આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

ભગવાન શ્રી ગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થી સતત દસ દિવસો સુધી મહાભારત કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શુ પ્રભાવ પડી રહ્યો છે.

જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીનુ તાપમાન ખૂબ વધી ગયુ હતું. તેમને તાવ આવી ગયો હતો.

મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડુબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયુ.

એવુ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે.

ગણેશ સ્થાપના પછી 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીન રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે.

ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આહ્વાન કર્યુ. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યુ અને છ ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા સાથે કરે છે.

Similar Posts

  • શિરીન

    પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 April, 2019 – 26 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમે માથાના દુખાવાથી કે આંખની બળતરાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. બપોરના સમયે માથાનો બોજો વધી જશે. ખોટી વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. વડીલવર્ગની તબિયતની ચિંતા અચાનક આવી જશે. મોઢા સુધી આવેલું કામ…

  • The Darts Of Destiny

    There is no supernatural or external being who arbitrarily administers or controls karmic rewards or punishments. We unconsciously produce their seeds ourselves and when the favourable hour arrives, these germinate and yield their own fruit. It is not that some mysterious, super-physical angel, ‘deva’, or God intervenes personally and manipulates karma, akin to a puppet performer…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 April, 2019 – 12 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઓપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 13મીથી સુર્યની દિનદશા શરૂ થતા સરકારી કામમાં મુશ્કેલીઓ આવશે. વડીલવર્ગની તબિયત બગહવાના ચાન્સ છે. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ પર કાબુ નહીં રખાવે….