પારસીઓ તેઓની દીન સાથે ઠરીઠામ  થયા

પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન દસ્તુરોના નામો જે દેવાય છે તેમાંના થોડાક ઈરાનના છેલ્લા શાહ યઝદેઝર્દ પછીના છે. પછીનું નામ ગ્રવણ નૈરયોસંઘ ધવલથી શરૂ થાય છે.

એજ પુરવાર કરે છે કે નૈરયોસંઘ પહેલા હિન્દના દસ્તુર હતા કે નહીં? જો તેવણની અગાઉના બીજા કોઈ હિન્દના દસ્તુરો હતો તો તે સાહેબોના નામો હતે. પણ તેવણની અગાઉ તો કંઈ બે ત્રણ ઈરાનના પડતે દહાડેના દસ્તુરોના નામ પછી નૈરયોસંઘનું નામ આવે છે જે હિન્દના દસ્તુરોમાંનું પહેલુ છે જેની આગળ બીજા કોઈ હિન્દના દસ્તુરોનું નામ આવતું નથી.

આ ઉપરથી કોઈબી જોઈ શકશે કે ઈરાનના દસ્તુરો પછીથી હિન્દમાં પહેલા દસ્તુર નૈરયોસંઘ હતા. એટલે હિન્દમાં આપણું દેશાગમન થયુ હતું. જો સાસાન જમાનાથી આપણે દીનના પાલન અર્થે હિન્દમાં હતે તો તે નૈરયોસંઘની અગાઉના બીજા ઘણા દસ્તુરો જેઓએ આપણને હિન્દમાં દોરવેલા તેઓના નામો હતે. પણ તેવું કંઈબી નથી. આ બધાની ઉપરથી જોઈ શકીએ છે કે કીસ્સે સંજાણનનો મૂળ મુદ્દો જે ઈરાનથી હિન્દમાં દેશાગમનનો દેખાડે છે તે પુરવાર થઈ રહે છે.

ઈરાનમાં પણ જરથોસ્તીઓ અને તેઓની દીન રહી શકશે નહીં માટે તો જરથોસ્તી દીન અને જરથોસ્તીઓનું નામ નિશાન રાખવા માટે હિન્દમાં સાહેબે દીલાન આબેદોની વસીયત પ્રમાણે સાસાની શાહી ખાનદાનના રદ મુવેદે મુવેદાન અષો નૈરયોસંઘ પોતાના અષવન હથિયારોની સાથે હિન્દમાં ગુજરાતના કિનારા ઉપર સંજાનમાં આવ્યા કે જ્યાં તેઓએ ઈરાનશાહ આતશ બહેરામના પાવ મહેલના કેન્દ્રની બરકકતી અસરોથી તેઓની શુભ કામના અને અમલથી પારસી નામ અને ધર્મ નવા રાએનીદાર શાહ બહેરામ વરઝાવંદ ભવિષ્યમાં તેને બર વખતે આવે ત્યાં લગી ટકી શકશે અને ચિથ્રેમ બુયાદની પાઝંદ બંદગીની મુરાદ ફળીબુદ થશે.

નોંધ લેવી કે છેલ્લી સાસાનીઅન શહેનશાહત વખતે કેટલાક યુરોપી લખનાર મુજબ પાંચ કરોડ ઈરાનીઓ હતા જ્યારે બીજાઓ મુજબ ઈરાન અનઈરાન મળીને 12 થી 33 કરોડ મઝદયસ્નીઓ હતા. ગમે તે હોય પણ આજે તો ઈસ્લામી થયેલા ઈરાનમાં જેઓ પોતાને ઈરાની કહેવડાવે છે તેઓ ભાગ્યેજ પોણો કરોડ ઈસ્લામી વસ્તી હોય તો પછી બાકીના બધાઓનું શું થયું એ સવાલ છે.

જવાબ એજ કે તેઓ  રફતે રફતે ઈસ્લામી જાસુરીમાંથી છુટવા દુનિયા ઉપર પંથરાઈને તે ઠેકાણેની વસ્તીમાં મર્જ થઈ ગયા અને તેઓના ફરઝંદોને મઝદયસ્ની વાસ્ને નહીં મળવે તે ઠેકાણેની દીનને અખ્તયાર કરી બેઠા છે. ખુદ ઈરાનમાં સાસીઅન પડતી પછી કમમાં કમ એક કરોડ મઝદયસ્નીઓ હતા જેઓ ઓછા થઈ વર્ષોની ઉપર સફવી વંશની આખેરી અને કાજર વંશની શરૂઆત સુધીમાં લાખ્ખોની સંખ્યામાં હતા. જેઓ પછી આજે સીર્ફ દસ હજારની સંખ્યામાં રહેવા પામ્યા છે પણ ઈરાન સિવાયની બહારની દુનિયામાં મઝદયસ્ની પ્રજા અને નામ નીશાન ઉપર કહ્યું છે. તેમ ભુલાઈ ગયા છે. દરેઘોખદાતની હાશેમી શહેનશાહતની અમુક વજીરાત અને કોટવાલીઓમાં સાસાની પડતી પછી 1300 વર્ષો પછી ઈરાને નવ થઈ પછી ઈરાનની દીન જે મઝદયસ્ની જરથોસ્તી છે તે ઈરાનમાં જામશે આવી વસ્તુ સ્થિતિ થવા માટે સાસાનીયન શહેનશાહતની પડતી પછીના સૌથી દોઢસો વર્ષે ખાસ દેશાગમન થયું છે.

પડતીના 1300 વર્ષ પછી નવા રાએનીદાર શાહ બહેરામ વરઝાવંદ આવે ત્યાં સુધી તે દેશાગમન ટકે તેવું મુવેદે મુવેદાન રદ અષવન નેરયોસંઘ ધવલે દેમાવંદના સાહેબે દીલાનોની ગેબી મદદથી કરીને હિન્દમાં ગુજરાતના કાઠા પર પારસીઓને તેઓની દીન સાથે ઠરીઠામ કીધા હતા.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • 8th WZYC: London Calling! Spotlight On Youth Organisers

    With the 8th World Zoroastrian Youth Congress (8WZYC) 2023 hosted by the Zoroastrian Trust Funds of Europe (ZTFE) in the United Kingdom (UK) in Summer 2023, a dedicated team of youth volunteers have already commenced early groundwork to start planning and organising this momentous event. As part of a series of articles, we will be…

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે? એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું…

  • Avan Yazad Revered Across Seven Seas

    On 9th April, 2023, Avan Yazad was revered and attuned, across the seven seas, by the members of the Zoroastrian Association of California (ZAC), by offering prayers including a Humbandagi, the Avan Ardavisur Nyaish, Dooa Nam Setayashne and Tandarosrti prayers, which were led by Ervad Zerkxis Bhandara, at Santa Ana river, in Orange City, CA. It was indeed heart-warming to see so many Zoroastrians, ranging from the…

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the current ongoings in the BPP, with Parsi Times’ Exclusive Column – BPP Connect. .[/otw_shortcode_info_box] Ever since I first contested the BPP election in September 2003, it has been my dream that the BPP be an oasis for the less fortunate of our community. Today…

  • |

    FILM REVIEW: PATAAKHA

    Genre: Drama, Comedy Rating: 3/5 136 minutes Director: Vishal Bhardwaj Vishal Bhardwaj has always been known to do the unexpected – in a typical deviation, this time he lays focus in the hinterland of Rajasthan. Adapted from a six-page story, ‘Do Behnein’ by Charan Singh Pathik in which two sisters Champa ‘Badki’ (Radhika Madan in an impressive…

  • Shirin – 12 October 2016

    પછી નાલ્લી હિલ્લાએ સેજ નરમાશથી કહી સંભળાવ્યું ‘તું આવી તોબી એમાં કંઈ ખોટું નહીં હતું શિરીન, પણ જરા કપડાં તો સોજાં બોલ ‚મને લાયક પહેરતે?’ ‘મારી…મારી આગળ બીજાં હતાં જ નહીં.’ ‘તો પછી તુંને નહીં જ આવવું હતું, શિરીન.’ ‘હું આવવા મસગતી જ નહીં હતી પણ તમારા બ્રધરે હુકમ કીધાથી મને આવવું જ પડયું. ફરી…