સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો.

બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની સફાઈ કરવા લાગ્યો. સર્વથી પહેલા તેણે પોતાનું જે કરજ હતું તે ચુકવી આપ્યું. દોસ્ત આશનાવમાં અમૂલ્ય કિમતી વસ્તુઓની ભેટ-સોગાદ કીધી અને ગરીબ ગુરબાને મોટી રકમની ખર-ખેરાત આપી. પોતાના ઘરબારને લગતા ગુલામો તથા બાંદીઓને આજાદ કીધા, પોતાની માલ મિલકત પોતાના બચ્ચાંઓને તેઓ ખુશી થાય એવી રીતે વહેંચી આપી. જે બચ્ચાંઓ કુમળી વયના હતા તેઓને માટે સમય મુકરર કરી રાખ્યો. પોતાની મોહરદાર પોતાની સાથે પરણતી વેળા જે રીત લાવી હતી તે તેણીને પાછી આપી અને ધર્મની શરત પ્રમાણે જેટલી પણ વધારે દોલત તેણીને બક્ષી શકાય એટલી બીજી દોલત તેણીને પોતાની તરફથી આપી. એમ કરતાં એકવર્ષ તો પૂરૂં થવા આવ્યું તેથી રવાનગી લેવાની તેને ફરજ પડી. તેની પહેલીવારની મુસાફરીની વખતે તેને ઝોળીમાં ખજુર અને રોટી ભરી હતી પણ હાલની સફરમાં ઝોળીમાં પોતાના કફનનાં કપડાં ભરયા, જ્યારે તે પોતાની બાયડી તથા છોકરા પાસે રજા માગવા ગયો ત્યારે  તેના ગમથી તેઓ એટલા તો ગાફેલ થયેલા હતા કે તેઓના મોઢામાંથી એક હરફ વટીક નીકળી શકયો નહીં. તેમનાં ઘરનો વડો આવી રીતે ઘરબાર છોડી પોતાનું વચન પાળવા મોતને શરણ થવા ચાલી ચલાવી જાય એ દુ:ખ તેઓથી ખમાયું નહીં,  જેથી તેઓએ ઠરાવ કીધો કે તેની સાથે જવું અને તેની સાથે પોતાનો પણ પ્રાણ આપવો. જ્યારે તેણે જોયું કે તેઓથી છૂટું પડયા વગર તેનો છુટકો નથી ત્યારે તેઓને તેણે કહ્યું કે ‘મારા વ્હાલા બચ્ચાઓ આ રીતે તમને મેલી જતા હું ખોદાના હુકમને માન આપું છું. એજ પ્રમાણે તેમાં પણ ચાલજો અને આ તમારી આફતને આપણા ભાગ્યનો વારસો કરી ગણજો. યાદ રાખજો કે આદમીને કમે મરણ સરજેલું છે અને તે વગર કોઈનો પણ છૂટકો નથી. મોડે કે વહેલે એક દિવસ મરવું તો છેજ.’ એટલું બોલી તેઓથી તે છૂટો પડયો અને શહેર  બહાર ચાલતો થયો. જે જગાએ જે દિવસે જઈ પહોંચવાની તેણે કબુલાત આપી હતી તેજ દિવસે તે ત્યાં જઈ પહોંચ્યો. તે તેના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને પેલા ફુઆરા પાસે બેસીને ગમગીન વિચાર સાથે તે જીનની રાહ જોવા લાગ્યો.

(ક્રમશ)

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    14th September, 2019 – 20th September, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ બુધની દિનદશા માં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડીયામાં લેતી-દેતીના કામો પહેલા પુરા કરી લેજો. જેબી પ્લાન બનાવો તે 45 દિવસ બાદ પુરા થશે તેવું વિચારીને આગળ વધજો. તમારા માથાની જવાબદારી ભરેલા કામને ઓછા કરી લેજો. તેથીથી શનીની…

  • મેંગો ડીપ

    ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે. સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ. રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા…

  • Bowled Over By Boman!

    The stage was set for the Giles Shield Cricket Tournament finale on 8th January, 2018 at the iconic Wankhede Stadium in Mumbai as Rizvi Springfield (Bandra) faced opponents Don Bosco (Matunga) where the former won the final on better quotient. In all the huddle that took place on field before the ultimate clash, there was…

  • Life Is Duty

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Religion is duty and life is duty. The sense of duty is ingrained in man. Man owes duty to his creator and the creator’s creatures. God’s will is…

  • Buddhist Philosophy And Its Four Distinct Groups Of Humankind

    Buddhist philosophy refers to the ancient Indian philosophical system of the Buddhist religion. It comprises all the philosophical investigations and systems of inquiry that developed among various schools of Buddhism in ancient India. Buddhism combines both, philosophical reasoning and the practice of meditation. Buddhist religion presents a multitude of Buddhist paths to liberation. Buddhist thinkers…