ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ કેખશ‚ કાબરાજી તેમજ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લેજ જતા હતા. કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળીના સ્થાપક અને ગાયક તરીકે, તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ફાએશ હતી કે મરહુમની હાજરી કોઈબી નાટકશાળામાં ખેલાડીઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠૂંઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલુ માન આપી વર્તતા હતા.

તમાશબીન આલમબી એવી દોરવાઈ ગઈ હતી કે જરાબી સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી, કાબરાજીના મોઢા ઉપર થતાં ફેરફાર જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજકના ડિરેકટર, એક તરતનીજ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય, એ તો અવધિ થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એ જ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતા કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનેજિંગ ભાગીદાર હતા, તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે, મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વતાચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યું મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે અમે ખેલ કરીયે તો તેથી હમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસ્પ્લેનેડ થિયેટર, નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટરોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહીં કેમ કે એવા ખેલો ગ્રાન્ટરોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા. કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી, તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલેકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સભાસદો વિખેરાઈ ગયા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • પારસી જીમખાનાએ ફેબ ઓલ-ઝોરો આર્મ-રેસલિંગ સ્પર્ધા યોજી

    પારસી જીમખાના (પીજી) એ 17મી નવેમ્બર, 2019 ના રોજ તેની ચોથી ઓલ ઝોરાસ્ટ્રિયન પુરુષ અને મહિલા આર્મ-રેસલિંગ સ્પર્ધા યોજી હતી. ઝોરાસ્ટ્રિયન સ્પોર્ટ્સ કેલેન્ડર પર વાર્ષિક લક્ષણની ખૂબ માંગ કરવામાં આવી હતી, રેસલિંગ સ્પર્ધામાં મુંબઈ, પુણે, સુરત, નવસારી અને અમદાવાદના ઉત્સાહી સહભાગીઓ જોવા મળ્યા હતા. સાંજના મુખ્ય અતિથિ વિસ્પી જીમી ખરાડી તેમની પત્ની ફરઝાના સાથે આવ્યા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 May – 12 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. ગરમ મગજને ધીરે ધીરે શાંતિ મળતી જશે. તમારા અટકેલા કામ પુરા કરવા માટે જે પણ મહેનત કરવી પડે તે શરૂ કરી દેજો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. આજથી દરરોજ 34મુ નામ ‘યા…

  • |

    બંદગીના ફાયદાઓ

    ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 March – 17 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. જે પણ કામ કરશો તેમાં ફત્તેહ જરૂર મેળવશો. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. અપોજીટ સેકસ સાથેના મતભેદ ઓછા કરવાનો સીધો રસ્તો…

  • સાત પવિત્ર અમેશા સ્પેન્ટા

    આપણા કેલેન્ડર મુજબ પ્રથમ સાત દિવસોનું નામ સાત અમેશાસ્પેન્ટા પરથી રાખવામાં આવ્યું છે. આમાંના દરેકને કેટલાક મદદગારો અથવા સહાયકો પણ હોય છે જેઓ તેમની ન્યાયી ફરજ બજાવવામાં મદદ કરે છે. અમેશાસ્પેન્ટાનું મહત્વ નીચે મુજબ છે. 1. દાદર હોરમઝદ – ભગવાનનું શાણપણ અને આત્મા (સ્પેન્ટા મૈન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય આદેશો અનુસાર જાગૃત રહેવા અને…

  • કબીરના ધૈર્યની સુંદર કથા ‘સાડીના ટુકડા’

    એક નગરમાં એક વણકર રહેતો હતો. એ સ્વભાવથી ખૂબ શાંત, નમ્ર અને વફાદાર હતો. તેને ક્રોધ તો ક્યારે આવતું જ નહી હતું. એક વાર કેટલાક છોકરાને શેતાનિયત સુઝાઈ. એ બધા તે વણકર પાસે આ સોચીને પહોંચ્યા કે જોઈએ તેને ગુસ્સો કેમ નહી આવે? તેમાં એક છોકરો બહુ ધનવાન માતા-પિતાનો પુત્ર હતો. એ ત્યાં પહોંચીને બોલ્યો…