શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે તો તે મરી જશે. જોં તમો તેેને જીવતો જોવા માંગતા હો તો વખત ખોવાનું કામ નથી.”

આ સાભળી રૂસ્તમ બોલ્યો કે “તું તારા બાપ આગળ બીજા મોટા માણસોને વચમાં કેમ નાખતી નથી? જો તારા બાપના ગુસ્સાથી મને બીહવાનું નહિ હતે, તો હું તને હાલ ઘણીક ચીજો આપતે.” એમ કહી, તેણે બાબરચીઓને ફરમાવ્યું, કે જે ખાણું તૈયાર હોય તે હાજર કરે, તે ખાણામાંથી એક ભુંજેલી મરઘી તેણે લીધી, અને તેની આજુબાજુ એગ નાન વિટાળ્યું, અને પછી મનીજેહ જોય નહિ તેમ છુપી રીતે, તે મરઘીના પેટમાં પોતાની એક વિંટી ખોસી દીધી. તે પછી મનીજેહને કહ્યું કે “આ લઈ બેજન જે ગારમાં બંધ પડ્યો છે તે તરફ જા અને તેને એ ખાણું આપ.”

મનીજેહ આ ખાણું લઈ દોડતી બેજનના બંધીખાનાના ગાર આગળ ગઈ અને તે ખાણું તે ગારમાં નીચે બેજન આગળ ઉતાર્યું. બેજને તે લઈને અંદરથી પોકાર માર્યો કે “ઓ મારી મેહરબાન બાનું! આ ખાણું તું ક્યાંથી લાવી? તું મારે કાજે રાત દહાડો કેટલી બધી રંજ ખેંચે છે!” મનીજેહ ઉપરથી જવાબ કીધો કે “એક ભલો ઈરાની વેપારી વેપાર અર્થે આવ્યો છે, અને તેણે અહીં પડોશનાં શેહરમાં વણજાર સાથે પડાવ નાંખી પોતાનો વેપાર ખુલ્યો છે. તેણે મને એ ખાણું આપ્યું છે અને કહ્યું છે કે જો બીજું જોઈએ તા લઈ જવું.”

આ સખુનો સાંભળી ચિંતા અને ફિકર વચ્ચે બેજને તે ખાણું ખાવા માંડ્યું. ખાતા તેને પેલી મરઘીમાં ખોસેલી વિંટી મળી. તેણે તપાસીને જોયું; તે તેની ઉપર રૂસ્તમનું નામ હતું. તે બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તેના દુ:ખના દહાડા અંતે તમામ થવા આવ્યા છે. ખુશીમાં ને ખુશીમાં તેને હસવું આવ્યું અને આ તેનો હસવાનો અવાજ મનીજેહને ઉપર સંભળાયો. તેણી અજબ થઈ ગભરાવા લાગી કે એમ તો દીવાના આદમીએ પોતાના કામથી હસે.

આથી તેણીએ બેજનને સાદ મારી પુછ્યું કે, “ઓ નેકબખ્ત! તું જે આ ઉંડા ગારમાં બંદ પડ્યો છે, કે જ્યાં તને  રાત કે દહાડો માલુમ પડે નહિ તે શા કાજે એમ હસે છે? શું તારો શીહા દહાડો કાંઈ રોશન થયો છે?” બેજને અંદરથી જવાબ દીધો કે “હા, મારૂં નસીબ ફરે એવું દેખાય છે. માટે જો તું સોગંદ લે, કે જેહું તને કહું તે તું કોઈને કહે નહિ, તો હું તને સઘળી હકીકત જણાવું. કારણ કે ઓરતજાતની જબાનને જો સીવી હોય તો પણ તે બંધ રહે નહિ.” મનીજેહ અફસોસ કરવા લાગી કે “બેજન માટે મેં આટલું દુ:ખ ખમ્યું છે, તે છતાં તે મારે માટે શક રાખે છે!”

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 March – 11 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 14મી એપ્રિલ સુધી શુક્રની દીનદશા ચાલશે. તમે તમારા મોજશોક ઓછા નહીં કરી શકો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા મિત્ર કે પાર્ટનર મળવાથી ખુશ થશો. મનગમતી વસ્તુ મેળવવા માટે એકસ્ટ્રા કામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    7th November – 13th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મિત્રો તરફથી માન-સન્માન મળતું રહેશે. તમારા મિત્રો કે સગાવહાલાઓને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી કરી શકશો. તમારા અટકેલા કામ પૂરા કરવા માટે કોઈની ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ધન બચાવવાની કોશિશ અવશ્ય કરજો….

  • ગોપાતશાહ સાહેબ

    જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને…

  • નબી જરથોસ્તે દાખવેલા ચમત્કાર

    ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો…

  • બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

    18મી જૂન, 2019ને દિને બોમ્બે પારસી પંચાયતના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી માનનીય વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેરજી જામાસ્પઆસા તથા નવસારીના ભાગરસાથ અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી, માનનીય વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોઝ દસ્તુર મહેરજીરાણાની યાદમાં શ્રધ્ધાંજલિ આપવા એક બેઠક બોલાવી હતી. બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, તેમના ધર્મપત્ની અનાહિતા દેસાઈ, બીપીપીના બધાજ…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    તે શાહજાદાએ જવાબ દીધો કે ખોદાવંદ! મેં જેમ તમોને આગળ કહ્યું તેમ ‘માહેતમ મહેલ’માં એક ગુંબજવાળી ઘોરમાં તેને રાખેલો છે અને જે તરફથી દાખલ થવાનો માર્ગ છે તે તરફથી તે ઈમારત તથા કિલ્લા વચ્ચે આવજાવ કરવાનો રસ્તો છે. હું તમને ચોકકસ કહી શકતો નથી કે તે જાદુગર કિલ્લાના કયા ભાગમાં વસે છે પણ દરરોજ સુર્ય…