અમર ઈરાન: યાદગાર પાર્સી યોદ્ધો આર્તાચીઈસ – પૂરાતન ગ્રીક લોકોથી દેવતાઈ માન પામેલા એક મહાન પારસીને લગતી ટુંક નોંધ

પ્યારી સરજમીન ઈરાનના ભૂલાઈ ગયલા મહાન પારસી યોદ્ધાઓમાંના એક યાદગાર યોદ્ધા આર્તાચીઈસને લગતી ટુંક નોંધ આજે આપણે રજુ કરીશું. આ નામાંકિત પારસી નરને લગતી અતિશય ટુંકી નોંધ તવારિખનો પિતા નામિચો ગ્રીક તવારિખનવેશ હીરોડોટસ પોતાનાં પ્રસિદ્ધ પુસ્તકમાં લખી ગયો છે તે ઉપરથી નિચલો હેવાલ ઉપજાવી

કાઢ્યો છે:-

અમર આર્તાચીઈસ હખામનીશના નામિચા પારસી પાદશાહી ખાનદાનનો એક વનામાંકિત નબીરો હતો અને તે જગમશહુર ખાનદાનનું ઉંચુ બ્લુ લોહી તેની રગોમાં વહેતું હતું. તેનું શારીરિક બંધારણ કોઈ પણ માણસને અદેખાઈ ઉપજાવે તેમ હતું. તેનું કદ રાક્ષસી હતું. અને ઉંચાઈમાં તો તેની બરાબરી તે જમાનામાં કોઈ પણ કરી શકતું નહિ.હીરોડોટસના કહેવા મુજબ તેની ઉંચાઈ પાંચ ક્યુબિટમાં ફકત ચારજ આંગળ કમી હતી યાને હાલની ગણત્રી પ્રમાણે 8 ફીટ 2 ઈંચની તે રાક્ષસી ઉંચાઈ ધરાવતો હતો. તેની પછી ઉંચાઈમાં બીજે નંબરે હખામની શાહાનશાહ મહાત્મા ક્ષયાર્શા (ઝર્ક્ષીઝ) પોતે આવતો હતો. વળી કહે છે કે આખી દુનિયામાં તેના જેવો મોટો અવાજ કોઈનો પણ હતો નહિ.

શારીરિક બળ અને બંધારણમાં જ્યારે તે બિનહરિફ હતો ત્યારે તેનું માનસિક બળ પણ હયરત કરનારૂં હતું. તે અત્યંત અક્કલમંદ અને ઘણોજ બાહોશ હતો. તેણે પોતાના હાથ હેઠળનાઓનો પ્યાર જીતી લીધો હતો.

મહાત્મા ક્ષયાર્શાનો તે અતિશય માનિતો હતો. તેથી તે નામદારે એથોસની નેહેરનાં મહાભારત બાંધકામ ઉપર દેખરેખ રાખવાનું જોખમભર્યું કામ તેને સોંપ્યું હતું. તે ઉંચો ઓધ્ધો તેણે થોડાંક વરસો સૂધી ભોગવ્યો. પરંતુ જ્યારે પોતાની ગ્રીસ ઉપરની મહાભારત ચઢાઈ દરમ્યાન મહાત્મા ક્ષયાર્શા કુચ કરતો છેક એકેન્થસ શહેર સૂધી આવી પહોંચ્યો ત્યારે તે પ્રસિદ્ધ સરદાર થોડા દિવસની માંદગી ભોગવી મરણ પામ્યો. તેનાં મોતથી તે તાજદારને ભારે ગમ ઉપજ્યો. કારણ કે તે તે રાજકર્તાનો સર્વથી વફાદારમાનિતો સપેહસાલાર હતો. તેની લાશને દફનાવી ઠેકાણે પાડવા તે નામદારે એક ભપકામંદ અસ્તોદાન બંધાવ્યું હતું. કહે છે કે તેની પાયદસ્તની ક્રિયામાં આખા ઈરાની લશ્કરે ભાગ લઈ તેને મોટું માન આપ્યું હતું.

પરંતુ યાદગાર આર્તાચીઈસની બાબદમાં પારસીઓને મગરૂરી કરનારો જે બનાવ બન્યો તે તો નિચે મુજબ છે:  કહે છે કે તે જગપ્રસિદ્ધ યોેધ્ધો પોતાના ગ્રીસ ખાતેના ટુંક અમલ દરમિયાન ગ્રીક લોકોનો ઘણોજ માનિતો થઈ પડ્યો હતો. તેની હયાતીમાં તેનું રાક્ષસી કદ જોઈ ગ્રીક લોકો તેને એક પહેલવાનના જેટલું મોટું માન આપતા હતા. પણ તેનાં મૃત્યુ પછી તો એકેન્થિયન ગ્રીકો તેને એક દેવતા સમજી તેની આરાધના કરવા લાગ્યા અને જ્યારે પણ તે વહેમીઓ પોતાની કોઈ ધારણા પાર પાડવા માંગતા ત્યારે તેઓ તેને યાદ કરી તેની મદદના તલબગાર થતા. પારસીઓ માટે આ બનાવ ખચિતજ મગરૂરીભર્યો ગણાવો જોઈએ.

ખરેખર તેના જેવા વીરનરને ધરાવવા માટે તે જમાનાના પારસીઓ મગરૂર અને ભાગ્યશાળી હતા. તેને લગતી ઝાઝી નોંધ જો કે આપણને મળી નથી, તો પણ તેની જીંદગી આપણને એક ઉમદા ધડો શિખવે છે. કમનશીબે તેને લગતું બધું વર્ણન આપણને મળતું નહિ હોવાથી તેના જેવા બુદ્ધિશાળી નીતિમાન મહાન પુરૂષનાં બીજાં કીર્તીવંત કામોથી આપણે બિલકુલ બેખબર છીએ. એવા નામાંકિત નરને આજના મોજીલા પારસીઓ સદંતર ભૂલી ગયા છે. તે તેઓ માટે શોભાભર્યું કવચિતજ ગણાય. શું આ આર્તાચીઈસનું રૂડું નામ નામધરણની ટીપમાં લેવાને લાયક નથી?

આપણા એ વહાલા વડીલના અશો ફરોહરને મોટા માન સાથે યાદ કરી ખતમ કરૂં છું.

Similar Posts

  • હસો મારી સાથે

    મધર્સ ડે સેલીબ્રેટ કર્યો ને આજે મમ્મીની બહુ યાદ આવી. હું નાનો હતો ત્યારે કોઈ પણ લેડી મારાં વખાણ કરે એટલે મમ્મી એને કહેતી ચાર દિવસ રાખી જુઓ તમારે ત્યાં, પછી ખબર પડશે. આજે વાઇફની બહેનપણી ઘરે આવી હતી મને ઘરકામ કરતો જોઇને બોલી ‘કેટલાં સારા છે તારા હસબંડ’. વાઇફ એક અક્ષર પણ મોઢામાંથી ના…

  • દરેક ગેહ માંડવાનો વખત

    ગયા અંકથી ચાલુ સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની…

  • હસો મારી સાથે

    એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની…

  • વિશેષ અદાલત પારસી દંપતીઓને છૂટાછેડા અપાવશે

    સુરતના 65 કિલોમીટર દૂર આવેલા ગુજરાતના વ્યારા શહેરના એક પારસી દંપતીને 26 નવેમ્બર, 2019 ના રોજ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે છૂટાછેડા આપ્યા હતા. પારસી ડિસ્ટ્રિક્ટ મેટ્રિમોનિયલ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. કે. દેસાઇ અને સમાજના અંદરના પાંચ પ્રતિનિધિઓના સહાયથી આ કાર્ય થયું હતું. છ વર્ષની પુત્રીની કાનૂની કસ્ટડી માતાને આપવામાં આવી હતી. પારસી લગ્ન…

  • કેન્દ્ર સરકારે કોવિડ પીડિતો માટેની પારસીઓની દોખ્મેનાશિનીની અરજીને નકારી કાઢી

    17મી જાન્યુઆરી 2022ના રોજ ભારત સરકારે સુપ્રિમ કોર્ટને નિર્દેશ આપ્યો કે જેઓ કોવિડ-19થી જેમનું મૃત્યુ થયેલ છે તેમના મૃતદેહના અંતિમસંસ્કાર માટે અગ્નિદાહ આપવાના કે દફનવિધિના નિયમમાં કોઈ ફેરફાર ન કરે જેથી ડોખ્મેનાશિની અથવા પારસી સમુદાયના પરંપરાગત અંતિમ સંસ્કારની ક્રિયાનો હક્ક તેમને મળી શકે, કારણ કે પારસી સમાજમાં મૃતકોની દફનવિધિ કે અગ્નિસંસ્કાર પર મનાઈ ફરવામી છે….

  • સોયા ચિલી

    જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ ટેસ્ટી ખાવાનું જોઇને કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી. સામગ્રી: 100 ગ્રામ સોયાબીન નગેટ્સ, 1/2…