બેપ્સી નરીમાનનું નિધન

સિનિયર એડવોકેટ – ફલી એસ. નરીમાનના પત્ની અને સુપ્રીમ કોર્ટના જજ – જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનના માતા, ખૂબ જ પ્રિય અને આદરણીય બેપ્સી નરીમાન, 9 જૂન, 2020 ના રોજ, નવી દિલ્હીમાં 89 વર્ષની વયે અવસાન પામ્યા.
રાંધણકળામાં જીનિયસ, એક સફળ લેખક અને સ્વતંત્ર સ્ત્રી, બેપ્સી કુટુંબ અને મિત્રોને ખૂબ વહાલ અને પ્રેમ કરતા હતા તે નરીમાનના ઘરનો પાયો સમાન હતા.
બીજા દિવસે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને વર્તમાન સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. તેમના કુંટુંબમાં તેમના બાદ છે તેમના પતિ – ફલી, પુત્ર – રોહિન્ટન, પુત્રવધૂ – સનાયા અને પુત્રી – અનાહિતા.
બેપ્સી નરીમાનનો જન્મ અને ઉછેર મુંબઇમાં થયો હતો. તેમના પિતા એક સમૃદ્ધ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હતા, અને તે બોમ્બે પારસી સમુદાયના સામાજિક જીવનમાં ખૂબ સંકળાયેલા હતા.
બેપ્સી ધ ટાઇમ અને ટેલેન્ટસ ક્લબના સક્રિય સભ્ય હતા, જેમણે ચેરિટી માટે નાણાં એકત્ર કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને તે પહેલાની લોકપ્રિય, ‘વિકટરી સ્ટોલ’ રેસ્ટોરન્ટ (દક્ષિણ મુંબઈમાં એપોલો બંદર નજીક, કોલાબા નજીક) ચલાવતા હતા. ટાઈમ અને ટેલેન્ટસ કલબની રાંધણકલા પુસ્તકમાં તેમણે વાનગીઓ શેર કરી હરતી.
બેપ્સી અને ફલી નરીમાનના લગ્ન 1955 માં થયા હતા. તેઓ 1972માં દિલ્હી સ્થળાંતર થયા હતા, જ્યારે તેણી 41 વર્ષના હતા, ત્યારબાદ તેમના પતિ, ફલી નરીમાનને એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અસાધારણ રાંધણ કુશળતા માટે પ્રખ્યાત હતા અને ‘ટ્રેડિશનલ પારસી કુશીન’, ‘માઇક્રોવેવ કુકરી ફોર ધ ઇન્ડિયન પેલેટ’, ’કુકિંગ વિથ યોગર્ટ’ સહિત બેસ્ટ સેલિંગ રસોઈ પુસ્તકો દ્વારા તેમની કુશળતા શેર કરી હતી.
તેમને સંગીત પસંદ હતું અને તે એક કુશળ પિયાનોવાદક હતા. આ જુસ્સો તેમના પુત્ર અને પૌત્રો સુધી પહોંચ્યો છે. માતા અને પત્ની તરીકે, તે કડક અને રક્ષણાત્મક હતા. ફલીએ લીધેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેણી તેમને માર્ગદર્શન આપ્યું હતું. ફલી તેણીનું બ્રહ્માંડ હતાં અને તે તેમના હતા. તેમના મહાન આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય.

Similar Posts

  • 2018 Budget Demystified

    Finance Minister Arun Jaitley presented his budget for the year 2018-19 in parliament a couple of days ago. The Rail Budget was also presented as part of the Union Budget. In this article, we analyse key budget proposals, and their impact on the salaried class, investors, senior citizens and consumers. A standard deduction of Rs….

  • બહુમૂત્રમાં તલ-અજમો

    વારંવાર અને વધુ પ્રમાણમાં પેશાબ થતો રહે તેને બહુમૂત્ર કહે છે. આ ફરિયાદ હોય છે ત્યારે, વ્યક્તિ અનેક પ્રકારે હેરાન પરેશાન થઈ રહે છે. આ ફરિયાદ હોય ત્યારે વ્યક્તિ પેશાબ રોકી પણ શકતી નથી અને મૂત્રેચ્છા થાય કે તરત તેણે મૂત્રત્યાગની ક્રિયા કરવી જ પડતી હોય છે. બે ભાગ તલ અને એક ભાગ અજમો લઈ…

  • |

    ખુશ રહેવા આટલું તો કરીજ શકો છો!

    દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે. ખુશ રહેવાથી ઘણા રોગો દૂર રહે છે. તમે તણાવ લેશો તો તમારા રોગો પણ વધી જશે. જો તમે ખુશ રહેવા માટે સક્ષમ નથી અને હંમેશા તણાવમાં રહો છો તો આ રહ્યા ખુશ રહેવાના ઉપાય . હકારાત્મક વિચારો રાખો: તમારા જીવનમાં કોઈ પણ બાબતે કેટલી પણ મોટી મુશ્કેલી આવે પણ…

  • Get Tech-Savvy With Online Courses

    During the current lockdown all over the world, our Community’s IT, Business and Networking pro, Yazdi Tantra has been offering live Webinars to help lay users employ technology more effectively, to their own benefits. He has already conducted three successful Webinars – Google Tips & Tricks (http://bit.ly/TTGoogle1); GMail Tips & Tricks (http://bit.ly/TTGmail1); and Chrome Extensions…

  • સ્વર્ગ જેવું મંદિર

    ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ  ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘સ્વર્ગનુ…

  • Freemasons’ Project at Sir J J Hospital

    On 26th December, 2022, the Scottish Freemasons presented medical equipment to the Geriatric and Paediatric Wards of Sir J J Hospital through its Benevolent Committee and Ladies Wing. On the occasion, the Dean of the Hospital, Dr. Pallavi Saple expressed gratitude for the donation and hoped this kind assistance would continue in the future too….