એકસવાયઝેડ ૧૨,૧૯૯ પગલાં ભરે છે!

xyz-3એકસવાયઝેડની (એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયન્સ) એમએડી (મેકિંગ અ ડિફરન્સ) ‘એકસવાયઝેડ સ્ટેપિંગ ફોરવર્ડ’ નામની જૂતાં એકઠા કરવાની અનોખી પહેલ રવિવાર, બીજી ઓકટોબર, ૨૦૧૬ના દિવસે યોજાઈ હતી. આ ઝુંબેશમાં એકસવાયઝેડના સભ્યો સ્વયંસેકવકો તથા મિત્રોના સહયોગમાં ૧૨, ૧૯૯ જોડી પગરખાં એકઠાં કરીને એવા ઓછા નસીબવાન લોકોને આપ્યા હતા, જેઓ એ ખરીદી શકતા નથી. આ અદભુત ઈવેન્ટના એકસકલુઝિવ મિડિયા પાર્ટનર બનવાનો ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ છે.

એકસ્ટ્રીમલી યંગ ઝોરાસ્ટ્રિયનના પાંચથી ૧૫વર્ષની ઉંમર વચ્ચેના ૧૦૦થી વધુ સભ્યો, તેમના મિત્રો અને પરિવારના સભ્યો સાથે મુંબઈમાં સવારે સાડા નવ વાગ્યાથી સાડાબાર વાગ્યા દરમિયાન ૨૧ જુદી જુદી કોલોની/સ્થળોએ ફરીને માત્ર ત્રણ કલાકમાં અધધ કહી શકાય એટલા ૧૨,૯૯૯ જોડી પગરખાં એકઠાં કર્યા હતા! હમારા ફૂટાથ, ગ્રીનસોલ, એન્જલ એકસ્પ્રેસ ફાઉન્ડેશન, ડબલ્યુડબલ્યુએચ (વી વીલ હેલ્પ ચેરિટેબલ ફાઉન્ડેશન) ટ્રસ્ટ (આરે મિલ્ક કોલોની, ઓસ્કાર ફાઉન્ડેશન તથા અન્ય બિન સરકારી સંસ્થાઓને આ પગરખાં ઓછા નસીબદાર એવા લોકોમાં નિ:શુલ્ક વિતરિત કરવા આપ્યાં હતાં, જેથી તેમના જીવનમાંની મુશ્કેલીઓ થોડી ઓછી થાય. એકસવાયઝેડના સ્થાપક હોશંગ ગોટલાએ જણાવ્યું હતું કે, ‘ઓછા નસીબદાર લોકોની સેવા કરવાની શીખ આ પહેલ દ્વારા આપણી કોમનાં બચ્ચાંઓને મળે છે. અમે આ પહેલની શ‚આત આપણી કોમમાંથી જ કરી હતી અને અમારા પોતાના ઘરમાંથી પગરખાં એકઠાં કરીને તેનો આરંભ કરાયો હતો. ગયા મહિનામાં આ સંદેશ તેમના વાચકોમાં ફેલાવવા બદલ અમે પારસી ટાઈમ્સનો વિશેષ આભાર માનીએ છીએ. પગરખાં દાન કરવાની આ ઝુંબેશ વિશે વાંચ્યા બાદ, થાણેમાંના પારસીઓએ ૨૦૦થી વધુ જોડી પગરખાં એકઠાં કર્યા હતાં અને દિલ્હીમાંના પારસીઓ ઓકટોબર મહિનાના અંતમાં આવું અભિયાન હાથ ધરવાના છે! અમે આશા રાખીયે છીએ કે આપણી નાનકડી કોમનાં બાળકો આપણને સાથે બાંધી રાખે છે તથા એકજૂટ થઈને જ‚રિયાતમંદ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા આપણને સમર્થ બનાવે છે.

ફાઉન્ડેશને અત્યાર સુધીમાં રોકડ દાન તરીકે ‚પિયા એક લાખ એકત્ર કર્યા છે (દરેક પગરખાંના ૨૦૦ ‚પિયા), જેનો ઉપયોગ ૩૦૦ કરતાં વધારે બાળકોને નવા નક્કોર ફૂટબોલ સ્ટડ્સ અને સ્ટોકિંગ્સ પૂરાં પાડવા માટે થશે, આ ઉપરાંત ‘જયપૂર ફૂટ’ તરીકે ઓળખાતા કૃત્રિમ અંગની ૨૦ જોડનું દાન કરવામાં આવશે. એટલું જ નહીં, દાદરના ૧૧મા સીબીડીએ સ્કાઉટ ગ્રુપનો પણ તેમના સહકાર બદલ તથા આપણી કોમના એ લોકો જેમણે પોતાના ઘર અને દિલના દરવાજા ખોલી પગરખાં એકઠાં કરવામાં મદદ કરી છે તેમનો પણ આભાર.

એકસવાયઝેડ ફાઉન્ડેશન મુંબઈની વિવિધ શાળાઓમાં આ પહેલનો બીજો તબકકો શ‚ કરશે. ‘મોટા પરિવર્તનની શ‚આત એક નાના પગલાથી થાય છે અને અમે એ દેખાડવા માગીએ છીએ કે, આપણી નાનકડી કોમ પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અમારા પ્રથમ પ્રયાસને મળેલી અસાધારણ સફળતા જોતાં આ પહેલનો બીજો તબકકો હજી વધુ મોટા પાયે થશે અને તેમાં એકસવાયઝેડના સભ્યો ઉપરાંત મુંબઈની શાળાઓનો સમાવેશ કરી લેવાશે. આ ઝુંબેશમાં કોર્પોરેટ્સનો સહયોગ મળે તો ખૂબ જ સા‚ં રહેશે, જેથી આ પહેલ વધુ જ‚રિયાતમંદો સુધી પહોંચી શકે’, એમ ગોટલા કહે છે.

Similar Posts

  • ગણપતિ બાપ્પા મોર્યા!!!

    ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી. આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ…

  • મનુષ્યના જીવનમાં ક્ષમાનું મહત્વ!

    ક્ષમા માંગવી એ માનવ જીવનમાં ખૂબ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ ભૂલ કરે છે અને તે માટે તરત જ માફી માંગે છે, તો સામેની વ્યક્તિનો ગુસ્સો ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. માફી માંગવી એ વ્યક્તિત્વની સારી ગુણવત્તા છે. એ જ રીતે, કોઈને માફ કરવું એ પણ સારી વ્યક્તિત્વની ઓળખ છે. જો કોઈ માણસ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 April, 2018 – 04 May, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા વડીલ વર્ગની તબિયતનવ સંભાળ રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમને હાઈ પ્રેશર જેવી માંદગી કે માથાના દુ:ખાવાથી પરેશાન કરશે. તમે તમારા ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નહીં રાખો. બને તો કોઈ દસ્તાવેજી કામ કરતા…

  • પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

    ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત…

  • બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

    બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ… ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા….

  • નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

    એક 62 વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવાનુ શરૂં થયું. ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી. તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપોર્ટ આવ્યા. હવે તેઓ તે આંખથી જીવનભર જોઈ નહિ શકે આવું કહેવામાં આવ્યું. તો મિત્રો આપણુ શરીર એ પરમાત્માની…