પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

વડવાઓનાં નામ પાડવાથી ઉત્પન્ન થતો ભક્તિભાવ

આપણા પારસીઓમાં વડીલો અને પૂજ્ય વડવાઓનાં નામ રાખવાનો ચાલ સાધારણ છે અને આજ સુધી તે વડવાઓના નામ રાખ્યા કરવાથી જ નવાં નામોનો પારસીઓમાં ઉમેરો થતો નથી. સર જમશેદજીના ગુજરવા પછી તેવણના પુત્ર શેઠ ખરશેદજીને ત્યાં જે બેટાનો જન્મ થયો તેનું નામ જમશેદજી રાખવામાં આવ્યું, તે કાંઈ જમશેદ પાદશાહ ઉપરથી નહિ પણ સર જમોદજી ઉપરથી જ ઉપજેલુ છે. પરંતુ સર જમશેદજીનું નામ પણ આગલા વડીલો જમશેદજી થઈ ગયા તેના ઉપરથી લેવાયેલું છે. કોઈએ જમશેદ પાદશાહનાં મરણ પછી જમશેદ નામ ધરાવનારા ઈરાનીઓ તો હજારો બલકે લાખો થઈ ગયા છે.હવે વિચાર કરો કે સર જમશેદજીના છોકરા ખરશેદજીએ ઉમળકા અને ઉકમાઈથી પોતાના બાળકોનું નામ જમશેદજી, પોતાના બાપ જમશેદજી ઉપરથી પાડેલું હોવાથી તે બેટા ઉપર કેટલા માન કેટલા દરજ્જા અને કેટલા વિવેક અને પ્યારથી જોયું હશે! કેટલાં માનથી તે બચ્ચાંને બોલાવ્યું હશે! પોતાના બાપનું નામ પોતાના બચ્ચાંને આપનારો પિતા જ‚ર જ બચ્ચાંને જોતાં બોલવતા, રમાડતાં કે લાડ લડાવતાં પોતાના પૂજય પિતાની એકદમ યાદ મનમાં લાવી દઈ તે જ દરજ્જાથી તે બેટાની સાથે વર્તવાને ગુપ્ત અસર અને ગુપ્ત લાગણીથી બેશક દોરવાઈ જાય છે. એવાં જ કારણે બાપુભાઈ અને બાપુજી એ હિંદુ નામો પણ પારસીઓમાં પેઠા હતા.

Similar Posts

  • સારા સમયની શરૂઆત: એક ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણ

    અત્યારની પરિસ્થિતિ પર હું ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણથી થોડો પ્રકાશ પાડવા માગું છું. વાયરસ, પેન્ડેમિક અથવા કોઈપણ પ્રકારનું દરદ કે બીમારી પરવરદિગાર તરફથી આવતી નથી. પરવરદિગાર શ્રેષ્ઠ છે અને આથી, તેમના તરફથી હંમેશાં માત્ર સારું અને શ્રેષ્ઠ જ આવી શકે છે. અનિષ્ટ કે ખરાબ પરવરદિગારની બહારની સત્તા તરફથી આવે છે, જેનું નામ છે અહરિમન. આપણે કોને વધુ…

  • લીલવાની કચોરી

    સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું. 300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો બનાવવા…

  • હાઇટેક યુગમાં દાદા-દાદીની વાર્તાઓ વિસરાઇ

    ‘ચાલો ચિન્ટુ બેટા ઉંઘવાનો સમય થયો હવે રમવાનું છોડો અને હાથ-પગ ધોઇ ઘરમાં આવો…’ દાદીમાનો વહાલયભર્યો અવાજ સંભળાતો અને હરખાતો, મલકાતો ચિન્ટુ ઘરમાં દોડી આવતો, હાથપગ ધોઇને પહોંચી જતો દાદીમાના ખોળામાં અને કાલી ભાષામાં કહેતો ‘દાદીમા….દા…દી..મા મને વાલતા (વાર્તા) કહો ને ?” અને દાદીમા ‘એક હતો ચકો અને એક હતી ચકી’ કહી વાર્તાનું કથન કરતા…

  • હસો મારી સાથે

    અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે…

  • જીન પાછો તે વાસણમાં ભરાયો

    કહેવત છે કે ‘ગરજ આપણને કાંઈ પણ યુક્તિ શોધી કાઢવાના કાંટા ભોકે છે.’ તેમ આ માછીએ મોતના પંજામાંથી છટકવાની કાંઈ યુક્તિ શોધવાની મહેનત લીધી. તે માછીએ કહ્યું કે ‘ઓ અબલીશ જ્યારે મને મરવા વિના છુટક નથી ત્યારે ખોદાની મરજીને હું શરણ થાઉં છું હું પણ હું કયા પ્રકારે મોતને આધીન થાવું? કેવી રીતે મરવું પસંદ…

  • આપણા કુવાઓમાં દૈવી શક્તિઓ

    આપણા પવિત્ર કુવાઓમાં ભરાયેલું પાણી અહુરા મઝદાની અદ્રશ્ય શક્તિઓથી આશીર્વાદ તથા શક્તિ પામેલું હોય છે. આપણો જરથોસ્તી ધર્મ વહેતા પાણી (સ્થિર પાણીની વિરુદ્ધ) ના ઉપયોગનો આનંદ માણે છે જેના પર સૂર્યના કિરણો પડે છે, જેનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે કરવામાં આવે છે. વહેતા પાણીના બે સરળતાથી ઉપલબ્ધ સ્રોત કુવાઓ અને નદીઓ છે. કૂવો વહેતા પાણીનો…