હસો મારી સાથે

ઘરમાં બાયું, બહાર વાયુ, આમાં ક્યાં જાય ભાયું!!
***
મુંબઈ સુધી મેઘરાજાની સવારી આવી ચૂકી છે, માટે બહાર નીકળો ત્યારે એકાદ નાની થેલી લઈને બહાર નીકળવુ કેમકે મોબાઈલ ને થતી ‘શરદી’ જલ્દી નહી મટે. દવા અને સારવાર ખૂબ મોંઘી છે.
***
હું શું કહું છુ, આપણે આ શેઠ બ્રધર્સને કહીને દરિયામાં 250-300 કિલો ‘કાયમ ચૂર્ણ’ નાખી દઈ તો ‘વાયુ’ ઓછો નો થઇ જાય??
***
આજે એક વર્ષ પછી તેને જોઈ, અસલ પહેલા હતી તેવીજ, મન મકકમ કરીને નકકી કર્યુ હવે બીજી જોવીજ નથી જૂની છત્રી જ વાપરીશ..

Similar Posts