આપણું ઘર!!

રોહિન્ટન મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના હપ્તા હજુબાકી છે. પરંતુ રોહિન્ટન આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે.

રોહિન્ટનનો પરિવાર પોતાના ઘરમાં આનંદથી રહે છે, પરંતુ એક દિવસે સાસુ-વહુ વચ્ચે એક વાતચીત થાય છે, જે વાતચીત નીચે પ્રમાણે છે

લાવ રોશની, હું ભાજી કાપી આપુ  તુ હમણાં જ ઓફિસેથી થાકી ને આવી છે અને આવીને તરત જ લાગી ગઈ કામે! હું તો કહું છુ કે તું નોકરી છોડી દે. ખોરશેદે પોતાની વહુ રોશનીના હાથમાંથી ભાજી લેતા કહ્યુ.

ના, મમ્મી, જ્યાં સુધી ફ્લેટ ના હપ્તા પુરા નહીં થાય, ત્યાં સુધી હું નોકરી છોડવાની નથી.

‘પરંતુ બેટા, હવે તો રોહિન્ટનની પણ સારી નોકરી લાગી ગઈ છે અને પગાર પણ સારો છે.’ ખોરશેદે ભાજી સમારતા સમારતા કહ્યું.

‘નહીં મમ્મી હું નોકરી નહીં છોડું, કારણ કે, મે તમને પેલા દિવસે પડદા પાછળ રડતા જોયા હતા.’

‘જ્યારે પપ્પાએ નાનકડી વાતમાં તમને કહી દીધું હતું કે નીકળી જા મારા ઘરેથી’ રોશની એ કહ્યું.

આ સાંભળી ખોરશેદ તો અવાક થઈ ગયા ને વહુ ને જોવા લાગ્યા ત્યારે રોશની એ કહ્યું ‘મમ્મી, આ તમારી સાથે જ નહીં પરંતુ દરેક પરિણીત સ્ત્રીઓ ને ઘણી વખત સાંભળવા મળે છે. ઘણી વખત પતિ ગુસ્સામાં કહી દે છે કે તારા ઘરે ચાલી જા આ મારું ઘર છે. અને એવી જ રીતે પિયરમાં માં-બાપ ભાઈ અને બહેન બધા લોકો એમ કહે છે કે હવે સાસરૂ એ જ તારું ઘર છે આ નહીં.’

‘તો આખરે સ્ત્રીઓનું તેનું પોતાનું ઘર છે ક્યુ?’

‘મમ્મી સાચું તો એ છે કે આપણા સિવાય કોઈ ઘર ઘર નથી બનતું ફકત આપણે જ તેને ઘર બનાવીયે છીએ. અને બધું કર્યા પછી શું સાંભળવા મળે છે?’

‘એટલા માટે જ મમ્મી હું નોકરી કરીને અડધો હપ્તો ભરૂં છું, એટલા માટે નહીં કે મારો હક છે પરંતુ મને એ સાંભળવા મળે કે આ આપણું ઘર છે, આ આપણા બધાનું ઘર છે. આટલું કહીને રોશની ખારશેદના ગળે ભેટી પડી.

ખોરશેદને પણ વહુની આવી વાત સાંભળીને મનમાં અંદરોઅંદર તેના વખાણ કરવા લાગી, અને તેની પણ આંખો ભીની થઈ ગઈ હતી.

હકીકતમાં દરેક દીકરીને પોતાને આત્મનિર્ભર બની ને પોતાના પતિની સાથે કદમથી કદમ મેળવીને સાથ આપવો જરૂરી છે.

અને ત્યારે જ બનશે આપણું ઘર…

Similar Posts

  • Diana Doctor Recognised ‘EBW Rider Of The Week’

    India’s first automatic motorcycle wash machine company, Express Bike Works (EBW) recently announced biker, Diana Doctor as their ‘EBW Rider of the Week’ on 9th October. Riding since 1988, 46-year-old Diana’s love for cycling soon turned into a passion for riding bikes which was further encouraged by her Irani friend who first helped her try…

  • ગુલકંદ

    ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ…

  • સ્માઇલ પ્લીઝ

    એક હોટલના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ……પણ વેઈટરના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનું સુનું હતુ. જાણે એમાં નવપલ્લવ ફુટયા….  એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા…. વેઈટરને સ્માઇલના બદલામા  આવી  બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર…

  • The Significance Of Navratri And Dassehra

    According to Hinduism, our Earth passes through various cycles, as per mankind’s mental conditioning and consequent actions (karma). These cycles (Yugas) are, Sat-Yug, Treta-Yug, Dwapar-Yug and Kal-Yug (which we are passing through now). Lord Ram was the seventh incarnation of God Vishnu in the Treta-Yug. Since every Yug is a struggle between the forces of…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 January – 27 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ હાલમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા રોજના કામને પુરા કરવા નહીં દે. બીજાના ઉપર વિશ્ર્વાસ રાખીને કામ કરવા જશો તો તેમાં તમારી સાથે ચીટીંગ થશે. તમારા મનની વાત કોઈને કહી…

  • પાકિસ્તાનની બીવીએસ પારસી શાળાએ 160મી વર્ષગાંઠની ઉજવણી કરી

    1859માં શેઠ શાપુરજી હોરમસજી સોપારીવાલા દ્વારા પાકિસ્તાનમાં ધ બાઈ વીરબાઈજી સોપારીવાલા પારસી હાઈસ્કુલની 24મી મે, 2019ને દિને 160મી વર્ષગાંઠ પ્રાર્થના તથા ભવ્ય મિલાદ દ્વારા ઉજવવામાં આવી હતી. 1947માં ભારત-પાક પાર્ટીશન પછી પારસી બાળકો માટે શાળા ચાલુ રખાઈ હતી. કૈદ-આઈ-આઝમીએ કરેલી વિનંતીને લીધે પ્રિન્સીપાલ બહેરામ રૂસ્તમજીએ નોન પારસી બાળકો માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. આજે મુસ્લિમ…