અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે.
તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો.
ઘરમાં સોરાબ, રોશન અને તેમની વહાલી દીકરી ઝરીન અને તેમની ધણીયાણી ખોરશેદ એમ પાંચ જણા રહેતા હતા. પત્ર આપી તેઓ રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો.
કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત તમે ત્રણેય સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને અને ખોરશેદ બેય ને માન્ય રહેશે. જહાંગીરજી અને ખોરશેદ ઘરની બહાર આંગણામાં મૂકેલ બેન્ચ પર બેસી મરઘીઓને ચણ ખાતા જોઈ રહ્યા અને સંતાનોના નિર્ણયની રાહ જોવા લાગ્યા.
ખોરશેદ એટલું જ બોલ્યા કે મને મારા બાળકો, પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર પૂરો ભરોસો છે.
જહાંગીરજી બોલ્યા, જોઈએ તારા સંસ્કાર શું કહે છે? આ બાજુ ત્રણે જણા પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. રોશન અને ઝરીને જે વિચાર્યું તે આશ્ર્ચર્ય જનક હતું.
રોશન જે ઘરની વહુ હતી તેણે તેના ધણી સોરાબને કહ્યું, તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે. ઝરીન આ ઘરની જ એક દીકરી હતી. તેણે પોતાના ભાઈ ને કહ્યું, ભાઈ આપણે બંને એક જ માની કુખેથી અવતર્યા છીએ. તું જે નિર્ણય લઇશ તે મને માન્ય છે.
સોરાબ, રોશન અને ઝરીન ને વહાલથી ભેટી પડ્યો.
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્ર્વાસથી. તેઓ ત્રણે બહાર આવ્યા. માતા પિતાની સામે ઉભા રહ્યા. સોરાબે રોશનને કહ્યું, જા રસોડામાં આજે સગનની સેવ બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું. રોશન રાંધણીમાં ચાલી ગઈ.
સોરાબના આ બોલ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી. સોરાબ અને ઝરીન બન્ને માતા પિતા પાસે આવ્યા. અને એમની આંખોમાં આંખ પરોવી દીધી. રોશન રાંધણીમાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની. સોરાબ અને ઝરીન માતા પિતાને પગે પડ્યા અને ચારેયની આંખમાં સાચે જ ચોમાસું બેસી ગયું.
સોરાબ ભાવુક હૃદયે બોલ્યો, પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે. પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી. એ મિલકત છે તમે મારા માતા પિતા. સોરાબે મમ્મીને કહ્યું…. તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી?
સોરાબે પપ્પાને કહ્યું તમને તમારા ભરોસા પર વિશ્વાસ નથી? અરે, મને તો કાંઈ જોઈતું નથી. મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત અમારા મા-બાપ જ છે. આ સાંભળી ખોરશેદનું હૃદય ખુશીથી છલકાઈ ગયું અને એમણે મીઠા ઠપકાના સૂરમાં જહાંગીરજીને કહ્યું, મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે. જહાંગીરજી રડવાનું ખાળી ન શક્યા. દૂર ઉભેલી રોશન પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.
જહાંગીરજી એ કહ્યું, અરે વહુ બેટા આજે તો ખરેખર સગનની સેવ બનાવજો.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 May – 03 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 25મી જૂન સુધી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરજો. ચંદ્ર તમારા મનને ખુબ મજબૂત બનાવી દેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર…

  • મહુવા પારસી અંજુમન હસ્તક નવજોત તથા સન્માન કાર્યક્રમ

    મહુવા પારસી અંજુમનની અગિયારીના હાલના સેવક મહેરઝાદ જીવાસાની દીકરી પરીઝાદ હાલમાં પીટીટ સ્કૂલ બાન્દરા મુંબઈ ખાતે શિક્ષણ લે છે. પરિઝાદની શુભ નવજોતની પવિત્ર ક્રિયા અંજુમન હસ્તક થાય એવી ટ્રસ્ટી મંડળની ઈચ્છા હતી અને તે પ્રમાણે અગિયારીના હોલમાં નવજોતની ક્રિયા રવિવાર તારીખ ૮-૫-૨૦૧૬ના દિને હાવન ગેહમાં કરવામાં આવી હતી. મલેસર બહેદીન અંજુમન, નવસારીની અગિયારીના બે મોબેદ…

  • How To Separate The Men From The Boys

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] No matter who you choose to marry, partner or single out, there are always early signs that distinguish a man from the boys….

  • Caption This – 8th May

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 12th May 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • હસો મારી સાથે

    બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી? તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી. *** ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો? ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે. *** તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય! એમાં…