શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે તો તે મરી જશે. જોં તમો તેેને જીવતો જોવા માંગતા હો તો વખત ખોવાનું કામ નથી.”

આ સાભળી રૂસ્તમ બોલ્યો કે “તું તારા બાપ આગળ બીજા મોટા માણસોને વચમાં કેમ નાખતી નથી? જો તારા બાપના ગુસ્સાથી મને બીહવાનું નહિ હતે, તો હું તને હાલ ઘણીક ચીજો આપતે.” એમ કહી, તેણે બાબરચીઓને ફરમાવ્યું, કે જે ખાણું તૈયાર હોય તે હાજર કરે, તે ખાણામાંથી એક ભુંજેલી મરઘી તેણે લીધી, અને તેની આજુબાજુ એગ નાન વિટાળ્યું, અને પછી મનીજેહ જોય નહિ તેમ છુપી રીતે, તે મરઘીના પેટમાં પોતાની એક વિંટી ખોસી દીધી. તે પછી મનીજેહને કહ્યું કે “આ લઈ બેજન જે ગારમાં બંધ પડ્યો છે તે તરફ જા અને તેને એ ખાણું આપ.”

મનીજેહ આ ખાણું લઈ દોડતી બેજનના બંધીખાનાના ગાર આગળ ગઈ અને તે ખાણું તે ગારમાં નીચે બેજન આગળ ઉતાર્યું. બેજને તે લઈને અંદરથી પોકાર માર્યો કે “ઓ મારી મેહરબાન બાનું! આ ખાણું તું ક્યાંથી લાવી? તું મારે કાજે રાત દહાડો કેટલી બધી રંજ ખેંચે છે!” મનીજેહ ઉપરથી જવાબ કીધો કે “એક ભલો ઈરાની વેપારી વેપાર અર્થે આવ્યો છે, અને તેણે અહીં પડોશનાં શેહરમાં વણજાર સાથે પડાવ નાંખી પોતાનો વેપાર ખુલ્યો છે. તેણે મને એ ખાણું આપ્યું છે અને કહ્યું છે કે જો બીજું જોઈએ તા લઈ જવું.”

આ સખુનો સાંભળી ચિંતા અને ફિકર વચ્ચે બેજને તે ખાણું ખાવા માંડ્યું. ખાતા તેને પેલી મરઘીમાં ખોસેલી વિંટી મળી. તેણે તપાસીને જોયું; તે તેની ઉપર રૂસ્તમનું નામ હતું. તે બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તેના દુ:ખના દહાડા અંતે તમામ થવા આવ્યા છે. ખુશીમાં ને ખુશીમાં તેને હસવું આવ્યું અને આ તેનો હસવાનો અવાજ મનીજેહને ઉપર સંભળાયો. તેણી અજબ થઈ ગભરાવા લાગી કે એમ તો દીવાના આદમીએ પોતાના કામથી હસે.

આથી તેણીએ બેજનને સાદ મારી પુછ્યું કે, “ઓ નેકબખ્ત! તું જે આ ઉંડા ગારમાં બંદ પડ્યો છે, કે જ્યાં તને  રાત કે દહાડો માલુમ પડે નહિ તે શા કાજે એમ હસે છે? શું તારો શીહા દહાડો કાંઈ રોશન થયો છે?” બેજને અંદરથી જવાબ દીધો કે “હા, મારૂં નસીબ ફરે એવું દેખાય છે. માટે જો તું સોગંદ લે, કે જેહું તને કહું તે તું કોઈને કહે નહિ, તો હું તને સઘળી હકીકત જણાવું. કારણ કે ઓરતજાતની જબાનને જો સીવી હોય તો પણ તે બંધ રહે નહિ.” મનીજેહ અફસોસ કરવા લાગી કે “બેજન માટે મેં આટલું દુ:ખ ખમ્યું છે, તે છતાં તે મારે માટે શક રાખે છે!”

(ક્રમશ)

Similar Posts

  • જીવનની પુન:પ્રાપ્તિ સાથે નવરોઝનુ આગમન

    કેટલીકવાર આપણે આપણી પોતાની પીડામાં એટલા ફસાઇ જઈએ છીએ કે આપણે આ બધામાંથી છૂટકારો મેળવી શકતા નથી. છેલ્લાં બે વર્ષ મારા માટે એક સમાન રહ્યા છે. હકીકતમાં, મેં બાળપણથી જ આખી દુનિયા જોઈ છે કે હું મારી જાતને નાના તોફાનોથી ડરવાનું ના પાડું છું, પરંતુ નિયતિએ તેને મંજૂરી આપી ન હતી. આટલું મોટું સંકટ મને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13 October, 2018 – 19 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયત માટે બેદરકાર રહેતા નહીં તમારી નાની ભૂલ પહાડ જેવી બની જશે. શનિને કારણે બેચેની વધુ લાગશે. કોઈ વ્યકિત તમને ખોટી રીતે નીચા પાડવાની કોશિશ કરશે. તમારા જે પણ કામ હોય તેમાં કામથી મતલબ રાખજો નહીં તો સામેવાળી…

  • એક જીન નીકળી આવ્યો

    હું મારે ઘરથી ઉદરપોષણ શોધવા આવ્યો ત્યારે તું મને ગરદન મારે છે! કોઈ બીજો ધંધો મને માલમ નથી કે જેથી હું મારૂં ગુજરાન કરી શકું. અને આખો દિવસ ભારી મહેનત લેતાં હું એટલું પણ પેદા કરી શકતો નથી કે જેથી મારા કુટુંબની ઘણીજ અગત્યની હાજતો પણ પાર પડી શકે! પણ જે કિસમત ભલા લોકોને ભમતાં…

  • હસો મારી સાથે

    ચોમાસા દરમ્યાન હળવું ભોજન લેવું. પાણી એકદમ હળવું છે. પણ પાણીમાં તેલ નાખો તો તેલ તરે છે એટલે પાણીથી હળવું તેલ છે. તેલ ઉકળતું હોય એમાં ભજીયાં નાખો તો ભજીયા તરે છે એટલે એ સૌથી હળવાં કહેવાય. માટે ચોમાસામાં ભજિયાં ખાવ અને હળવા હળવા રહો. *** કોઈ વધારે દારૂ પીતા હોય એમને બૂમ ના પાડશો….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th April – 17th April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાની અને અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. બાકી 13મીથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા 20 દિવસ તમારા મગજને ખૂબ તપાવશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ઉપરીવર્ગની સતામણી વધી જશે. અગત્યના…

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    02nd January – 08th January, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ઘરવાળા તમને જરાબી સાથ સહકાર નહીં આપે. તમે જે કરતા હશો તેમાં તમારૂં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં કોઈના પર વિશ્ર્વાસ મુકતા નહીં. અગત્યની ચીજ વસ્તુની સંભાળ રાખજો….