ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલું માન આપી વર્તતા હતા.

ઓપેરામાં સોહરાબનો ભાગ ડો. ધનજીભાઈએ ભજવ્યો હતો. ધનજીભાઈ એ ચોપડીની એક નકલ મરહુમ કાબરાજી ઉપર મોકલાવી અને ખેલના ગાયનો આગળ ચાલ્યા હતા. તમાશબીન આલમ એવી તો દોરવાઈ ગઈ હતી કે જરા પણ સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી કાબરાજીના મોઢા પર થતા ફેરફારો જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજતના ડિકરેકટર, એક તરતની જ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય એ તો અવધી થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એજ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતાં કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનજિંગ ભાગીદાર હતા. તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વાતચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યુ મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને આ નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં. કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે હમો ખેલ કરીયે તો તેથી અમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસપ્લેનેડ થિયેટરન નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટ રોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહી કેમ કે એવા ખેલો ગ્રાન્ટ રોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા, કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલિકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન દ્રામેટિક સોસાયટીના સભાસદો વીખેરાઈ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • શેહરેવર મહિનો – દૈવી શક્તિની ઉજવણી

    આપણે હવે શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય)ના પવિત્ર મહિનામાં છીએ, જે અહુરા મઝદાના ઇચ્છનીય આધિપત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને ધાતુઓ અને ખનિજોની અધ્યક્ષતા કરનાર અમેશા સ્પેન્તા અથવા મુખ્ય દેવદૂત છે. પારસી ધર્મે ત્રણ સેમિટિક ધર્મો (યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ) પર ઘણી રીતે પ્રભાવ પાડ્યો છે અને ખાસ કરીને, સ્વર્ગનું રાજ્ય અથવા ઈશ્વરનું રાજ્યની વિભાવના, કેટલાક વિદ્વાનોના…

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ 2017

    આઇયુયુ 2017 એ જે વચન આપ્યું હતું તે પૂરૂં કરીને બતાવ્યું… અને પછી કેટલાક!! તમામ સ્થાનોના ભારતીય પારસી સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ઈરાનશા ઉદવાડામાં એકઠા થયા અને આપણો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, અને મહાન જરથોસ્તીઓને ઉદ્દેશીને, 2017માં આઇયુયુના બીજા અધ્યાયની થયેલી ઉજવણી ખરેખર સમુદાય માટે સન્માન લાયક હતી. આઇયુયુ 2017 જે આપણા ભવ્ય વારસાને અંજલિ આપે…

  • નવરોઝ મુબારક

    નવરોઝના સપેરમાં દિવસે બામદાદમાં ગુસ્તાન પોતાની બાલ્કનીમાં ઉભો રહીને પાક દાદાર અહુરમઝદના શુક્રાના કરતો હતો. એટલામાં જરૂ એક ટ્રેમાં બે કપ ચાહ લઈને આવે છે અને બન્ને જણ એકબીજાને ભેટીને નવરોઝ મુબારક કરેચ. ગુસ્તાદ જરૂને પૂછે છે કે સોલી અને શિરીન ઉઠયા કે? એ લોકોને અને બચ્ચાંઓને આપણને તૈયાર થઈને વહેલુ આતશ બહેરામ પગે લાગવા…

  • દએ મહિનાનું મહત્વ

    માહ દએ દાદાર એ સર્જકને આભાર માનવાનો મહિનો છે અને એક રીત કે જેમાં કૃતજ્ઞતા ધાર્મિક રીતે ઘરે, ઓફિસ અથવા આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારંભો કરી વ્યક્ત કરવામાં આવે છે અથવા સમર્પિત કરવામાં આવે છે તે છે. આ મહિનાના ચાર વિશેષ દિવસોમાં (દિવસ પહેલો – હોરમઝદ, આઠમો દિવસ – દએ આદર, દિવસ પંદર –…

  • યંગ રથેસ્ટાર્સ ગ્રામીણ ગુજરાતના પારસીઓ માટે રાહત લાવે છે

    યંગ રથેસ્ટાર્સનો ગુજરાત ગરીબી રાહત પ્રોજેકટ – દાદર પારસી કોલોનીમાંથી આપણા સમુદાયના અગ્રણી સામાજિક કલ્યાણ સંઘે – 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અન્ય એક સફળ વાર્ષિક ખાદ્ય વિતરણ શિબિરનું આયોજન કર્યું હતું. યંગ રથેસ્ટાર્સના દિગ્ગજ – અરનવાઝ મિસ્ત્રી, હોમિયાર ડોક્ટર, શિરાઝ ગાર્ડ અને અસ્પી એલાવ્યા – આપણા સમુદાયના વંચિત સભ્યોના ભરણપોષણ માટેના પુરવઠા સાથે…