ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

જ્યારે તે ફકીરો બેઠા ત્યારે તે બહેનોએ તેઓને માટે જેટલું જોઈએ એટલું ખાણુંપીણું પુરૂં પાડયું અને ખુશાલીમાં આવેલી સફીયએ તેઓને અગત્ય કરી શરાબ આપ્યો. જેટલું તેઓને ભાવે એટલું ખાણું તેઓએ ખાધું તથા શરાબ પીધો. ત્યારે તેઓએ તે બાનુએ કહ્યું કે ‘તમારી પાસે જો સુંદર વાજીંત્ર તથા સાજ હોય તો અમને આપો! અમે તમારી આગળ ગાયન ગાઈ વગાડીએ.’ તેઓએ તેઓની માગણી ખુશી સાથે કબુલ રાખી અને સુંદર સફીય જલદીથી વાજીંત્રો લેવા ગઈ અને તે ફકીરોના હાથમાં ઈરાની વાંસળી અને તંબુરો લાવી આપ્યો. દરેક ફકીરને જોઈએ તેવાં વાજીંત્રો મળ્યાથી તેઓ સર્વે ગાયન ગાવા લાગ્યા. તે બાનુઓ ગાયન-શાસ્ત્રથી વાકેફ હતી. અને તેઓ પણ ગાવામાં સામેલ થયાથી ગાયનના તાન અને શુરને અગત્યની મદદ મળી અને જ્યારે કોઈ હસવાનું તથા રમુજ મેળવવા સરખું ગાયન આવતું તે વેળા મિજલસમાં ભારી હસાહસ ચાલતી.
આ ગમત ચાલતી હતી અને તેમાં સામેલ થયેલા આસામીઓ ઘણાજ ખુશ મિજાજમાં આવેલા હતા. તેવામાં તેઓના મકાનનો દરવાજો ઠોકવાનોે અવાજ તેઓના સાંભળવામાં આવ્યો. સફીયએ તેજ વેળાએ ગાયન મેલી દીધું અને તે દરવાજો ઠોકનાર કોણ હતો તે જોવા ગઈ.
શહેરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘મારા ખાવિંદ હાલ મારે તમને જણાવવું જોઈએ છે કે શા સબબ ઉપરથી મધરાતને વખત આ ઘરનું બારણું ઠોકવામાં આવ્યું હતું! નામદાર ખલીફ હારૂન અલ રસીદને હમેશ એવી ટેવ હતી કે રાતને વખત વેશ બદલીને શહેરમાં ફરવી નીકળી સઘળી જગ્યામાં સલાહ સંપજ ચાલે છે કે નહીં તે પોતાની નજરે જોઈલે. આ દિવસે પોતાના રાબેતા મુજબ પોતાના વડા વજીર તથા ખોજાઓના સરદાર મસરૂરને પોતાની સાથે લઈ તે પોતાના મહેલમાંથી નીકળી શહેરમાં ફરવા નિકળ્યા હતો. અને તે પહેલા તે ત્રણેએ સોદાગરનો વેશ પહેરેલો હતો. શહેરને લગતા જુદા જુદા મહોલ્લામાં ફરતા જે મોહોલ્લામાં આ બાનુઓ રહેતી હતી ત્યાં તેઓ જઈ પહોંચ્યા અને તેઓના ઘરમાંથી ગાયન, વાજીંત્ર અને સ્ત્રી તથા મરદના હસવાના અવાજ આવ્યાથી તે ઘર આગળ તેઓ અટકયા. ખલીફે પોતાના વજીરને કહ્યું કે ‘આ ઘરમાંથી નીકળતો આટલો બધો ઘોંઘાટનો સબબ જાણવા માંગુ છું.’ તે વજીરે ખલીફે તે કામમાં પડવાથી ઘણો મના કીધો અને તેને કહ્યું કે ‘તેઓ માત્ર સ્ત્રીઓ છે અને તે રાત્રે કાંઈ ગમત કરતી હશે અને શરાબની કેફમાં આવ્યાથી લેહેરી બનયા હશે તેથી તમો નામવર સુલતાનને વખતે અપમાન મળે એવી જગ્યામાં જવું બહેતર નથી. તે ઉપરાંત વખત પણ કઢંગો છે તેથી તે લોકોની ગમત અને રંગરાગમાં ખલલ નાખવી તે નકામું છે.’
(ક્રમશ)

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    30 December, 2017 – 05 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે જે ધારશો તેના કરતા ઉલટુ રિઝલ્ટ મળશે. તમે કરેલી મહેનત ઉપર કોઈ  પાણી ફેરવી નાખશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. પાડોશી સાથેના સંબંધ બગડી જવાના ચાન્સ છે. તમે સાચા…

  • |

    પારસી – ગઈકાલ અને આજ!

    પારસી ઇતિહાસ સ્પષ્ટપણે પૂર્વ-ઐતિહાસિક અને ઐતિહાસિકમાં વિભાજિત કરી શકાય છે. આપણે પૂર્વ-ઐતિહાસિક સમય વિશે દંતકથાઓ, અને અમુક ધાર્મિક ગ્રંથોમાંના સંદર્ભો વિશે જાણીએ છીએ. ઐતિહાસિક સમયગાળો ઈરાનના શિલાલેખમાં તેમજ ગ્રીક અને પછી આરબ ઈતિહાસકારો દ્વારા નોંધાયેલ છે. હેરોડોટસ (484-425 બીસી), પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર, ધ હિસ્ટ્રીઝમાં ગ્રીકો-પર્શિયન યુદ્ધોનું વિગતવાર વર્ણન લખે છે, જ્યાં તેમણે ઐતિહાસિક ઘટનાઓની વ્યવસ્થિત…

  • Review: Jagga Jasoos

    Whatever little success the film is likely to enjoy would be largely due to Ranbir’s histrionics, as also the free-flowing lyrical nature of the dialogues – especially in the first half. Young Jagga (Ranbir Kapoor) is adept at investigating cases and arriving at theories. When his father ‘Tooti-Footi’ (Saswata Chatterjee – the assassin in ‘Kahaani’)…

  • TechKnow With Tantra-Grammarly

    This is a free Chrome Extension which makes a huge difference to the quality of your communication. Whatever you type in Gmail, Messenger, Google Docs, Social Media or on Chrome, Grammarly automatically checks your grammar, pointing mistakes and offering suggestions for the correct grammatical syntax. It even suggests reframing sentences based on the context and…

  • Khurshed Yazad And The Will Of Ahriman (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…