએ તથા તેને આગળ વધારવો એ આપણી એક માત્ર ફરજ છે.

આવતા અઠવાડિયે આપણે નવા વર્ષમાં પગ મુકી રહ્યા છીએ ત્યારે, ચાલો વીતેલા વર્ષો પર એક નજર કરીએ. પણ સૌથી મહત્વનું એટલે કે, દયાળુપણું અને ક્ષમાશીલતા આ બે અદભુત ગુણો પર આધારિત રહીને આપણે નવું વર્ષ સુંદર બનાવવા પર તથા આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના તથા આપણા માટે નવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ જ બાબત આપણને વધુ બહેતર જરથોસ્તી બનાવશે, કેમકે દયાળુપણું અને ક્ષમાશીલતા જ સારા વિચાર, સારા શબ્દો અને સારા કર્મોનું સીધું ફળ છે!

પારસી ટાઈમ્સની ટીમની ખરા દિલની શુભેચ્છાઓ છે કે આ આવના‚ં નવું વર્ષ તમારા માટે તમામ ખુશી અને સફળતા લાવે! અમારા સૌ તરફથી સાલ મુબારક!

Similar Posts

  • વિન્ટેજ

    મારી એકલતા હવે મને સમજાવા લાગી છે. 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી, મેં ઘણું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ મારી પત્ની છ મહિના પહેલા તેની આગામી સફર માટે નીકળી ગઈ હતી એકલી.. હવે મેં મારો નિત્યક્રમ સેટ કરી લીધો છે. હું સવારે જરા વહેલો જાગી જાઉં છું, શું વાત છે, દીકરો અને વહુ બંને મોડે…

  • તેર બીના જીયા જાયે ના!

    રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી…

  • બુક લોન્ચ: ‘પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી’ મર્ઝબાન ગ્યારા દ્વારા

    માર્ચ 2021માં, ઇતિહાસકાર અને લેખક, મર્ઝબાન જમશેદજી ગ્યારાએ નવસારીના આપણા સમુદાયના કેટલાક અગ્રણી સભ્યોની સમજણના લાભ માટે ‘પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી’ નામનું પોતાનું તાજેતરનું પુસ્તક લોન્ચ કર્યું. લેખક મુજબ, નવસારીના વિકાસમાં પારસીઓનું યોગદાન તેમના નમ્ર સ્વભાવને કારણે જાણીતું છે. પારસી ઇતિહાસમાં નવસારીનું વિશેષ સ્થાન છે, અને તેને ઉદવાડામાં ગાદી અપાય તે પહેલાં 300 વર્ષ સુધી…

  • તમારી કાળજી લો!!

    રિપોર્ટ ડોક્ટરના હાથમાં હતો, નિદાન થયું નોન આલ્કોહોલીક સીરોસીસ.. હું વ્યસનથી હજારો હાથ દૂર હતો. લીવરને નુકસાન થયું હતું.. માત્ર 3 મહિનાનો સમયગાળો હતો મારી પાસે પુત્ર અને પુત્રી તેમના લીવરનું દાન કરવા તૈયાર હતા. પણ મારી દીકરી અને મારું બ્લડ ગ્રુપ મેળ ખાતું નહોતું. એક વિકલ્પ સમાપ્ત થયો. છોકરાનું લિવર 35 જોઈતું હતું તે…

  • ડો. હોમી દારબશાહ દૂધવાલા એસપીપીના નવા પ્રમુખ

    સુરત પારસી પંચાયત (એસપીપી) ટ્રસ્ટીઓની બોર્ડ મીટિંગમાં, 18મી ઓક્ટોબર 2022ના રોજ, જમશેદ દોટીવાલાના રાજીનામાને પગલે, વ્યક્તિગત કારણોસર, ત્રણ વર્ષ માટે, ડો. હોમી દારબશાહ દૂધવાલાને સર્વસંમતિથી એસપીપીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એમએસ (જનરલ સર્જરી), ડીએચએ અને એમટી (દિલ્હી) અને એફઆઈસીએસ (શિકાગો) સહિતની ડિગ્રીઓ સાથે ઉચ્ચ લાયકાત ધરાવતા ડો. દૂધવાલાએ નિવૃત્ત થતાં પહેલાં આડત્રીસ વર્ષ સુરત…