ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

સામાન્ય રીતે કહેવાતું કે મરહુમ કેખશ‚ કાબરાજી તેમ જ મલબારી કોઈ પણ નાટક જોવા જવલ્લે જ જતા કેમ કે રાશ્ત ગોફતારના અધિપતિ અને ગાયન ઉત્તેજક મંડળની સ્થાપક અને ગાયક તરીકે તેવણની નામના એટલી બધી તો નાટકવાળાઓમાં ખાએશ હતી કે મરહુમની હાજરી કોઈ પણ નાટકશાળામાં ખેલાડીઓને તેઓને ધડકાવતી હતી. તેમાં મરહુમ દાદાભાઈ ઠુઠી તો કાબરાજીને પોતાના ગુ‚ જેટલું માન આપી વર્તતા હતા.

ઓપેરામાં સોહરાબનો ભાગ ડો. ધનજીભાઈએ ભજવ્યો હતો. ધનજીભાઈ એ ચોપડીની એક નકલ મરહુમ કાબરાજી ઉપર મોકલાવી અને ખેલના ગાયનો આગળ ચાલ્યા હતા. તમાશબીન આલમ એવી તો દોરવાઈ ગઈ હતી કે જરા પણ સ્ટેજ ઉપર કોઈબી ખેલાડી ગાયન ગાતો કે લોકો સાંભળવાનું પડતું મૂકી કાબરાજીના મોઢા પર થતા ફેરફારો જોતા હતા. કાબરાજી જેવો એક આદમી, રાસ્ત ગોફતારનો અધિપતિ, નાટક ઉત્તેજતના ડિકરેકટર, એક તરતની જ ઉભી થયેલી જવાન પારસીઓની કલબનો નાટક જોવા જાય એ તો અવધી થઈ! પણ કેખશ‚ના બુલંદ સિતારાની એ એક નિશાણી હતી.

હવે બનાવ એવો બન્યો કે એજ રાત્રે મરહુમ કેખશ‚ કાબરાજી, ‚સ્તમ સોહરાબનો ઓપેરા જોવા આવી લાગ્યા હતા. તેવણના આવવાની ખબર સ્ટેજ ઉપર પૂગી ગઈ હતી અને સઘળા ખેલાડીઓ પોતાનું કામ કરવા રાબેતાં કરતાં વધારે ઉલટમાં આવી ગયા હતા. મરહુમ ફરામજી ગુસ્તાદજી દલાલ, જેવણ નાટક ઉત્તેજકના એક મેનજિંગ ભાગીદાર હતા. તેવણ કાબરાજીને નાટકશાળામાં બેઠેલા જોઈ બોલ્યા, ‘અરે એને શાનું એટલું બધું ઉત્તેજન આપવું જોઈએ.’

‘જેને ઘટે તેને કાંય નહીં ઉત્તેજન આપીયે મને તો ગાયન ઘણા જ ગમે છે.’

આ વાતચીત થવા પછી રાસ્ત ગોફતાર છાપામાં ‚સ્તમ સોહરાબ એક રિવ્યુ મરહુમે છાપ્યો હતો. તે વાંચ્યા પછી ફરામજી ગુસ્તાદજીએ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના પેશકારોને જણાવ્યું કે હવે તમુને આ નાટકશાળા વધુ વાર નાટક કરવા મળશે નહીં. કેમ કે શુક્રવારે તમે લોક ખેલ કરો અને શનિવારે હમો ખેલ કરીયે તો તેથી અમારા હાઉસ બેસી જાય છે.’

આ બનાવ પછી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના દરવાજા બંધ કરવાની તે લોકને ફરજ પડી હતી. એસપ્લેનેડ થિયેટરન નાટક ઉત્તેજકવાળાઓએ આપવાનું બંધ કીધું અને ગ્રાન્ટ રોડ ઉપર એવો ઈરાની નાટક ચાલે નહી કેમ કે એવા ખેલો ગ્રાન્ટ રોડ ઉપર જ્યારે નહી ચાલ્યા હતા ત્યારે જ ઉર્દુ નાટકો કરવાની શ‚આત થઈ હતી. આ ખબર સાંભળી ઝોરાસ્ટ્રિયન કલબના ખેલાડીઓ ઘણા જ નાખુશ થયા હતા, કેમ કે ‚સ્તમ સોહરાબનો ઓપેરા લગભગ અગિયાર વખત થયાથી તે લોકોને માટે બેજન અને મનીજેહનો ઓપેરા તૈયાર કરી તેનું કામ પણ શ‚ કીધું હતું. પણ જ્યારે નાટકશાળાના માલિકોએ પોતાની નાટકશાળા ભાડે આપવા સાફ ના પાડી અને બીજી નાટકશાળાઓ નકામી થઈ પડવા જેવો દરેક સંભવ હોવાથી, ઝોરાસ્ટ્રિયન દ્રામેટિક સોસાયટીના સભાસદો વીખેરાઈ ગયા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • દસ્તુરજી ડો. માનેકજી નસરવાનજી ધાલ્લા

    સૃષ્ટિ (સર્જન) તમારી દિવ્ય ભલાઈનું મુક્ત કાર્ય છે, અહુરા મઝદા! જ્યારે કશુંય નહોતું, ત્યારે તમે એકલા તમારી ઉત્કૃષ્ટતાની આત્મનિર્ભરતામાં વસતા હતા. તમે અમેશા સ્પેન્ટાઓના, અને યઝદોના પિતા છો, અને ફ્રવશિશ પણ તમારા જ છે. તમે જ બહેશ્તી આલમને પ્રકાશથી (તેજ) આચ્છાદિત કરી છે અને તમે જ ધરતી અને પાણી તથા છોડવા અને જનાવરો તથા મનુષ્યનું…

  • અમારો જૂનો જમાનો!

    ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો…

  • વિજ્ઞાનીએ સચોટ પ્રમાણથી નાસ્તિકને પરાજય આપ્યો

    સુપ્રસિધ્ધ ખગોળ શાસ્ત્રી કિચ્ચરને ભુગોળ-ખગોળ વિદ્યાનું પૂરેપુરૂં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેને પ્રતિતી થઈ કે વિશ્ર્વની કોઈ બ્રહ્મ જેવી પરમ શક્તિ હાથ છે જ જ્યારે તેનો મિત્ર વિશ્ર્વને બનાવનાર પરમેશ્ર્વર જેવા કોઈ નથી તેમ માને છે. સૃષ્ટિની રચના આપોઆપ થઈ છે અને તેને કોઈએ બનાવી નથી એવો મતવાળો હતો. અનેક પ્રમાણો આપી. કિચ્ચર પોતાના મિત્રને…

  • ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

    સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને…

  • અસ્ફંદાર્મદ ધાર્મિકતા અને સમર્પણનો સમન્વય

    ‘પારસી ટાઈમ્સ દ્વારા દર મહિને મહિનાના પવિત્ર દિવસ (જ્યારે માહ (મહિનો) અને રોજ (દિવસ) બન્ને સાથે હોય છે) પરબની ઉંડી સમજ લેખક નોશીર દાદરાવાલા તરફથી આપવામાં આવે છે. આ વેળાએ 17 જુલાઈ 2017ના દિવસે પરબ છે. અસ્ફંદાર્મદ રોજ અને અસ્ફંદાર્મદ મહિનો એ ઝોરાસ્ટ્રિન કેલેન્ડરને છેલ્લે મહિને છે. તે સ્પેન્તા આરમઈતી ને સમર્પિત છે જે વસુંધરા…

  • મહોબ્બત ઝિંદાબાદ

    જમશેદજી કાટપીટીયાને બાળકો થાય પણ તે અલ્પજીવી નીવડતાં, પાંચ છ મહિનામાંજ પાછાં વળતાં આથી તેઓ બહુ પરેશાન રહેતા. તેમના એક મિત્ર મોહને તેમને એક ઉપાય સૂચવતાં કહ્યું કે ‘જમશા તને છોકરાં તો થાય છે એટલે તમારા બેમાં કોઈ શારિરીક ઉણપ નથી પરંતુ મને લાગે છે કે તને કોઈ ગ્રહ નડે છે. મારો જાણીતો એક જોશી…