પૂરાણા પારસીઓનું પૂરાણ

પારસીઓ ઈરાન છોડી ભારતમાં સ્થાયી થયા ત્યારે માદરેવતનમાંથી સાહસિકતા, અગમબુધ્ધિ, નવસર્જનની કળા સાથે જ લઈ આવેલા. તેથી જ થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં તેઓ નવા ચઢાણ સર કરી એક આગવી કોમ તરીકે પંકાયા. એક ભારતીય લેખકે તેમને નવસર્જન અને નવીનતામાં માહીર ગણાવ્યા છે.

આજે ઘણા લોકોને એ વાતની ખબર ન હોય કે ભારતના અજોડ આર્થિક તત્વચિંતક અને રાષ્ટ્રવાદી નેતા દાદાભાઈ નવરોજી ગુજરાતી નાટકોના પિતા સમાન હતા. તેમણે ૧૮૫૨માં નાટક મંડળીની સ્થાપના કરી નાટકોને સ્ટેજ પર રમતા કર્યા હતા.

જમશેદજી તાતાએ દક્ષિણ ગુજરાતની હાફુસ (આલ્ફાન્ઝો) કેરીનું ઉજ્જવળ ભાવિ પારખી ૧૯૦૧માં મુંબઈમાં વલસાડની હાફુસ કેરી સ્ટીમરના કોલ્ડ સ્ટોરેજમાં ભરી દુનિયાના અંગ્રેજ દેશોમાં નિકાસ કરી નામના મેળવી અને વિદેશી હુંડિયામણ ભારતમાં ઠાલવ્યું અને લોકોને એક સૂત્ર ‘બી ઈકવલ ટુ યોર ટેલેન્ટ નોટ યોર એજ’ આપ્યું.

અમદાવાદની પોળોમાં પારસી

હોરમસ માણેકજી પટેલે ભદ્ર વિસ્તારમાં ૧૮૯૬માં ધનજીભાઈ અરેટેડ વર્કસ અને માણેક આઈસ ફેકટરીનું નિર્માણ કર્યુ અને આ લોકોને સોડા, લેમન જીંજર જેવા પીણાની લિજ્જત અપાવી. આ પીણાં કાચની સખત

બાટલીમાં ભરી તેને કાચની લખોટીનો બુચ મારવામાં આવતો. એને લાકડાના હાથ અથવા હાથના અંગુઠાના દબાણ લાવતાં તેમાંથી ફટાકના જેવો અવાજ સાથે આ પીણું બહાર આવતું. (પાછળથી આ સોડાવોટરની બાટલીનો ઉપયોગ તે બાટલીના કાચનો વાટીને ભૂકકો બનાવી પતંગ ચગાવવાના દોરાને માંજવામાં ઉપયોગ થતો) આઈસ્ક્રીમના ઉત્પાદકો પણ પારસીઓજ હતા.

બળદ ગાડીના જમાનામાં ભલભલા પૈસા પાત્ર અમદાવાદીઓ સાયકલ જોડાવવા માટે વલખાં મારતા. તે વખતે ભારતમાં સાયકલ બનતી ન હતી. હીરો અને એટલસ સાયકલોનું ઉત્પાદન આઝાદી પઝી થયું હતું. તે પહેલાં રેલે, બી.એસ.એ. જેવી સાયકલો આયાત કરવામાં આવતી. ભારતમાં કોઈપણ ઈંગ્લેન્ડની બનાવટની હરકયુલીસ પર સવારી કરતા એવા સમયે જહાંગીર દાદાભાઈ કામાને વિચાર આવ્યો કે જો હું ઈંગ્લેન્ડ સાયકલ ખરીદવાની એજન્સી મેળવું તો મને અને દેશને પણ ફાયદો થાય. તેમણે ૧૯૧૨માં સાયકલની દુકાન શ‚ કરી. ૧૯૧૮માં પણ કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થી, કેટલાક પ્રોફેસરો પણ સાયકલ પર બેસી ઘંટડી વગાડતા ‘આઘા ખસો’ એમ બોલતા. ગુજરાત કોલેજ પહોચતા તા મોટરકારનો ઉપયોગ ફકત અડધો ડઝન જેટલાજ ધનીકો કરતા. જમશેદજી તાતાએ ૧૯૦૧માં બે ગાડી આયાત કરી હતી. ૧૯૦૪-૦૫ પછી કારનો વપરાશ વધ્યો. આધુનિકરણમાં પારસીઓનો ફાળો મહત્વનો છે. ૧૮૯૮માં સોરાબજી કરીકારા’ અમદાવાદ ફાઈન સ્પીનીંગ એન્ડ વીવીંજ મીલ સ્થાપી. ૧૯૦૩માં જમશેદજી તાતાએ, એટવીન્કા મીલની સ્થાપના કરી. આમ, પારસીઓ નવીનીકરણ, નવસર્જન, ઉદ્યોગીકરણમાં ઘણા જ આગળ હતા છે અને રહેશે. અને પેલી જૂની કહેવત ‘અગમ બુદ્ધિ વાણીયા અને પચ્છમ બુધ્ધિ પારસી’ને ઉપર લખેલા જૂજ ફકરાની દાખલા-દલીલે ખોટી સાબિત કરી છે.

Similar Posts

  • વાપીઝે બે ભાઈઓની નવજોત કરાવી

    10 મી જાન્યુઆરી, 2021માં, કામા બાગ (નાના ઓટલા) ખાતે વાપીઝ દ્વારા બે ભાઈઓ અસ્પંદિયાર અને ઔરીય નવરોઝ અટાઈની નવજોત કરવામાં આવી. યોજાયેલા કાર્યક્રમમાં પચીસ શુભેચ્છકો સાથે વાપીઝના સીઈઓ અનાહિતા દેસાઈ અને ટ્રસ્ટીઝ, ડોનર સુનુ હોશંગ બુહારીવાલા ઝેડસીબીએલના અધ્યક્ષ – હોમાય દારૂવાલ, અરનવાઝ મિસ્ત્રી અને બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ભાગ લીધો હતો. ગત ડિસેમ્બરમાં 2 પારસી…

  • મગની દાળનો શીરો

    સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ. રીત: મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે છોતરા વગરની મગની દાળ લેવી અને દાળને પલાળી લેવી. મગની દાળને મિક્સરમાં પીસો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે…

  • આરોગ્યમ ધનસંપદા: શારીરિક અને માનસિક કસરત કરો

    તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારૂં ભૌતિક શરીર સારું હોવું જરૂરી છે. તમે તમામ આયોજન કર્યું છે, એક મોટા ધ્યેયની કલ્પના કરી છે અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તમે તમારા શરીરનું કયારે ધ્યાન નથી રાખ્યું. તમારૂં શરીર તમારા જીવનની સફરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. તેને સારી સ્થિતિમાં રાખવા માટે, તમારે શારીરિક…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th January – 17th January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ એક જગ્યાએ સ્થિર નહીં રહે.  તમારા વિચારો નેગેટિવ રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ઘરવાળા કે મિત્રો નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરશે. કોઈની સાચી સલાહ આપશો તો તમારાથી…

  • અવેસ્તા અને પહલવીનો કોર્સ

    અવેસ્તા અને પહલવી શીખો ધાર્મિક વિદ્વાન, એરવદ ડો. પરવેઝ બજાંના સક્ષમ માર્ગદર્શન હેઠળ. આપણી પરંપરા અને પરંપરાગત ભાષાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી, આ અભ્યાસક્રમો છેલ્લા 155 વર્ષથી ચાલે છે. અવેસ્તાન ભાષા ઉપરાંત, વિદ્યાર્થીઓને અન્ય પ્રાચીન ભાષાઓ – પહલવી (મધ્ય પર્સિયન), પાઝાંદ અને ક્યુનિફોર્મ ભાષા પણ શીખવવામાં આવે છે – જૂના જમાનાના સામ્રાજ્યના ખડક શિલાલેખોની ભાષા, જે…

  • માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

    માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ…