સારા વિચારો – વોહુમનો

જરથુષ્ટ્રે ભગવાનને સર્વશક્તિમાન તરીકે જોતા નથી, કેમકે તેમણે તેમના સ્તોત્રોમાં જાહેર કર્યું છે કે, માણસના સારા વિચારો, શબ્દો અને કાર્યોની સંચિત શક્તિ દ્વારા ભગવાન વધે છે.
બહમન અમેશાસ્પંદ બધા ગોશપન્દ (પશુ)ઓના દેવદૂત છે અને સારા વિચારો ઉપર વડપણ કરનાર દેવ છે (વોહુમનો). આજે આપણા વિચારો આપણી વાસ્તવિકતા કેવી રીતે બનશે તેનો સામનો આપણે કરવાનો હોય છે. કોર્પોરેટ્સ દ્વારા તેમના કર્મચારીઓને તેમના મગજને કેવી રીતે સંચાલિત કરવું અને તેમના શ્રેષ્ઠ સપનાની કલ્પના કરવામાં મદદ કરવા માટે ખર્ચાળ સેમિનાર હાથ ધરવામાં આવે છે જેથી તેમને વિચારશક્તિ સાથે જાહેર કરી શકાય. પરંતુ આપણે શ્રધ્ધાથી સારા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
બહમન યશ્ત એક સૌથી શક્તિશાળી પ્રાર્થના છે જેને આપણે ભણી શકીયે છીએ, પરંતુ તે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી અને દૈનિક વાંચન માટે ખૂબ લાંબી છે. તેથી, આપણે બહમન યશ્ત નિરંગ ભણી શકીયે છીએ. જે બહુ નાની પ્રાર્થના છે અને તે બહમનના આ પવિત્ર મહિના દરમિયાન ભણવા માટે આદર્શ છે. સારૂં અને શુદ્ધ મન આપણને તેજસ્વી અને આનંદદાયક વાસ્તવિકતાને હાંસલ કરવામાં મદદ કરશે.
એક જાણીતી વાત છે, તમારા વિચારો બદલો અને તમે તમારૂં વિશ્ર્વ બદલી શકો છો. જરથોસ્તી તરીકે આપણી સશક્તિકરણ પ્રાર્થનાની શક્તિથી આપણને આશીર્વાદ મળે છે જે આપણા વિચારો, શબ્દો અને કાર્યોમાં ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

Similar Posts

  • ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ

    ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ, ફસલ (મોસમી) અથવા ફસલી કેલેન્ડર મુજબ, મહેર માહનો મહેર રોજ આ વર્ષે 2જી ઓક્ટોબર, 2022ના રોજ આવે છે અને ઉનાળાના અંત અને પાનખરની શરૂઆતની યાદમાં મેહરગાનના તહેવાર તરીકે ઉજવવામાં આવશે. ડો. સર જીવનજી મોદી માનતા હતા કે આદર્શ રીતે મહેરેગાનનું જશન પાનખર સમપ્રકાશીયના દિવસે થવું જોઈએ. માહ મહેર અને રોજ મહેર પર…

  • From the Editors Desk

    Dear Readers, The New Year has indeed started on a good note for our community members, with projects dedicated to the upkeep and betterment of our religious and cultural heritage. Deserving of our foremost appreciation and gratitude is the ongoing renovation taking place at our sacred Doongerwadi, driven by the dedicated and continuous efforts of…

  • શરદીમાં મેથીની ભાજી

    ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો?…

  • BPP Clarifies GWG Issue

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]To undo and correct any misconceptions based on incorrect assumption/allegations that are rife on social media as regards the formalization of the GWG (Global Working Group)[/otw_shortcode_info_box] . There have been a lot of rumours floating around about the formalization of the GWG and the BPP’s support towards this. This is not true and…