સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

પોતે ઘોડા ઉપર સવાર થઈ પહાડોમાં કેખુશરો આગળ ગયો. કેખુશરો તેની આગળ આવ્યો અને તેના હાથને બોસા લીધા. પીરાને તેને ગોદમાં દાબ્યો અને ખોદાના શુકરાના કીધા અને તે બાળકના હકમાં તે દાદાર આગળ દુઆ ગુજારી. કેખુશરોએ પીરાનને કહ્યું કે ‘ઓ ભલા મરદ! તું એક ભરવાડના બેટાને તારી ગોદમાં દાબે છે તેથી તું ને શરમ નહીં લાગતી?’ એટલે તું મોટો માણસ હું ગરીબ બાળક ને તારી છાતીએ દાબે છે પણ કોઈ હોય તો ગરીબના બચ્ચાંને એક કરવાને શરમાય.’
પીરાનનું દિલ આ શબ્દો સાંભળી ઘણું બળવા લાગ્યું અને તેથી તેને હવે વધુ વખત બાળક કેખુશરોને એમ પહાડોમાં રાખી મૂકવાનું ઠીક ન લાગ્યું. તેથી કહ્યું તારી ઓલાદ કોઈ ભરવાડ નથી. એ બાબેનું મારે ઘણું લાંબુ દાસ્તાન કહેવાનું છે. એમ કહી એક ઘોડો તૈયાર કરાવી અને પાદશાહી પોશાક પહેરાવી કેખુશરોને તે પોતાના મહેલમાં લઈ ગયો અને તેને ઘણા પ્યારથી ઉધારવા લાગ્યો.
એમ કેટલોક વખત પસાર થયો. એક રાત્રે અફ્રાસીઆબ તરફથી કાસદ આવ્યો કે શાહ પીરાનને બોલાવે છે. પીરાન ગયો ત્યારે અફ્રાસીઆબ કહેવા લાગ્યો કે આખી રાત મને ચિંતા અને ફીકર લાગે છે, કારણ લોકો કહે છે કે સીઆવક્ષનો બેટો મારો દહાડો શીહા કરશે. જો એમ હશે તો મેં હમણા સુધી સાહુચેતી લીધી છે તે ફોકટ. એ બાળક જે બન્યુ છે તે એટલે એના બાપનું ખૂન વિગેરે યાદ નહીં રાખે તો ઠીક. ત્યારે અમો બેઉ સુખી રહીશું પણ જો, તે ખરાબ સ્વભાવ દેખાડે એવું હોય તો બહેતર કે હમણાંથી તેના બાપની માફક તેનુંં સર ઉડાવી નાખીએ. પીરાને જવાબ દીધો કે ઓ પાદશાહ એક બાળક જે બીહુશ એટલે વગર અકકલનું તેનાથી તું શું આશા રાખે કે તે આગળી પાછલી વાત જાણે? ભરવાડને હાથે ઉધરેલું તો હેવાન જેવું હોય તેનામાં અકકલ કયાંથી હોય? તેે બાળક પરી જેવું ખુબસુરત છે પણ તેનામાં અકકલ કયાંથી હોય? મેં તેને બાપ મિસાલ પાળનાર ભરવાડથી કાલે સાંભળ્યું કે તે બાળક પરી જેવું ખુબસુરત છે પણ તેનામાં અકકલ નથી. તું ચિંતા ના કર તેનામાં ઘણી સમજ નથી. તું ચિંતા ના કર અને તે બાળકને મારી નાખવાનો વિચાર ના કર. તું કહે તો તે બાળકને તારી આગળ લાવું પણ તું સોગંદ લે કે તું તેને હેરાન નહીં કરે. આ સખુનોથી અફ્રાસીઆબનાં મનમાં જરા શાંતિ થઈ. અને તેણે સોગંદ લીધા કે તે તે બાળકને હાથ નહીં લગાડે.
પીરાન ઘરે આવ્યો અને કેખુશરોને કહ્યું કે તું તારાં મગજમાંથી આજે અકકલને દૂર કર. અફ્રાસીઆબ સાથ તું બેગાનાની માફક વાત કરજે અને દીવાનાની માફક બોલજે ચાલજે. એમ તેને શીખવીને તેને અફ્રાસીઆબની દરબારમાં લઈ ગયો. દરબારમાં જતાં લોકો કેખુશરોને જોઈને ખુશ થયા.અફાસીઆબે જ્યારે તેને જોયો, ત્યારે તેની આંખમાંથી શરમથી આંસુ વરસવા લાગ્યા. પીરાન તો મનમાં ધ્રુજયા કરતો હતો કે રખેને કેખુશરોને અફ્રાસીઆબ કાંઈ હાની પહોંચાડે. પરંતુ અફ્રાસીઆબ તો આ પાદશાહી બાળકને જોઈ થોડો વખત દંગ થઈ ગયો.
(ક્રમશ)

Similar Posts

  • ગાહો વિશે

    ગેહોને ભરવાથી શું થાય છે તે હવે જોઈએ. બોલતા પ્રાણીને ઈન્સાન શા માટે કહ્યો છે? તે નીમ યઝત છે. તેની ઉપર કુદરતે ફરજ મુકી છે તે બધું ઉપર જોયું ત્યારે ઈન્સાને કુદરતની સાથે એટલે દાદાર લગીનો સંબંધ રાખવો જોઈએ. આ સંબંધમાં તેને રાખનાર ગેહોની ગતિ કઈ રીતે છે તે જોઈએ અને જો ગેહ ભણે તો…

  • સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી

    સુરત પારસી પંચાયત હસ્તકની નરીમાન ગર્લ્સ ઓર્ફનેજની છ દીકરીઓ જેનીફર ગેવ ડેહનુગરા, મોનાઝ રૂસી પીઠાવાલા, પીનાઝ રૂસી પીઠાવાલા, ફરઝાના મહેર અવારી, શેનાઝ શાપુર ગોલે, આરમીન જેમી ગોલે તથા સુરત પારસી બોયઝ ઓર્ફનેજનો એક દીકરો દીનયાર જેમી ગોલે એમ કુલ સાત બાળકોની શુભ નવજોત સુરત પારસી પંચાયત હસ્તક તા. 14/01/2019, માહ શહેરેવર, રોજ હોરમઝદના શુભ દિને…

  • શિરીન

    તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું. ‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’ ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી…

  • કોવિડ-19 દરમ્યાન ઝેડટીએફઆઈ રાહત પૂરી પાડે છે

    મુંબઈ શહેરમાં હાલનું લોકડાઉન, જે ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળા માટે લાવવામાં આવ્યું છે, આપણા સમુદાયના વંચિત લોકો માટે ઝેડટીએફઆઈ (ભારતના ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ) દ્વારા પૂરૂં પાડવામાં આવતું માસિક રાશન અને આર્થિક સહાય કરવાનું અશક્ય બન્યું છે. હમદીનોની તકલીફોને સરળ બનાવવા માટે સમર્પિત સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક તરીકે, ઝેડટીએફઆઈ હવે એક દાયકાથી સમુદાયના સભ્યોને તેમની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    2nd November – 8th November, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે તેથી તમારા હાથથી ધર્મના કામો સારી રીતે થશે. નાણાકીય મુશ્કેલી ધીરે ધીરે ઓછી થતી જશે.  જે પણ ડીસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમારા અંગત વ્યક્તિને મદદ કરી શકશો. ધર્મના સ્થળે જઈ શાંતિ મેળવી શકાો. દરરોજ…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો…