ઉદવાડામાં લૂંટ

તા. 4થી ઓકટોબર, 2019ની વહેલી સવારના અરસામાં, ઉદવાડામાં રહેતા ભરડા પરિવારની માલિકીનું મકાન તોડીને સોનાના દાગીના, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લેવામાં આવી હતી. ઉદવાડાના સૌથી લોકપ્રિય ઈરાની બેકરીના માલિક, રોહિન્ટન જાલ ઈરાનીના સાસરાપક્ષના મકાનમાં સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી હતી. ઘરેલુ મદદ દ્વારા રોહિન્ટન ઇરાનીને સવારે લૂંટની જાણ કરવામાં આવી અને તેણે પોલીસને મદદ માટે બોલાવ્યા. તેઓ ઇરાનશાહના વડા દસ્તુરજી, ખુરશેદજી દસ્તુરને ત્યાં પહોંચી જાણ કરી હતી જેમણે વિલંબ કર્યા વિના કાર્યવાહી હાથ ધરી હતી અને પારડી અને વલસાડ પોલીસને તાત્કાલિક કાર્યવાહી માટે બોલાવ્યા હતા.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં રોહિન્ટન જાલ ઇરાનીએ કહ્યું હતું કે, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા સમયસર દરમિયાનગીરી કરવા બદલ હું ખૂબ આભારી છું, જે પોલીસના ઝડપી પ્રતિસાદ માટે અને અધિકારીઓ અને તપાસને વેગ આપવા માટે ખૂબ જ મદદ કરી રહી છે, તેમજ ઉદવાડાના રહેવાસીઓ ભૂતકાળમાં દસથી વધુ લૂંટનો ભોગ બન્યા છે અને મેં આનો અંત કરવાનો નિર્ણય લીધો છે. હું આ પગેરૂ આગળ વધારવા જઇ રહ્યો છું અને દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને અમારી સાધનસભર અને તીવ્ર પોલીસ ટીમની મદદથી, સુનિશ્ર્ચિત છે કે લુટારૂંઓ અવશ્ય પકડાઈ જશે. મને ખાતરી છે કે આ તે જ ચોર લોકોનું જૂથ છે જેમણે ઉદવાડામાં અન્ય જગ્યાઓએ પણ ચોરીઓ કરી છે, તેમની પાસે અહીં રહેતા કેટલાક ખબરીઓ (જાસૂસ) છે જેઓ ખાલી મકાનો જોઈ લૂંટારાઓને નિયમિત લૂંટ ચલાવવાની જાણ કરે છે.
પારસી ટાઇમ્સ વાંચકોને ઉદવાડા ઘરફોડ ચોરીઓની પાછળના ચોરને પકડવાની પ્રગતિ વિશે અપડેટ કરતા રહેશે.

Similar Posts

  • Neomi Rao Becomes First Parsi Judge To Be Nominated To USA’s DC Circuit Court

    Neomi Rao, who has led the Trump administration’s push to curtail agency regulations as its Deregulatory Leader, will succeed Brett Kavanaugh on the Washington DC Circuit, whose docket is teeming with administrative disputes. Neomi will be nominated to fill the vacancy left by Justice Brett Kavanaugh on the US Court of Appeals for the DC…

  • યથા કયારે ભણવો?

    ઘેરમાંથી બહાર જતાં બહારથી પાછા ઘેરમાં દાખલ થતાં, કોઈને મળવા જતાં, કોઈની સાથે વાત કરવા અગાઉ, કોઈબી ખુશાલીના પ્રસંગે, આફત યા મુશ્કેલીમાં આવી જતા વળી કોઈ બેઠેલું ઉઠે અને તેની ખાલી જગ્યા ઉપર આપણે બેસવા અગાઉ યથા મનમાં ભણી બેસવું. આ બાબદોમા મનમાં યથા ભણવો. અષેમ કયારે ભણવી: જ્યારેબી આપણા વિચાર જરાબી બગડે ત્યારે તે…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: શાહ બહેરામ વરઝાવંદ વિશ્ર્વના તારણહાર તરીકે ભવિષ્યમાં તેમનું આગમન થશે અને સુર્વણયુગનો પ્રારંભ થશે શું આ એક પૌરાણિક કથા અથવા દંતકથા છે? આ ભવિષ્યવાણી શું છે? હકીકત: વિશ્ર્વના તમામ મુખ્ય ધર્મો તારણહારના ભાવિ આગમનમાં માને છે. હિન્દુઓ કાલકીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ખ્રિસ્તીઓ બીજા ખિસ્તની, મુસ્લિમો ઈમામ મેહદીની…

  • Ratan Tata Backs Start-up ‘GoodFellows’

    Tata Sons’ Chairman Emeritus Ratan Tata, known to back up start-ups, recently backed yet another start-up – GoodFellows – which provides inter-generational friendship and calls itself a ‘Companionship Company’. Founded by Shantanu Naidu, who is currently Ratan Tata’s business assistant, GoodFellows is currently in a beta testing phase, and eventually looks to recruit graduates under…

  • તમે બીજાના કેટલા ઉપયોગમાં આવો છો?

    એક વખત એક માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું…

  • From The Editor’s Desk

    Dear Readers, The essence of any race is showcased in its culture, but it shines brightest in the perpetuation of its traditions. The Parsi Community can proudly boast of nurturing a rich, illustrious inheritance of traditions across all genres – religion, business, cuisine, medicine, law or sports. There is nothing more redeeming and endearing to…