ઓસ્તાસ અને એરવદો માટેનો 17મો રેસિડેન્શીયલ તથા બેહદીન પાસબાન માટેનો 10મો રેસિડેન્સીયલ વર્કશોપ

28મી એપ્રિલ 2018ને દિને સાંજે 5.30 કલાકે જશનની ક્રિયા એરવદ કેકી રાવજી દ્વારા કરવામાં આવી અને ચીફ ગેસ્ટ એરવદ ડો. પરવેઝ બજાં જેમણે મોબેદ, એરવદ, દસ્તુર તેમજ ‘બહેદિન પાસબાન’ માટે ઉંડાણમાં જણાવ્યું. ગ્રામવાસીના અગિયારીના ટ્રસ્ટી તેમજ પંથકી સાહેબો એપ્રીશીએશન લેટર આપી બહેદિન પાસબાન સાહેબોને જે સન્માન મળ્યું તેનાથી ખુશાલીનો પ્રસંગ સર્જાયો હતો. આ 13 દિવસના પ્રોગ્રામમાં ધાર્મિક ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો તેમજ અદિ એન્જિનિયર, રૂસ્તમ ચોથીયા, આબાન શેઠના, એરવદ ફરહીઝ પંથકી, ડો. ફીરદોસ શ્રોફ, પ્રોફેસર ફરેદુન કાપડીયા, કોમોડર અસ્પી મારકર, ડો. દારાયસ ઉમરીગર, ડો. પરવીન સુરતી, જીયો પારસીના ડો. કેટી ગણદેવ્યા, પર્લ મીસ્ત્રી જેવા નાંમાકિત સ્પીકરો પાર્ટીસીપેન્ટોનું માર્ગદર્શન આપવામાં મહામુલ્ય ફાળો આપ્યો હતો. રોશન કેકી રાવજીએ દરૂન, ભાખરા, મલીદો, પાપડી જેવી મીઠીવાણી બનાવતા શીખવ્યું હતું. ખોજેસ્તે મીસ્ત્રી દ્વારા આખા દિવસનો સેમિનાર આથ્રવન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો. એરવદ પીરોજશા સીધવા, એરવદ સરોષ બહેરામ કામદીન, એરવદ સાયરસ દરબારી, એરવદ કેકી રાવજી, દ્વારા ભણતરના કલાસ રાખવામાં આવ્યા હતા. દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલા સાથે સવાલ અને જવાબ તથા જિમી મીસ્ત્રી દ્વારા ડેલા એડવેન્ચર લોનાવલા ખાતે રમત ગમતનું સેશન રાખવામાં આવ્યું હતું.

મંચેરજી ફરામજી કામા અથોરનાન ઈન્સ્ટિીટયુટમાંથી શીખેલા ભણેલા મોબેદો બહાર પડે તેવી મહેરવાનજી કામાની ઘણી ઈચ્છા હતી અને જો મોબેદોની સંખ્યા ઓછી થાય અથવા નહીંતર હોય તો બહેદિનોને પણ ધર્મનું શિક્ષણ આપવું એ તેમની નેવું વર્ષ પહેલાની દુરંદેશી હતી.

ટૂંકમાં ધર્મની સાચી સેવા બહેદીન પાસબાન સાહેબો બજાવી રહ્યા છે જે પ્રશંસાને પાત્ર છે. પાસબાનનો મતલબ ‘પ્રોટેકટર’ એવો થાય છે.

ગ્રાન્ડ ફીનાલેમાં ચીફ ગેસ્ટ તરીકે પારસી પંચાયતના યઝદી દેસાઈ એમના મહોરદાર સાથે પધાર્યા હતા. સાયરસ દસ્તુરે તેર દિવસના આ અનોખા પ્રોગામનો હેવાલ આપ્યો હતો. એકસ સ્ટુડન્ટસ ફાઉન્ડેશનના વાઈસ ચેરમેને કે.કી. રાવજીએ પ્રમુખપદ શોભાવ્યું હતું. એરવદ સાયરસ દરબારીએ પ્રાઈઝ ડીસ્ટ્રીબ્યુશનનું સંચાલન કર્યુ હતું. તથા એરવદ પીરોઝશાહ સીધવા સાહેબે આભાર વિધી વ્યકત કરી હતી.

Similar Posts

  • પારસીઓ સગનની મચ્છીમાં કેમ માને છે?

    નવું વર્ષ હોય કે જન્મ દિવસ હોય ધાનદાર સાથે મચ્છીનો પાટિયો નહીં તો તળેલી મચ્છી હોય જ છે. તમે ઉદવાડા જાવ ને બોઈ ની મચ્છી નહીં ખાવ તો કેમ ચાલે? લગન  અને નવજોતમાં ખાસ કરીને આપણે સાસની મચ્છી અને પાત્રાની મચ્છી ખાવાજ જઈએ છીએ. તેટલું જ નહીં પણ મીઠાસમાં પણ આપણી પસંદ ‘માવાની બોય’ હોય…

  • Your Moonsign Janam Rashi This Week –
    03 February, 2018 – 09 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 70 દિવસ ચાલનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજનો બોજો ઓછો કરી શકશો. જે પરેશાની હશે તે ઓછી કરવા સીધો રસ્તો મળી જશે. નાણાકીય મુસીબત ઓછી થવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. લગ્ન કરવા માંગતા હશો તો લાઈફ પાર્ટનર…

  • |

    નવસારીના યુવાનોએ ઘી ખીચડી પરંપરાને જીવંત રાખી છે!

    ઘી ખીચડીનો પૈસો, દોરીયાનો રૂપીયો, વરસાદજી તો આયેગા, દમરીશેર લાયેગા, દમરીતારી ઓટમા, ખારા પાણી પેટમા, ઓટ્ટી કે ચોટ્ટી, ચલ્લી ચોટી, રેલ આવી મોટી, અહુરાગોકલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી, તો મીઠ્ઠુંને મીઠ્ઠું! કેટલાક દાયકાઓ પહેલાં, દરેક નવસારી પારસી છોકરો આ 120 વર્ષ જૂની પારસી કવિતા, ઘી ખીચડીને નર્સરી કવિતાની જેમ જાણતો હતો. નવસારીના ઘણા યુવાનો આજે…

  • હસો મારી સાથે

    રોજ સવારે બેગ માંથી લેપટોપ, ચાર્જર, માઉસ, યુએસબી કેબલ, હેડફોન, મોબાઈલ ચાર્જર કાઢીયે ત્યારે… સાલુ મદારી જેવું ફીલ થાય હો… *** પતિ 45ના થાય એટલે પત્નીના શક કરવાના ત્રાસમાંથી માંડ છુટકારો મળતો.પણ આ અનુપ જલોટા એ એવો દાટ વાળ્યો છે કે હવે 60એ પણ ત્રાસ રહેવાનો.. *** રાહુલ ગાંધીએ કહ્યું: પેટ્રોલની કીંમતનો વિરોધ સૌથી વધારે…

  • હોળી પુજન

    હિંદુ ધર્મમાં હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હિરણ્યકશ્યપુુ એ દાનવોનો રાજા હતો એને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. સ્વર્ગ અને…