પૂરાણા પારસીઓનું પૂરાણ

પારસીઓ ઈરાન છોડી ભારતમાં સ્થાયી થયા ત્યારે માદરેવતનમાંથી સાહસિકતા, અગમબુધ્ધિ, નવસર્જનની કળા સાથે જ લઈ આવેલા. તેથી જ થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં તેઓ નવા ચઢાણ સર કરી એક આગવી કોમ તરીકે પંકાયા. એક ભારતીય લેખકે તેમને નવસર્જન અને નવીનતામાં માહીર ગણાવ્યા છે.

આજે ઘણા લોકોને એ વાતની ખબર ન હોય કે ભારતના અજોડ આર્થિક તત્વચિંતક અને રાષ્ટ્રવાદી નેતા દાદાભાઈ નવરોજી ગુજરાતી નાટકોના પિતા સમાન હતા. તેમણે ૧૮૫૨માં નાટક મંડળીની સ્થાપના કરી નાટકોને સ્ટેજ પર રમતા કર્યા હતા.

જમશેદજી તાતાએ દક્ષિણ ગુજરાતની હાફુસ (આલ્ફાન્ઝો) કેરીનું ઉજ્જવળ ભાવિ પારખી ૧૯૦૧માં મુંબઈમાં વલસાડની હાફુસ કેરી સ્ટીમરના કોલ્ડ સ્ટોરેજમાં ભરી દુનિયાના અંગ્રેજ દેશોમાં નિકાસ કરી નામના મેળવી અને વિદેશી હુંડિયામણ ભારતમાં ઠાલવ્યું અને લોકોને એક સૂત્ર ‘બી ઈકવલ ટુ યોર ટેલેન્ટ નોટ યોર એજ’ આપ્યું.

અમદાવાદની પોળોમાં પારસી

હોરમસ માણેકજી પટેલે ભદ્ર વિસ્તારમાં ૧૮૯૬માં ધનજીભાઈ અરેટેડ વર્કસ અને માણેક આઈસ ફેકટરીનું નિર્માણ કર્યુ અને આ લોકોને સોડા, લેમન જીંજર જેવા પીણાની લિજ્જત અપાવી. આ પીણાં કાચની સખત

બાટલીમાં ભરી તેને કાચની લખોટીનો બુચ મારવામાં આવતો. એને લાકડાના હાથ અથવા હાથના અંગુઠાના દબાણ લાવતાં તેમાંથી ફટાકના જેવો અવાજ સાથે આ પીણું બહાર આવતું. (પાછળથી આ સોડાવોટરની બાટલીનો ઉપયોગ તે બાટલીના કાચનો વાટીને ભૂકકો બનાવી પતંગ ચગાવવાના દોરાને માંજવામાં ઉપયોગ થતો) આઈસ્ક્રીમના ઉત્પાદકો પણ પારસીઓજ હતા.

બળદ ગાડીના જમાનામાં ભલભલા પૈસા પાત્ર અમદાવાદીઓ સાયકલ જોડાવવા માટે વલખાં મારતા. તે વખતે ભારતમાં સાયકલ બનતી ન હતી. હીરો અને એટલસ સાયકલોનું ઉત્પાદન આઝાદી પઝી થયું હતું. તે પહેલાં રેલે, બી.એસ.એ. જેવી સાયકલો આયાત કરવામાં આવતી. ભારતમાં કોઈપણ ઈંગ્લેન્ડની બનાવટની હરકયુલીસ પર સવારી કરતા એવા સમયે જહાંગીર દાદાભાઈ કામાને વિચાર આવ્યો કે જો હું ઈંગ્લેન્ડ સાયકલ ખરીદવાની એજન્સી મેળવું તો મને અને દેશને પણ ફાયદો થાય. તેમણે ૧૯૧૨માં સાયકલની દુકાન શ‚ કરી. ૧૯૧૮માં પણ કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થી, કેટલાક પ્રોફેસરો પણ સાયકલ પર બેસી ઘંટડી વગાડતા ‘આઘા ખસો’ એમ બોલતા. ગુજરાત કોલેજ પહોચતા તા મોટરકારનો ઉપયોગ ફકત અડધો ડઝન જેટલાજ ધનીકો કરતા. જમશેદજી તાતાએ ૧૯૦૧માં બે ગાડી આયાત કરી હતી. ૧૯૦૪-૦૫ પછી કારનો વપરાશ વધ્યો. આધુનિકરણમાં પારસીઓનો ફાળો મહત્વનો છે. ૧૮૯૮માં સોરાબજી કરીકારા’ અમદાવાદ ફાઈન સ્પીનીંગ એન્ડ વીવીંજ મીલ સ્થાપી. ૧૯૦૩માં જમશેદજી તાતાએ, એટવીન્કા મીલની સ્થાપના કરી. આમ, પારસીઓ નવીનીકરણ, નવસર્જન, ઉદ્યોગીકરણમાં ઘણા જ આગળ હતા છે અને રહેશે. અને પેલી જૂની કહેવત ‘અગમ બુદ્ધિ વાણીયા અને પચ્છમ બુધ્ધિ પારસી’ને ઉપર લખેલા જૂજ ફકરાની દાખલા-દલીલે ખોટી સાબિત કરી છે.

Similar Posts

  • બીજા બધા દેશાગમનો નિષ્ફળ ગયા હતા

    ઈતિહાસીક ટેકો કીસ્સે સંજાનના બ્યાનને કેટલો બધો છે તે જાણવા મળે છે. હિન્દમાં પારસીઓની આમદ દસ્તુરે દસ્તુરાન દહયુપત નૈરયોસંઘની સરદારી હેઠળ થઈ તે વિશેની ઈલ્મે ક્ષ્નુમ પ્રમાણેની બાબદો ઘણીજ ઉત્તમ છે. બુનક પાસ્બાની અને દિનની હીફાઝત બહેરામે વરઝાવંદ આવે ત્યાં સુધી થઈ શકે તે માટે તો પારસીઓ હિન્દમાં આવ્યા હતા. જેઓના શરીરના અણુએ અણુમાં પારસીપણું…

  • બહમન મહિનાનું સ્વાગત – શાણપણની ઉજવણી

    બહમન (પહલવી વહમન)નો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અવેસ્તામાં, બહમનને સંસ્કૃત વાસુ માનસની જેમ વોહુ (સારા) મન તરીકે ઓળખવામાં આવે છે. વોહુ મન દ્વારા જ શાણપણ પ્રાપ્ત કરી શકાય છે. તેથી, બહમનના આ પવિત્ર મહિનામાં ચાલો શાણપણની ભાવના અથવા સાર ઉજવીએ. અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માંડની પ્રકૃતિ એવી છે કે તે ન તો…

  • બેજનની બાનુ મનીજેહ

    તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે…

  • નીમચ ડીસીએ સંપત્તિ વેચવાના એફપીઝેએઆઈના પ્રસ્તાવને નકારી કાઢયો

    નીમચ (મધ્યપ્રદેશ)માં તેની મિલકતો અંગે સમુદાયમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને, સ્થાનિક નાયબ કલેકટર (ડીસી) એ ફેડરેશન ઓફ પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમન્સ ઓફ ઈન્ડિયા (એફપીઝેડએઆઈ) દ્વારા બનાવેલી મિલકતો વેચવાના પ્રસ્તાવને નકારી કાઢવાનો આદેશ આપ્યો છે. બીપીપી પેટાકંપની. આ વિકાસ સ્થાનિક અખબારમાં મિલકતોના વેચાણ અંગેની જાહેરાત પ્રકાશિત થયાના બે વર્ષ પછી થયો છે. કલેકટરે નિરીક્ષણ કર્યું હતું…

  • હોળી પુજન

    હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને…

  • માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

    આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ. લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ જયારે અહુરમજદની…