પૂરાણા પારસીઓનું પૂરાણ

પારસીઓ ઈરાન છોડી ભારતમાં સ્થાયી થયા ત્યારે માદરેવતનમાંથી સાહસિકતા, અગમબુધ્ધિ, નવસર્જનની કળા સાથે જ લઈ આવેલા. તેથી જ થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં તેઓ નવા ચઢાણ સર કરી એક આગવી કોમ તરીકે પંકાયા. એક ભારતીય લેખકે તેમને નવસર્જન અને નવીનતામાં માહીર ગણાવ્યા છે.

આજે ઘણા લોકોને એ વાતની ખબર ન હોય કે ભારતના અજોડ આર્થિક તત્વચિંતક અને રાષ્ટ્રવાદી નેતા દાદાભાઈ નવરોજી ગુજરાતી નાટકોના પિતા સમાન હતા. તેમણે ૧૮૫૨માં નાટક મંડળીની સ્થાપના કરી નાટકોને સ્ટેજ પર રમતા કર્યા હતા.

જમશેદજી તાતાએ દક્ષિણ ગુજરાતની હાફુસ (આલ્ફાન્ઝો) કેરીનું ઉજ્જવળ ભાવિ પારખી ૧૯૦૧માં મુંબઈમાં વલસાડની હાફુસ કેરી સ્ટીમરના કોલ્ડ સ્ટોરેજમાં ભરી દુનિયાના અંગ્રેજ દેશોમાં નિકાસ કરી નામના મેળવી અને વિદેશી હુંડિયામણ ભારતમાં ઠાલવ્યું અને લોકોને એક સૂત્ર ‘બી ઈકવલ ટુ યોર ટેલેન્ટ નોટ યોર એજ’ આપ્યું.

અમદાવાદની પોળોમાં પારસી

હોરમસ માણેકજી પટેલે ભદ્ર વિસ્તારમાં ૧૮૯૬માં ધનજીભાઈ અરેટેડ વર્કસ અને માણેક આઈસ ફેકટરીનું નિર્માણ કર્યુ અને આ લોકોને સોડા, લેમન જીંજર જેવા પીણાની લિજ્જત અપાવી. આ પીણાં કાચની સખત

બાટલીમાં ભરી તેને કાચની લખોટીનો બુચ મારવામાં આવતો. એને લાકડાના હાથ અથવા હાથના અંગુઠાના દબાણ લાવતાં તેમાંથી ફટાકના જેવો અવાજ સાથે આ પીણું બહાર આવતું. (પાછળથી આ સોડાવોટરની બાટલીનો ઉપયોગ તે બાટલીના કાચનો વાટીને ભૂકકો બનાવી પતંગ ચગાવવાના દોરાને માંજવામાં ઉપયોગ થતો) આઈસ્ક્રીમના ઉત્પાદકો પણ પારસીઓજ હતા.

બળદ ગાડીના જમાનામાં ભલભલા પૈસા પાત્ર અમદાવાદીઓ સાયકલ જોડાવવા માટે વલખાં મારતા. તે વખતે ભારતમાં સાયકલ બનતી ન હતી. હીરો અને એટલસ સાયકલોનું ઉત્પાદન આઝાદી પઝી થયું હતું. તે પહેલાં રેલે, બી.એસ.એ. જેવી સાયકલો આયાત કરવામાં આવતી. ભારતમાં કોઈપણ ઈંગ્લેન્ડની બનાવટની હરકયુલીસ પર સવારી કરતા એવા સમયે જહાંગીર દાદાભાઈ કામાને વિચાર આવ્યો કે જો હું ઈંગ્લેન્ડ સાયકલ ખરીદવાની એજન્સી મેળવું તો મને અને દેશને પણ ફાયદો થાય. તેમણે ૧૯૧૨માં સાયકલની દુકાન શ‚ કરી. ૧૯૧૮માં પણ કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થી, કેટલાક પ્રોફેસરો પણ સાયકલ પર બેસી ઘંટડી વગાડતા ‘આઘા ખસો’ એમ બોલતા. ગુજરાત કોલેજ પહોચતા તા મોટરકારનો ઉપયોગ ફકત અડધો ડઝન જેટલાજ ધનીકો કરતા. જમશેદજી તાતાએ ૧૯૦૧માં બે ગાડી આયાત કરી હતી. ૧૯૦૪-૦૫ પછી કારનો વપરાશ વધ્યો. આધુનિકરણમાં પારસીઓનો ફાળો મહત્વનો છે. ૧૮૯૮માં સોરાબજી કરીકારા’ અમદાવાદ ફાઈન સ્પીનીંગ એન્ડ વીવીંજ મીલ સ્થાપી. ૧૯૦૩માં જમશેદજી તાતાએ, એટવીન્કા મીલની સ્થાપના કરી. આમ, પારસીઓ નવીનીકરણ, નવસર્જન, ઉદ્યોગીકરણમાં ઘણા જ આગળ હતા છે અને રહેશે. અને પેલી જૂની કહેવત ‘અગમ બુદ્ધિ વાણીયા અને પચ્છમ બુધ્ધિ પારસી’ને ઉપર લખેલા જૂજ ફકરાની દાખલા-દલીલે ખોટી સાબિત કરી છે.

Similar Posts

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…

  • દીકરી અને પુત્રવધુનો તફાવત!

    હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો. તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે. સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે…

  • દારાયસ સુરતીએ ફરીથી ગોલ્ડ મેળવ્યું!

    11 થી 17 નવેમ્બર, 2019 દરમિયાન બેંગલુરૂમાં આયોજીત, માસ્ટર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપમાં બરોડાના માસ્ટર શટલર, દારાયસ સુરતીએ મેન્સ ડબલ્સ વેટરન્સ (70+ વય જૂથ) વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દારાયસ સુરતીએ આ વર્ષમાં ચાર સોનાના ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાતના પ્રખ્યાત બેડમિંટન કોચ, દારાયસે ઓગસ્ટ, 2019માં પોલેન્ડમાં યોજાયેલી સિનિયર વર્લ્ડ માસ્ટર્સ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ…

  • પરોપકાર હાવભાવના પ્રકારનું ‘હાસ્ય’ એકવાર ફરી!

     ‘ધ નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિન્ગ આર્ટસ’ (એનસીપીએ) અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુઝેડઓ) ટ્રસ્ટ, નાટકના પ્રોડ્યુસરો અને દિગ્દર્શકો સાથે ‘લાફટર ઈન ધ હાઉસ-2’એ નકકી કર્યુ છે કે આપણા સમુદાયના સભ્યો જે થિયેટરના ઉત્સાહી છે પરંતુ નિયમિત દરે ટિકીટો ખરીદવા માટે અસમર્થ છે. તેમને 400થી વધુ ટિકીટો મફત આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રસિધ્ધ કલાકાર અદી મર્ઝબાનની…

  • ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

    ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ હીરજી જીવનજી રેડીમની દરેમહેરની 205માં વરસની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2017ને દિને કરવામાં આવી હતી. પંથકી એરવદ ફરશોગર માદન, એરવદ પરવેઝ માદન, એરવદ હોમિયાર મસાની અને એરવદ પરવેઝ કરંજીયા દ્વારા જશનની પવિત્ર ક્રિયા સવારે 9.30 કલાકે ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી.  ત્યારબાદ હમબંદગી અને અગિયારીને સેવા આપનાર એરવદ ફરશોગરને સન્માન આપવામાં…

  • સમર વેકેશન કોચીંગ કેમ્પની શનિવારે પુર્ણાહુતિ

    તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો…