ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા.

તમાશબીન આલમબી એવી દોરવાઈ ગઈ હતી કે જરાબી સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી, કાબરાજીના મોઢા ઉપર થતાં ફેરફાર જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજકના ડિરેકટર, એક તરતનીજ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય, એ તો અવધિ થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એ જ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતા કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનેજિંગ ભાગીદાર હતા, તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે, મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વતાચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યું મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે અમે ખેલ કરીયે તો તેથી હમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસ્પ્લેનેડ થિયેટર, નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટરોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહીં કેમ કે એવા ખેલો ગ્રાન્ટરોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા. કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી, તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલેકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સભાસદો વિખેરાઈ ગયા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • નારિયેળ અને માવાના લાડુ

    સામગ્રી: પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. બનાવવાની રીત: નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો. …

  • સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

    સ્માઈલ કરાવનારા પ્રખ્યાત ડો. હીરજી એસ. એડેનવાલાનું 89માં વર્ષે તા. 27મી મે, 2020ને દિને નિધન થયું હતું. તે કેરળમાં આવેલ થિસુરમાં જ્યુબિલી મિશન હોસ્પિટલના ચાર્લ્સ પિન્ટો ક્લેફ્ટ સેન્ટરમાં ડિરેકટર હતા. જીવનકાળ દરમ્યાન તેમણે અસંખ્ય બાળકોને સ્મિત અપાવ્યું હતું. જન્મજાત બાળકો જેમના ફાટેલા હોઠ અને તાળવું સુધારનાર સર્જરી માટે તેમણે પાંચ દાયકા સમર્પિત કર્યા હતા. તેમણે…

  • શિરીન

    ‘શું બોલ્યો?’ ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો. ‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’ ‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ…

  • દારાયસ સુરતીએ ફરીથી ગોલ્ડ મેળવ્યું!

    11 થી 17 નવેમ્બર, 2019 દરમિયાન બેંગલુરૂમાં આયોજીત, માસ્ટર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપમાં બરોડાના માસ્ટર શટલર, દારાયસ સુરતીએ મેન્સ ડબલ્સ વેટરન્સ (70+ વય જૂથ) વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દારાયસ સુરતીએ આ વર્ષમાં ચાર સોનાના ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાતના પ્રખ્યાત બેડમિંટન કોચ, દારાયસે ઓગસ્ટ, 2019માં પોલેન્ડમાં યોજાયેલી સિનિયર વર્લ્ડ માસ્ટર્સ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ…

  • પૂનાવાલાએ પુત્રોના નવજોત સમારોહની ઉજવણી કરી

    તાજેતરમાં, પૂનાવાલાએ સાયરસ અને ડેરિયસના સંયુક્ત નવજોત સમારોહની ઉજવણી કરી જે આદર અને નતાશા પૂનાવાલાના બાળકો છે જે પરિવાર માત્ર આપણા સમુદાય અને રાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક હોવાને કારણે ખૂબ જ ગૌરવ લાવે છે. (એસઆઈઆઈ) ડો. સાયરસ પૂનાવાલા 1966 માં, અને આજે રસીના નિર્માતામાં વૈશ્ર્વિક નેતા…

  • નાની પાલખીવાલા પર એક નાટક

    ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી નાનાભોય અથવા નાની અરદેશીર પાલખીવાલાની શતાબ્દી જન્મ જયંતી (16 જાન્યુઆરી, 2020) ની શ્રધ્ધાંજલિ તરીકે, ચેન્નાઇના ડમીઝ ડ્રામા જૂથે તેના નવા બે કલાકના નાટક ધરણીયિન પેરૂમાઇનું ઉદ્ઘાટન કર્યું – જેનો અર્થ થાય છે. વિશ્ર્વનું ગૌરવ – નાના પાલખીવાલાનું એક દસ્તાવેજ-નાટક, માયલાપોર ફાઇન આર્ટ્સ ખાતે યોજાયું, જેમાં બાળપણથી જ નાનીના જીવનના ઘણા…