સોદાગર તથા જીનની વાર્તા

નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર લટકાવ્યો કારણ કે તેને એક બ્યાબાન જંગલ પસાર કરવું હતું કે જ્યાં કાંઈપણ ખોરાક તેને મળી શકે નહીં. અંતે તે સોદાગરે કાંઈપણ અકસ્માત બનાવ તેની ઉપર વિત્યા વગર સલામત પોતાની મુસાફરી પૂરી કીધી અને પોતાનું કામ જલ્દીથી બજાવી શકયો તેથી પોતાને ઘરે પાછો ફરવા સારૂં પોતાના ઘોડાને ફરી તૈયાર કીધો.
તેની મુસાફરીને ચોથે દિવસે એક ઠેકાણે તેને જ્યારે ખાધાપીધાની તથા આશાયશ લેવાની જરૂર જણાઈ ત્યારે ઘોડા પરથી ઉતરીને ત્યાં આવેલા પાણીના એક ફુવારા આગળ બેઠો અને જોલામાંથી નાન તથા ખજુર કાઢી બીસમીલ્લા કરવા માંડયો અને ખજુર ખાઈને તેના ઠળિયા ધ્યાનમાં ને ધ્યાનમાં આજુબાજુએ નાખવા લાગ્યો. તે જાતે એક પરહેજગાર મુસલમાન હતો તેથી જમી રહી મોઢું અને પગ ધોઈ નમાજ કરવા લાગ્યો.
તે ભોંય પર પોતાનું શીર નમાવી બંદગીમાં મશગુલ હતો એવામાં એક જીન જમીનમાંથી ફૂટી નીકળ્યો! જે જઈફ તથા ઘણા બુલંદ કદનો હતો. તે પોતાના હાથમાં એક મોટી શમશેર લઈ તેની આગળ આવ્યો અને ભયભરેલો અવાજથી તે પુકાર્યો કે ઓ કમબખ્ત ઉભો થા! તે મારા બેટાને મારી નાખ્યો છે માટે હું તને મારી નાખું છું. તે રાક્ષસના બીહામણો ચહેરો જોઈ તે સોદાગર ભાર દહેશતમાં પડયો અને ધ્રુજતો ધ્રુજતો કહેવા લાગ્યો કે મે તારા દીકરાને કેમ અને કયાં અને કયારે મારી નાખ્યો? નથી હું તેને ઓળખતો કે મેં તેને કદી જોયો નથી! તે જીને કહ્યું કે તે તારા જોલામાંથી ખજુર કાઢી ખાધા પછી તેના ઠળિયા ચોતરફ નાખ્યા હતા કે નહીં? (ક્રમશ)

Similar Posts

  • Meher Mahino – Meher Roj Mubarak!

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#020e7a” css_class=”a”] Today marks the auspicious Meher Mahino – Meher Roj Parab. We reproduce the writings of religious scholar and writer extraordinaire, Noshir H Dadrawala, who shares his wisdom about the significance of this occasion, in praise of Meher Davar – The Divine Judge! [/otw_shortcode_info_box] . In the Zoroastrian Calendar the year comprises…

  • ફ્રૂટક્રીમ

    સામગ્રી: 40 ગ્રામ હેવી ક્રીમ અથવા ફ્રેશ મલાઈ, 70 ગ્રામ સાકર, 1 મધ્યમ કદનુું કેળુ, 1 મધ્યમ કદનું સફરજન, 1 કેરી, 100 ગ્રામ દ્રાક્ષ, 6-7 કાજુ, 6-7 બદામ. રીત: ક્રીમ અથવા મલાઈમાં સાકરને મિક્સ કરીને ફીણી લો. મલાઈને મિકસરમાં અથવા તો બીટરથી પણ ફીણી શકાય છે. ફીણતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું કે મલાઈને એટલી…

  • Letters To The Editor

    Vasai Parsi Punchayat Beneficiaries Seek Justice Against Misappropriations And Falsities On the morning of 11th June 2017, many residents of twin colonies under The Vasai Taluka Parsi Punchayat Charitable Trust received a Whatsapp message containing a link for article Parsi Darshan printed in Mumbai Samachar. This message was forwarded to the residents, by Mr. Ruzbe…

  • જમ્યા બાદ પેટ ભારે

    ઘણી વ્યકિતઓને જમ્યા બાદ પેટ ભારે થઈ જવાની ફરિયાદ હોય છે. સાધારણ રીતે આ ફરિયાદ હોય તો તેના માટે ખાસ કોઈ તબીબી સારવાર નથી હોતી. આ માટે કોઈ દવા નથી. પરંતુ જેને ફરિયાદ હોય છે તે એક પ્રકારની હેરાનગતિ જરૂર ભોગવે છે. આ ફરિયાદમાં એક સાવ સરળ અને સફળ ઈલાજ કરવો જોઈએ. લીંબુના રસમાં વરિયાળી…

  • BPP Elections To Be Held On 27th March, 2022

    – History-Making Hunger Strike Ushers Unanimous Trustees’ Decision – On October 20th, 2021, the Bombay Parsi Punchayet issued a Press Release announcing the end of the ongoing stalemate between the Trustees, as regards the BPP elections. Trustee Noshir Dadrawala had led a hunger fast, alongside Trustee Kersi Randeria who was also on a solids/food fast…