શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

મારયો તેણીએ પોકાર એક સખ્ત,
“અફસોસ! કે મારૂં એવું બદ બખ્ત!
બાળ્યું મેં દિલ, કાહડ્યો મેં વખ્ત,
આંખમાંથી રેડ્યાં આંસુ બહુ સખ્ત!
બેજનને આપ્યું મારૂં મે દેલ,
તે ખાતર છોડ્યાં મા બાપ ને મેહેલ,
તે ખાતર તજ્યાં ખાંન અને પાંન,
થાય છે તે આખેર એમ બદ ગુમાંન!
બાપ અને ખેશીઓ થયાં બેજાર,
રખડી ને રઝળી સર્વને દ્વાર;
ગંજ અને દીનાર, ગોહર ને તાજ,
સર્વને તજી બેઠી હું આજ!
ઉમેદો તજી થઈ નાઉમેદ,
જેહાંન થઈ શીહા, આંખો સફેદ;
પણ છુપાવે હવે ભેદ અને રાજ,
પિછાણનાર તુંજ છે, ઓ કારસાજ!”

આ સખુનો સાંભળી બેજન મનમાં ઘણો મુઝાયો અને મનીજેહ પાસે દરગુજર ચાહી, કે “હા ખરૂં છે, કે તેં મારે ખાતર બધું તજ્યું છે. પણ આ દુ:ખથી મારૂં મગજ ઠેકાણે રેહેતું નથી. હવે તું જાણ કે પેલો વેપારી મને આ રંજમાંથી છોડવશે. તેની આગળ તું જા, અને અરજ કરીને પુછ, કે શું તે રખશનો માલેક યાને રૂસ્તમ છે?”

મનીજેહ દોડતી તે વેપારી આગળ ગઈ અને બેજને પુછવા કહ્યું તેમ પુછ્યું. રૂસ્તમે જાણ્યું, કે તેની વીંટી ઉપરથી બેજને તેને પિછાણ્યો છે અને તેણે આ બાનુને તે વાત કહી છે. આથી તેણે જવાબ દીધો કે “હા, હું રૂસ્તમ છું. હવે તું આ વાત કોઈને કહેતી ના. તુ ગુપચુપ જા અને થોડાંક લાકડાં બેજનના બંદીખાનાના ગાર આગળ લાવી રાખ, અને  રાતના તે સળગાવજે કે તેની રોશનીથી હું તેના ગારની જગ્યા શોધી શકું.”

મનીજેહ ખુશી થતી બેજન આગળ ગઈ અને તેને સઘળી ખબર કહી. બેજન તથી ખુશ ખુશ થઈ ગયો અને તેણે દાદારની બંદગી કરી શુક્રાના કીધા.

મનીજેહ હવે જંગલ ભણી ગઈ અને ઝાડે ઝાડ ચહડી પોતાને હાથે સુકાં લાકડાં પાડ્યા અને પેલા ગાર આગળ એકઠાં કરી રાત પડતાં તે સળગાવ્યાં.

રાત પડતાં રૂસ્તમે તે દાદારને યાદ કરી તેની મદદ માંગી અને પછી લડાઈનું બખતર પેહરી પોતાના સાત પહેલવાનો સાથે જંગલ ભણી ગયો. તે મનીજેહે સળગાવેલા આતશની ભભુક જોઈ તે તરફ ગયો. ત્યાં આવતાં તેણે બંધીખાનાના ગાર ઉપર એક મોટો પથ્થર ઢાંકેલો જોયો. તે પથ્થર ઉપર થોડોક ભાગ ઉંઘાડો હતો. તેમાંથી મનીજેહ બેજનને ખાણું પહોંચાડતી હતી. રૂસ્તમે પોતાના પહેલવાનોને કહ્યું કે “આ પથ્થર હવે ઉંચકી નાખો.” તેઓએ ઘોડા ઉપરથી ઉતરી ઘણી કોશેશ કીધી, પણ પથ્થર એવો ભારે હતો કે તેઓ તે ખસેડી શક્યા નહિ. ત્યારે રૂસ્તમ પોતે ઘોડા ઉપરથી ઉતર્યો અને દાદારને યાદ કરી એકદમ જોર કરી તે પથ્થરને દૂર ફેંકી દીધો. આ પછી ગારના મોંહ આગળ આવી તેણે બેજન સાથે વાત કરવા માંડી. તે બોલ્યો કે “બેજન! તું અહીં ક્યાં આવી પડ્યો? તુંને દુનિયામાં નાજ અને સુખ ઘણું હતું, તે છોડી આ રંજમાં શું કરવા આવી પડ્યો?” બેજને અંદરથી જવાબ આપી રૂસ્તમની ખબર પુછી અને કહ્યું કે “તારો અવાજ મેં સાંભળ્યો, કે મારાં સઘળાં દુ:ખનું ઝેર મધ મિસાલ થઈ ગયું છે.” રૂસ્તમ બોલ્યો કે “હું તને બહાર કાઢું, તેની આગમચ મારે તુને એક અરજ કરવી છે, કે તું ગુર્ગીનને માફ કર અને તેનાપર કીનો લે નહિ.” બેજને જવાબ દીધો કે “ઓ પહેલવાન! તું જાણતો નથી કે ગુર્ગીને મારી સાથે કેવી વર્તણુંક ચલાવી છે! મારી નજર એનાપર પડશે, તેવોજ હું તેની ઉપર કીનો લઈશ.” ત્યારે રૂસ્તમે કહ્યું કે “જો તું મારી માગણી કબૂલ રાખવા માંગતો નથી તો હું તુંને આ ગારમાં મેલી પાછો જાઉં છું.” અંતે બેજને તેનો સખુન કબૂલ કર્યો, અને ગુર્ગીનને માફ કીધું. હવે રૂસ્તમે પોતાની કમન્દ નીચે ગારમાં ફેંકી અને તે પકડી બેજન ઉપર ચઢી આવ્યો. તેના પગોમાં અને હાથોમાં જે બેડીઓ હતી તે રૂસ્તમે ભાંગીને કાઢી નાખી. પછી ગુર્ગીન બેજન આગળ આવ્યો અને તેને પગે પડી પોતાની તકસીર માટે માફી ચાહી.

Similar Posts

  • દિવાળીએ પ્રકાશનો તહેવાર છે ઘોંઘાટનો નહીં

    પારસી સમુદાય ઉજવણી કરવાનું પસંદ કરે છે. આપણા પોતાના તહેવારો જ નહીં, પરંતુ દિવાળી અને ક્રિસમસ સમાન ઉત્સાહ સાથે ઉજવે છે. જો કે, ઘણી વખત આપણા ઉત્સાહમાં, આપણા પોતાના ધર્મના અમુક મૂળભૂત ઉપદેશોનું આપણે જ ઉલ્લંઘન કરીએ છીએ. ઉદાહરણ તરીકે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનો દુરુપયોગ. ફટાકડા માત્ર હવા અને ધ્વનિ પ્રદૂષણનો સ્ત્રોત નથી, પરંતુ એ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th June – 19th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી …

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 May – 14 May, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં તમને જ્યાંથી શાંતિ મળે તેવા કામ કરશો. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. ફેમીલીમાં મતભેદ દૂર કરી શાંતિ લાવવામાં સફળ થશો. પ્રમોશન મલવાના ચાન્સ છે. તમારી બગડેલી તબિયતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08th August – 14th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમારા રોજના કામ વીજળી વેગે પૂરા કરી શકશો. તમારા શત્રુઓને મીઠી જબાન વાપરી પોતાના કરી લેશો. જે પણ કામ કરતા હશો ત્યાં થોડી મહેનત કરવાથી ઇન્કમ વધારી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે.દરરોજ…

  • |

    ખુશ રહેવાનું રહસ્ય!

    એક સમયની વાત છે એક ગામમાં મહાન બાબાજી રહેતા હતા. લોકો તેમની પાસે તેમની મુશ્કેલી લઈને આવતા હતા ને બાબાજી તેમનું માર્ગદર્શન કરતા. તે ગામનો સરપંચ મનસુખ શેઠ ઘણોજ સમજદાર હતો. તે લોકોને મદદ કરતો. લોકોમાં તે ઘણો માનીતો હતો. તેણે પણ આ બાબાજી વિશે સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ કોઈ દિવસ મલવા નહોતો ગયો. એક…

  • કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો

    અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો. સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી. વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ…