સમાજમાં ધનનું મહત્વ કેટલું છે

નાણાવગરનો નાથિયો ને

નાણે નાથાલાલ

ધન વગરનો ધનજી ને ધને ધનંજય

ગરથ વગરનો ગણેશિયો

ને ગરથે ગણેશભાઈ

પૈસા વગરનો પંસુ ને પૈસે પેસ્તનજી

ઉપયુકત ઉક્તિઓથી સમજાય જાય છે કે સમાજમાં ધનનું મહત્વ કેટલું છે. પૈસા વગરનો માનવી ગરીબ, બિચારો લાચાર ગણાય, જ્યારે પૈસાવાળા પુજાય અને ગરીબ મુંઝાય. પૈસા ફેકો ને જે જોઈએ તે પામો પરંતુુ પૈસો કંઈ એમને એમ પ્રાપ્ત થતો નથી, અનાયાસે મળી જતો નથી. સામાન્ય માનવ પરિશ્રમ કરી પરસેવો પાડી પૈસો પ્રાપ્ત કરે છે જો કે કેટલાક કમનસીબોને અનાયાસે મળી જાય છે.

કેટલાક અવળચંડા એમ કહે છે કે ‘પૈસો તો હાથનો મેલ છે’ એમ કહીને તેઓ લક્ષ્મીજીનું ઘોર અપમાન કરે છે. પૈસાનો આદર કરો પણ એને પરમેશ્ર્વર ન માનો. જે લોકો ધનને ધિકકારે છે તે લોકોને ધન પણ ધિકકારે છે. પૈસો નથી હોતો સારો કે નથી હો તો ખરાબ તમે તેનો કેમ ઉપયોગ કરો છો તે પર આધાર રહે છે. કંજૂસનું ધન જેમ કાંકરા બરાબર હોય છે તેમ ઉડાઉનું ધન ખાખરા બરાબર હોય છે. અતિ લોભ પાપનું મૂળ છે. મફતમાં મેળવી મફતલાલ ન બની શકો. ગેરરસ્તે મેળવેલું ધન અસલના લોકો જમીનમાં દાટતા જ્યારે આધુનિક યુગમાં ગેરમાર્ગે પ્રાપ્ત કરેલું ધન પરદેશની બેન્કોમાં જમા કરે છે જે ફકત શોભાના ગાંઠિયા જ બનીને રહે છે.

બિમારીમાં દવા લેવા આપણે દાકતર પાસે જવું પડે છે પણ ગરીબી એવી બીમારી છે કે તેની દવા લેવા બીજા પાસે જવાને બનલે આપણે પોતેજ તેના દાતર-વૈદ્ય-હકીમ બની તેનો ઉપચાર કરી જાતે જ હટાવી શકીએ છીએ. લક્ષ્મીજી પ્રાપ્ત કરવામાં અવરોધ આપણાં પોતાનાં અજ્ઞાન, આળસ અને કુવિચાર હોય છે.

તમે તમારા પરિશ્રમથી પ્રાપ્ત કરેલા પૈસા લાંચરૂશ્વત આપી અથવા લઈ કલંકિત કરશો નહી, લાંચિયા અને ચાંચિયા બન્ને સરખા.

લક્ષ્મીદેવીને મારા પ્રણામ

Similar Posts

  • જીંદગીને ચાહું છું હું!

    સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને…

  • ‘Parsi Passport’ Tour For XYZ’s Rustom’s Rockstars

    On 11th February, 2018, the Xtremely Young Zoroastrians’ Bandra Chapter, ‘Rustom’s Rockstars’ (RR) organized ‘The Parsi Passport’ that helped children get acquainted with our culture and heritage by visiting various Parsi monuments all over Mumbai. The tour included visits to ‘Mancherji Joshi Memorial Statue’, ‘Della Tower’ depicting Persian architecture, in Dadar Parsee Colony; the 40-feet…

  • Tips For Avoiding Summer Migraines

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] In a career spanning four decades, the world’s leading Homoeopath, Padma Shri Dr. Mukesh Batra, has revolutionised the way homeopathy is practiced today. The Founder-Chairman of Dr Batra’s™ Group – the first and largest homeopathy corporate worldwide, he has treated over a million patients, including Presidents, Prime Ministers and prominent film personalities and celebrities….

  • બચાવ માટે બીપીપી!

    29મી માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયેલ હેલ્પ લાઈન સ્થાપિત કરવાની બોમ્બે પારસી પંચાયતની સમયસર પહેલ, જે ચાલુ લોકડાઉન દરમિયાન સમુદાયના તમામ સભ્યોને જરૂરિયાત મુજબ મદદ કરશે તે હેતુથી, સામાન્ય રીતે, અને આપણાં વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. કોવિડ 19 રોગચાળો ફેલાવ અટકાવવા કરવામાં આવેલું વૈશ્વિક લોકડાઉન તે આપણા સમુદાયના સભ્યો…

  • TechKnow With Tantra: Fingerprint lock for Whatsapp

    Who wants prying eyes to go through your Whatsapp messages, whether it is family or friends? In these times of protecting privacy, WhatsApp has introduced a built-in fingerprint lock on the app. Once enabled, Whatsapp can be started only when you scan your fingerprint – no passwords to remember! Make sure to download Whatsapp’s latest…