ગણપતિ બાપ્પા મોર્યા!!!

ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી.

આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થિ દિવસે ચંદ્રમાને જોવો ઘણોજ અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ ચંદ્રમાંને જોઈલો તો તમા‚ં આખું વરસ મુસીબતોથી ઘેરાઈ જાય છે.

આના સંદર્ભમાં વાર્તા છે કે ચંદ્રમાને પોતાના ‚પનું ઘણું જ અભિમાન હતું. ગણેશ ચતુર્થિ ના દિને ગોળ મટોળ ગણપતિબાપ્પાને જોઈને ચંદ્રમાને ઘણું જ હસવું આવી ગયું. ગણપતિ નારાજ થયા અને ચંદ્રમાને શ્રાપ આપી દીધો કે તને રાતે જે જોશે તેને કલંક લાગશે. બીચારા ચંદ્રમાં તો છુપાઈને  એક ખૂણામાં બેસી ગયા. ચંદ્રમાંની આવી હાલત જોઈ બધા દેવોએ ચંદ્રમાને સલાહ આપી કે મોદક અને બીજા પકવાનોથી ગણપતિની પૂજા કરશો તો ગણપતિ પ્રસન્ન થશે અને તમને શ્રાપ માંથી મુક્તિ મળશે.

ચંદ્રમાએ ગણપતિની પૂજા કરી અને એમને પ્રસન્ન કર્યા પરંતુ ગણપતિએ કહ્યું તારા શ્રાપની સંપૂણપણે મુક્તિ નહીં થશે એટલે ગણેશ ચતુર્થિ ને દિવસે જે તને જોશે ફકત તેજ દિવસે તેને કલંક લાગશે અને દુનિયાને યાદ રહેશે કે કોઈના ‚પ રંગ જોઈ તેની મજાક કરવી નહીં.

ગણેશ ચતુર્થિ ને દિને ભકતો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લઈ આવે છે અને તેની સ્થાપના કરે છે. હિંદુ ધર્મના લોકોનું માનવું છે કે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવતા સુખ, સમૃધ્ધિ, બુધ્ધિ અને ખુશર બાપ્પા સાથે લઈને આવે છે અને જતી વખતે ઘરની બાધાઓ બાપ્પા પોતાની સાથે લઈ જાય છે.

Similar Posts

  • ‘સદા સુખી રહેજો’

    ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું…

  • નવસારીમાં આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

    23મી માર્ચ, 2023ના રોજ આવાં યઝદ પરબના શુભ અવસર પર નવસારી લોકમાતા પૂર્ણા નદીના કિનારે, સારી સંખ્યામાં પ્રકૃતિ-પૂજક પારસી જરથોસ્તી સમુદાયે નદીને તાજા ફૂલો, નારિયેળ અને શાશ્ર્વત પારસી મીઠાશના રૂપમાં ખાંડ અને દારની પોરી તેમની વાર્ષિક પરંપરાગત રીતે ધાર્મિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી સાંસ્કૃતિક વિભાગના સક્ષમ સંચાલન હેઠળ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    23 March, 2019 – 29 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી ત્રણનો ખર્ચ કરતા ત્રીસનો થશે તો પણ નાણાકીય તંગી નહીં આવે. ઓપોઝીટ સેકસની નારાજગી દૂર કરી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી…

  • વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

    30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક…

  • શિરીન

     ‘પણ હું તને એ બેમાંથી એક પણ રીતે લઈ જવા માંગતો નથી, શિરીન.’ ‘ત્યારે કેવી રીતે, ફિલ?’ ‘મારી વાઈફ તરીકે.’ ને ત્યારે ખુશાલીથી પોતાના બન્ને કોમળ કરો તે જવાનની ગરદન આસપાસ વીંટળાવી તેણી તે વહાલાના પાસામાં સુખથી થોડોક વાર પડી જ રહી, કે શિરીન વોર્ડનને બીજું કસાનું ભાન રહ્યું જ નહીં. જો તે જ તક…

  • કમળો

    કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…