તંત્રીની કલમે

Anahita Subedarતમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું.

તો,  પારસીપણું એટલે શું? અમે અનેક પાસીઓને પૂછ્યું કે, આપણી કોમનું પ્રતીક બની ગયેલા આ શબ્દને તેઓ કઈ રીતે વર્ણવશે અને તેમાંના કેટલાક સામાન્ય જવાબ હતા સત્યનિષ્ઠા, પરોપકારવૃત્તિ, સહિષ્ણુતા, ઈમાનદારી, ખાણીપીણીના પ્રેમી, મનોરંજનના ચાહક લોકો, સાંસ્કૃતિક રીતે વિકસીત, હળવા મિજાજના અને રમૂજી. પારસીપણુંને શ્રેષ્ઠતમ રીતે વર્ણવતા બે જવાબ તમારી સાથે શેર કરતા મને ઘણો આનંદ થાય છે, અને તે એટલે દયાળુપણું અને ક્ષમાશીલતા.

સાવ સાચી વાત છે! આપણા ન્યાગાનોએ (પૂર્વજો)  તેમના શબ્દો અને કાર્યોમાં એ વાતની તકેદારી રાખી હતી કે તેઓ પોતાની પાછળ આપણને અન્ય લોકોથી જુદા તારવતા એવા આ બે સૌથી દિવ્ય ગુણોનો અપ્રતિમ વારસો મુકી જશે. આ ગૌરવશીલ વારસાના પ્રાપ્તકર્તા તરીકેનો ગર્વ આપણને હોવો જોઈએ તથા તેને આગળ વધારવો એ આપણી એક માત્ર ફરજ છે.

આવતા અઠવાડિયે આપણે નવા વર્ષમાં પગ મુકી રહ્યા છીએ ત્યારે, ચાલો વીતેલા વર્ષો પર એક નજર કરીએ. પણ સૌથી મહત્વનું એટલે કે, દયાળુપણું અને ક્ષમાશીલતા આ બે અદભુત ગુણો પર આધારિત રહીને આપણે નવું વર્ષ સુંદર બનાવવા પર તથા આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમના તથા આપણા માટે નવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ જ બાબત આપણને વધુ બહેતર જરથોસ્તી બનાવશે, કેમકે દયાળુપણું અને ક્ષમાશીલતા જ સારા વિચાર, સારા શબ્દો અને સારા કર્મોનું સીધું ફળ છે!

પારસી ટાઈમ્સની ટીમની ખરા દિલની શુભેચ્છાઓ છે કે આ આવના‚ં નવું વર્ષ તમારા માટે તમામ ખુશી અને સફળતા લાવે! અમારા સૌ તરફથી સાલ મુબારક!

Similar Posts

  • ઉરણની ઉમરીગર અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી

    તા. 8મી ઓકટોબર, 2019ના દિને સુરત, મુંબઇ, નવી મુંબઇ અને થાણેના પાંચસોથી વધુ યુવા અને વૃદ્ધ જરથોસ્તીઓ ઉરણની ઉમરીગર અગિયારીની 115મી સાલગ્રેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હાવનગેહમાં સવારે 7.20 કલાકે એરવદ વિરાફ પાવરીએ બોય દીધી. સાલગ્રેહના જશનની ક્રિયા સવારે 10.00 કલાકે એરવદ હોશેદાર અને એરવદ અદી ઝરોલીવાલા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના…

  • સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે…

  • મેંગો કસ્ટર્ડ હલવો

    સામગ્રી: 1 વાટકી કેરીનાં પીસ, 1/2 વાટકી ખાંડ, 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર 4 એલચી નો પાવડર, 6 કાજુ, 6 બદામ, 10 પિસ્તા, 15 કિસમિસ. રીત: પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ, હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ…

  • |

    જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો.. તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ…

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th January – 5th February, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં કોઈને પણ કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. 3જીથી શુક્રની દિનદશા તમને આવતા 70 દિવસમાં તમારા દુ:ખને સુખમાં બદલી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારી અંગત વ્યક્તિ તમારાથી…