ખાડો ખોદે તે પડે!

ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી જીવાઈ કે ખર્ચી આપતા નથી તો આવડો મોટો અને વળી આપના કરતાય અધિક ચઢિયાતો ઠાઠમાઠ અને દબદબો તે કેમ રાખી શકે છે?’

આહમદને સુલતાને તે બાબતમાં પૂછયું પણ આહમદે તેની ખાનગી વાત જણાવી નહીં.

આખરે સુલતાને અદેખા અમલદારોના કહેવાથી પેલી જાદુગર ડોસીને બોલાવી. તે ડોસીને આહમદનું રહેવાનું ઠેકાણુ શોધી કાઢવાનું કામ સોપાયું. આમ મનના મેલા અને ઈર્ષાથી આંધળા બનેલા ખટપટી દરબારીઓથી બાપે પોતાના પ્યારા બેટા પાછળ જાસુસ રાખ્યો. પણ આખર ખાડો ખોદે તે પડે તેવું બનશે!

થોડા દિવસ રહી, ડોસીએ ખબર આપી કે તે આહમદની રહેવાની જગ્યા જોઈ આવી હતી. આહમદ કોઈ જીનની દીકરી એવી એક પરી સાથે, ગુફાઓમાં રહેતો હતો.

ડોસીને ઈનામ આપી, સુલતાને કહ્યું કે તેના રહેઠાણની અંદર જઈ બરાબર તપાસ કરી આવ. તને વધુ ઈનામ આપીશ.

મોટા ઈનામના લોભે, ડોસીએ આહમદના રહેઠાણની અંદરની તપાસ કરવાનું સ્વીકાર્યુ. તે આહમદના આવવાની તારીખે ગુફાના દરવાજા આગળ ઢોંગ કરી બેશુધ્ધ હોય તેમ પડી ગઈ! આહમદે તેને ત્યાં જોઈ, તેની દયા ખાઈ, તુરત પરીનબાનુના રાજમહેલમાં લઈ આવી તેની  માવજત બરદાસ્ત કરવાનું પરીન બાનુને સોપી પોતે પોતાના બાપને મળવા ગયો. પેલી લુચ્ચી ડોસીએ ત્યાં બધું જોઈ લીધું. બે દિવસ પછી આહમદ પાછો ફરે તે પહેલા તેની તબિયત હવે ઠીક થઈ ગઈ છે કહી, સૌનો પાડ માનતી તે પોતાને ઘરે પાછી ફરી.

પછી અમલદારોને મળી તેણે તાગડો રચ્યો. સુલતાનને ગભરાવ્યો કે તમારો દીકરો આહમદ તો જીન પરી ભેગો વસતો હતો અને તે કોઈ દિવસ તમારી ગાદી પચાવી પાડશે માટે ચેતતા રહેજો. આવી આવી ખોયી વાતોથી કાચા કાનનો સુલતાન નકામો પોતાના દીકરાથી બીવા અને વહેમાવા લાગ્યો.

અમલદારોએ સુલતાનને ચઢાવ્યો કે આહમદ મળવા આવે ત્યારે તે જીન પરીની સાથે રહે છે કે નહીં તેની ખાતરી કરી, બધુ બરાબર જાણી લેવા કંઈ અજાયબ પ્રકારની ચીજ તેની પાસેથી ભેટ તરીકે માગવી.

આહમદ જ્યારે તેના બાપને ફરી મળવા આવ્યો ત્યારે તેના બાપે આહમદને કહ્યું, ‘બેટા આહમદ, મને માલમ પડયું છે કે તું કોઈ બડી જાદુગર પરી સાથે પરણ્યો છે. તો મારે માટે તેની પાસેથી એક ભેટ નહીં માંગી લે કે સુલતાનને એક એવો તંબુ જોઈએ છે કે જે જ્યારે જોઈએ ત્યારે તેમાં આખાય લશ્કરને મૂકી શકાય અને જરૂર પડયે મુઠીમાં પણ રાખી શકાય!

આહમદ તો આ સાંભળી બહુ વિચારમાં પડી ગયો. તેણે તે દિવસે ભારી દિલે સુતાનની રજા લીધી.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • SOAS Shapoorji Pallonji Institute for Zoroastrian Studies Launched In UK

    The SOAS Shapoorji Pallonji Institute for Zoroastrian Studies, UK, was officially declared open on 27th June, 2018, with a launch event organised in the Brunei Suite of the Brunei Gallery, SOAS University of London. The event was attended by Shapoor Mistry, whose generous donation in the name of his late grandfather, Shapoorji Pallonji provided for the…

  • Cama Park Hosts ‘Second All-Parsis TT Tourney’

    Merwanjee Cama Park will host the second ‘All Parsis Table – Tenis Tournament’ on 3rd and 4th February, 2018, at Cama Athornan Institute, Merwanjee Cama Park, Cama Road, Andheri West. Media Partner Parsi Times announces the categories for the tourney, namely: Open Singles, Open Doubles, Veteran Singles, Under 14 (Boys and Girls) Singles, Jumbled Doubles,…

  • મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

    આ વાત છે કેટલાક દાયકાઓ પહેલાં, કોરોના બૂટની કંપનીની. હું તે દિવસોની વાત કરું છું જ્યારે ભારતમાં ટીવી નહોતું આવ્યું અને જાહેરાતનું એકમાત્ર શક્તિશાળી માધ્યમ રેડિયો હતું. ભલે તે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે રેડિયો સિલોન અથવા વિભિન્ન ભારતી, કોરોના બૂટની જાહેરાત હિન્દીમાં આ રીતે ફટકારવામાં આવી હતી – કોરોના કે જૂતે, જો ઘિસ તો…

  • Cyrus Todiwala Becomes MCS Ambassador

    Parsi born Indo-British chef proprietor of the popular ‘Café Spice Namasté’ and Celebrity Television Chef, Cyrus Rustom Todiwala, has joined the Marine Conservation Society (MCS) as an ‘Ocean Ambassador’. Having been a ‘Seafood Sustainability’ campaigner for many years, Cyrus is the first chef to become an ocean ambassador for the charity. As per the ‘Undercurrent News’ report, Cyrus stated, “I…

  • |

    Rashi

    મેષ: અ.લ.ઈ. હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી સહી-સિક્કાના કામ સારી રીતે કરી શકશો. હાલમાં તમો વાણિયા જેવા બની જશો તમારા કામને સીધા બનાવવા માટે મીઠી જબાન અને બુધ્ધિ વાપરી સામેવાળાથી અગત્યના કામ કરાવી લેશો. જે પણ કમાશો તેમાંથી બચત કરી શકશો. અચાનક ફાયદો મળતો રહેશે. દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૦, ૨૩,…

  • હસો મારી સાથે

    સંસ્કૃતના ક્લાસમાં પપ્પુની શ્ર્લોકની પરીક્ષા હતી. સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછયું: પપ્પૂ આ શ્ર્લોકનો અર્થ સમજાવ… ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’. પપ્પુ: રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!! ગુરુજી: મૂર્ખા…. તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે… ‘બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન’ પપ્પુુ: વહુને ધણા બાળકો છે અને બધા 4 જૂને…