વજીરે શુક્રાના કીધા!

તે સોદાગરે જવાબ દીધો કે તે કાંઈ હું ના પાડતો નથી. તે જીને કહ્યું કે ત્યારે તે જ મારા દીકરાને મારી નાખ્યો છે અને તે એ રીતે ખજુરના ઠળિયા આજુબાજુએ નાખ્યા તે વેળા તે રસ્તેથી મારો છોકરો જતો હતો તેથી એક ઠળિયો તેની આંખમાં વાગ્યો કે જેથી તે તરત મરણ પામ્યો માટે હું તને મારી નાખવા વગર રહેવાનો નથી તે સોદાગરે જવાબ દીધો જે ઓ જીન સાહેબ! તમે મને માફ કરો, કારણ કે અગર જો તમારો છોકરો મારે હાથે માર્યો ગયો હોય તો ન ધારેલો અકસ્માત બન્યો છે તેથી તમને મને કતલ કરવો સાજાવાર નથી. તે જીને કહ્યું કે જ્યારે તે મારા દીકરાને મારી નાખ્યો ત્યારે તેનું વેર લીધા વગર હું તને છોડનાર નથી. એમ કહીને તે જીને તે સોદાગરને જમીનદોસ્ત કીધો અને તેનું ડોકું કાપી નાખવા માટે પોતાની ગંજાવર શમશેર ઉઠાવી! જ્યારે એ શબ્દો શેહરાજાદી બોલી ત્યારે તેણે જોયું કે બામદાદ થઈ ચુકી હતી અને તે જાણતી હતી કે સુલતાનને વહેલે ઉંવાની તબેહ હતી તેથી તેણી વાત કરતી બંધ પડી. દીનારજાદી બોલી ઓ બહેન આ કેવી ચમત્મારિક વાર્તા છે. શેહરાજાદી બોલી કે એનો બાકી રહેલો ભાગ વધારે અજબ સરખો છે અગર જો સુલતાન મને આજ રોજે જીવતદાન બક્ષે અને રજા આપશે તો આવતી કાલે પાછલી રાત્રે એ વાતનો છેડો લાવીશ. શહ શેહરીયારે બન્ને બહેનો વચ્ચે થતી વાત અલબત્તા સાંભળી અને જે વાર્તા શેહરાજાદીએ અધુરી મૂકી હતી તે પૂરી સાંભળવાને તેની ઘણી મરજી હોવાથી તેને મનમાં વિચાર કીધો કે એક રાત શહેરાજાદીને જીવતી રાખી વાર્તા પૂરી કીધા પછી બીજી બામદાદે તેણીને ધારા મુજબ ગરદન મારવામાં કાંઈઅડચણ નથી પહવાની તેથી તે નામદારે ઠરાવ કીધો કે શેહરાજાદીની વાર્તા બીજી રાતે પૂરી કરાવવી અને તેથી કાંઈબી હુકમ આપવા વગર તે નામદાર હમામખાનામાં ચાલી ગયો અને ત્યાંથી બંદગી કરી દરબારમાં જઈ બીરાજ્યો.

પેલી તરફ વડો વજીર પોતાની બેટીનો કેવો અકાળ અંત આવશે તેના વિચારમાંને વિચારમાં આખી રાત વગર ઉંઘે બેચેન હાલતમાં પોતાના મકાનમાં તરફડયા મારતો હતો. બામદાદ પડતાંજ પોતાની વહાલી બેટીને પોતાનેજ હાથે ગરદન મારવી પડશે તેના અફસોસથી તેની ચશમમાંથી આતશના ભભુકા નિકળવા લાગ્યા તેના હાથને ધુજરી થઈ આવી. હાય અને અફસોસમાંજ તે ભયંકર રાત વજીરે પૂરી કીધી. જ્યારે બામદાદનો બહાર ખિલવતો ખુરશેદ તલુ થયો કે વજીર શાહના મહેલમાં પૂર ગમગીદ દિલે ધ્રુજતો ધ્રુજતો દાખલ થયો અને આવતી મળ જે નેહસ્ત હુકમ શાહના મોંમાથી બહાર પડશે તેથી કમકમતો ઉભો. જેવો  શાહ હમામખાનામાં ચાલી ગયો! વજીર ખોદાના શુકરાના કરતો, પોતાની બેટીને જબેહ કરવાના કમકમાટ ભર્યા ખ્યાલથી ઘડીભર મોકળો થઈ દરબારમાં શું થાય છે તે જોવાઅને આવતી પળ શું સુનાવે છે તે સાંભળવા પોતાના ઓધ્દા પર હાજર થયો. (ક્રમશ)

Similar Posts

  • શિરડીમાં સાઈ ઈન્ટરનેશનલ મેરેથોન

    સાઈ બાબા, જેમણે 15મી ઓક્ટોબર, 1918ના રોજ સમાધી લીધી હતી.વિશ્ર્વનાં આદરણીય સંતની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે આ વર્ષે 15મી ઓક્ટોબરે શિરડીમાં સાઈબાબા સંસ્થાના ટ્રસ્ટ, શિરડી મહાનગર પાલિકા, એમ.ટી.ડી.સી. અને ચેમ્પ એન્ડ્યુરેન્સે સૌ પ્રથમ વખત ‘સાઈ ઇન્ટરનેશનલ મેરેથોન’ ગોઠવવા માટે હાથ મિલાવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, બોલીવુડના અભિનેતા અજય દેવગણ – જે…

  • Protect Yourself From Fungal Infection This Summer

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] In a career spanning four decades, the world’s leading Homoeopath, Padma Shri Dr. Mukesh Batra, has revolutionised the way homeopathy is practiced today. The Founder-Chairman of Dr Batra’s™ Group – the first and largest homeopathy corporate worldwide, he has treated over a million patients, including Presidents, Prime Ministers and prominent film personalities and celebrities….

  • વિસ્પા હુમતા

    આપણે આપણી દૈનિક પ્રાર્થનાઓ ક્રમમાં વિગતવાર નજર કરીએ, તો આપણે મદદ કરી શકતા નથી પરંતુ તે પ્રાર્થઓનો ચોકકસ એક તર્ક છે. ચાલો આની તપાસ કરીએ.આપણે પહેલા આપણી કસ્તી કરીએ છીએ, જે આપણા આધ્યાત્મિક શરીરને શુદ્ધ કરે છે. તે પછી, આપણે સરોશ બાજ કરીએ છીએ, જે આપણા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે અથવા જેને આપણે…

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Mirchi Galli Situated in the busy lanes of Crawford Market, ‘Mirchi Galli’ is one of the oldest and historic spice markets, located closer to Jama Masjid. Selling innumerable spices, the market is known…