શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે તો તે મરી જશે. જોં તમો તેેને જીવતો જોવા માંગતા હો તો વખત ખોવાનું કામ નથી.”

આ સાભળી રૂસ્તમ બોલ્યો કે “તું તારા બાપ આગળ બીજા મોટા માણસોને વચમાં કેમ નાખતી નથી? જો તારા બાપના ગુસ્સાથી મને બીહવાનું નહિ હતે, તો હું તને હાલ ઘણીક ચીજો આપતે.” એમ કહી, તેણે બાબરચીઓને ફરમાવ્યું, કે જે ખાણું તૈયાર હોય તે હાજર કરે, તે ખાણામાંથી એક ભુંજેલી મરઘી તેણે લીધી, અને તેની આજુબાજુ એગ નાન વિટાળ્યું, અને પછી મનીજેહ જોય નહિ તેમ છુપી રીતે, તે મરઘીના પેટમાં પોતાની એક વિંટી ખોસી દીધી. તે પછી મનીજેહને કહ્યું કે “આ લઈ બેજન જે ગારમાં બંધ પડ્યો છે તે તરફ જા અને તેને એ ખાણું આપ.”

મનીજેહ આ ખાણું લઈ દોડતી બેજનના બંધીખાનાના ગાર આગળ ગઈ અને તે ખાણું તે ગારમાં નીચે બેજન આગળ ઉતાર્યું. બેજને તે લઈને અંદરથી પોકાર માર્યો કે “ઓ મારી મેહરબાન બાનું! આ ખાણું તું ક્યાંથી લાવી? તું મારે કાજે રાત દહાડો કેટલી બધી રંજ ખેંચે છે!” મનીજેહ ઉપરથી જવાબ કીધો કે “એક ભલો ઈરાની વેપારી વેપાર અર્થે આવ્યો છે, અને તેણે અહીં પડોશનાં શેહરમાં વણજાર સાથે પડાવ નાંખી પોતાનો વેપાર ખુલ્યો છે. તેણે મને એ ખાણું આપ્યું છે અને કહ્યું છે કે જો બીજું જોઈએ તા લઈ જવું.”

આ સખુનો સાંભળી ચિંતા અને ફિકર વચ્ચે બેજને તે ખાણું ખાવા માંડ્યું. ખાતા તેને પેલી મરઘીમાં ખોસેલી વિંટી મળી. તેણે તપાસીને જોયું; તે તેની ઉપર રૂસ્તમનું નામ હતું. તે બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તેના દુ:ખના દહાડા અંતે તમામ થવા આવ્યા છે. ખુશીમાં ને ખુશીમાં તેને હસવું આવ્યું અને આ તેનો હસવાનો અવાજ મનીજેહને ઉપર સંભળાયો. તેણી અજબ થઈ ગભરાવા લાગી કે એમ તો દીવાના આદમીએ પોતાના કામથી હસે.

આથી તેણીએ બેજનને સાદ મારી પુછ્યું કે, “ઓ નેકબખ્ત! તું જે આ ઉંડા ગારમાં બંદ પડ્યો છે, કે જ્યાં તને  રાત કે દહાડો માલુમ પડે નહિ તે શા કાજે એમ હસે છે? શું તારો શીહા દહાડો કાંઈ રોશન થયો છે?” બેજને અંદરથી જવાબ દીધો કે “હા, મારૂં નસીબ ફરે એવું દેખાય છે. માટે જો તું સોગંદ લે, કે જેહું તને કહું તે તું કોઈને કહે નહિ, તો હું તને સઘળી હકીકત જણાવું. કારણ કે ઓરતજાતની જબાનને જો સીવી હોય તો પણ તે બંધ રહે નહિ.” મનીજેહ અફસોસ કરવા લાગી કે “બેજન માટે મેં આટલું દુ:ખ ખમ્યું છે, તે છતાં તે મારે માટે શક રાખે છે!”

(ક્રમશ)

Similar Posts

  • હસતું મુખડુ!

    ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનું સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી! એણે ખુશ થઈ 50 રૂપીયા ટીપ મુકી. વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 20 રૂપીયા એક ભિખારીના હાથમાં મૂકી…

  • જમીન, પાણી હવા અને આતશ તરફની આપણા પારસીપણા તરીકેની ફરજ

    આપણી આજુબાજુની પેદાયશોમાં આપણા માણસ ભાઈબંધ અને પ્રાણીઓ પછી, જમીન પાણી હવા અને આતશ, આપણું ખાસ ધ્યાન ખેંચે છે. માણસ અને પ્રાણી એ બેઉના ઉપયોગ માટે અહુરમઝદની એ નેયામતો અગત્યની છે. અને તેઓ તરફ આપણે કેટલીક ફરજથી બંધાયેલા છીએ. ફરજ એટલે અહુરમઝદની નેયામતો સ્વચ્છ અને સાફ રહે અને તે પૂરતા જથ્થામાં સર્વ જાનદાર પેદાયશને મળે,…

  • હસો મારી સાથે

    એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ…

  • દુનિયાના સૌથી તાકતવર ઈન્સાન મારા પપ્પા

    એક પિતા એના દીકરાના આલીશાન ઓફીસમાં જાય છે, એના દીકરાને જુએ છે અને એની પાછળ જઈ ઉભા રહી જાય છે, ફકરથી એને પૂછે છે અને એના ખભા ઉપર હાથ રાખી પૂછે છે. દીકરા તને ખબર છે ‘આ દુનિયામાં સૌથી તાકતવર માણસ કોણ છે?’ દીકરાએ ઝડપથી જવાબ આપ્યો કે નસ્ત્ર પિતાનું દિલ થોડું બેસી ગયું એક…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    4th January – 10th January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. તમારા અંગત માણસો તમારો સાથ નહીં આપે તેનું દુ:ખ લાગશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 January, 2019 – 12 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલને તમારા શત્રુઓ મોટી પહાડ જેવી બનાવી દેશે. તમારા કામથી તમને આનંદ નહીં મળે. નાણાકીય બાબતમાં સારાસારી નહીં રહે. ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે. રાહુની દિનદશા તમારા દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ફેમિલીમાં નાની…