ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા.

તમાશબીન આલમબી એવી દોરવાઈ ગઈ હતી કે જરાબી સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી, કાબરાજીના મોઢા ઉપર થતાં ફેરફાર જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજકના ડિરેકટર, એક તરતનીજ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય, એ તો અવધિ થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એ જ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતા કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનેજિંગ ભાગીદાર હતા, તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે, મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વતાચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યું મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે અમે ખેલ કરીયે તો તેથી હમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસ્પ્લેનેડ થિયેટર, નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટરોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહીં કેમ કે એવા ખેલો ગ્રાન્ટરોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા. કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી, તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલેકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સભાસદો વિખેરાઈ ગયા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

    7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને…

  • જીને અરજ કબુલ રાખી!

    મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું…

  • કોઢ સાજો થઈ ગયો!

    દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન…

  • માનસિક તાણ

    ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી!…

  • હસો મારી સાથે

    સવારે સાસુ ઝાડુ કાઢવા માંડી તરત જ દીકરાએ કહ્યું, નલાવ મમ્મી, હું ઝાડુ કાઢી દઉં. મમ્મી: નના બેટા, આ તારું કામ નથી. દીકરો: ના મમ્મી મને કાઢવા દે… વહુ: નઅરે, આમાં ઝઘડવાનું શું એક દિવસ મમ્મી કાઢશે, એક દિવસ તમે કાઢજો…

  • આદર: આપણા પવિત્ર આતશનું સ્મરણ

    આદરનો પવિત્ર મહિનો ઊર્જાનો સ્ત્રોત અને અંધકાર દૂર કરનાર આતશું સ્મરણ કરે છે. સર્વોચ્ચ દિવ્યતા અથવા સર્વ સૃષ્ટિનો સ્ત્રોત માનવ આંખ માટે અદ્રશ્ય છે અને સામાન્ય માનવ મન માટે અકલ્પ્ય છે. જો કે, આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને મન દિવ્યતાની કલ્પના અથવા અનુભવ કરી શકે છે; કારણ કે આતશનું કોઈ શરીર…